SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૩ ૧૪૩ સમયે તેની સાથેના કેટલાક યોદ્ધાઓ ભુજાઓ ઠોકતા કેટલાક યોદ્ધાઓ સિંહ જેવી ગર્જના કરતા ચાલી રહ્યા હતા, કેટલાક યોદ્ધાઓ હષાવિષ્ટ થઈને સત્કાર શબ્દ કરતા કરતા આગળ ધપી રહ્યા હતા. ઘોડાઓના હણહણાટથી દિશાઓ વ્યાપ્ત થઈ રહી હતી. એકી સાથે વગાડવામાં આવેલા ભંભા-ઢક્કા, હોરંભા-મહાઢક્કા, કુણિત- ખરમુહી વચ્ચક વંશ વાંસળી વેણુ મહતી તંબૂરો, રિગસિરિકા તલ કાંસ્યતાલ એ સર્વથી ઉત્પન્ન થયેલા શબ્દોનો ધ્વનિ અને પ્રતિધ્વનિ શબ્દ થઈ રહ્યો હતો. એથી તે ભરત ચક્રી. સકલ જીવલોકને વ્યાપ્ત કરી રહ્યો હતો, તથા બલચતુરંગ સૈન્ય અને વાહન - શિબિકાઓ વગેરેના સમુદાયથી તે ભરત ચક્રી યુક્ત હતો એથી સહસ્ર યક્ષોથી પરિવૃત્ત થયેલો તે રાજા ધનપતિ જેવો સમ્પત્તિશાલી લાગતો હતો, કેમકે ચક્રવર્તીનું શરીર બે હજાર વ્યન્તર દેવોથી અધિષ્ઠિત હોય છે. આ પ્રમાણે સુસજ્જ થઇને તે ભરત ચકી દિવ્ય ચક્રરત્નની પાછળ-પાછળ ચાલતો ચાલતો તથા એક યોજના અંતરાલથી પડાવ નાખતો નાખતો જ્યાં વરદામ તીર્થ હતું ત્યાં આવ્યો. આવા વિસ્તીર્ણ સ્કન્ધાવારનો પડાવ નાખી ને પછી તેણે પોતાના વાદ્ધકી રત્નને બોલાવ્યો. તેને બોલાવીને પછી રાજાએ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે યથા શીઘ મારા માટે એક આવાસ ને એક પૌષધશાળા બનાવડાવો અને પછી મને સૂચના આપો. તે વાર્તકીરત્ન આશ્રમ દ્રોણ મુખ પ્રામ, પત્તન, પુરવર, સ્કન્ધાવાર, ગૃહાપણ એ સર્વની વિભાગ રૂપમાં રચના કરવામાં નિપુણ હતો અથવા તેમજ ૮૧ વિભાગ વિભક્તવ્ય વાસ્તુક્ષેત્ર ખંડવાળી એવી ગૃહ ભૂમિકાઓમાં તથા એજ પ્રકારની ૬૪ ખંડવાળી અને ૧૦૦ પદ ખંડવાળી ગૃહ ભૂમિકાઓના અનેક ગુણ તેમજ દોષોનો તે જ્ઞાતા હતો સદ્ અસદુ વિવેક કરનારી બુદ્ધિરૂપ પંડાથી તે યુક્ત હતો ૪૫ દેવતાઓને યોગ્ય સ્થાને બેસાડવા વગેરે વિધિનો તે જ્ઞાતા હતો. વાસ્તુ પરીક્ષામાં વિધિજ્ઞ હતો. એ પૂર્વોક્ત પ્રકાર મુજબ અનેક ગુણ સમ્પન તે ભરત ચકી-સ્થપિતરત્ન-પદ્ધકિરત્ન કે જેને ભરત ચક્રીએ તપ તેમજ સંયમથી પ્રાપ્ત કરેલ તે છે તે વર્ધકીરત્ન કહેવા લાગ્યો-બોલો હું શું કરું? અને તેણે પોતાની ચિંતિતમાત્ર કાર્ય કરવાની દેવી શક્તિ મુજબ નરેન્દ્ર માટે પ્રાસાદ અને બીજાઓ માટે ભવનો એક મુહૂર્તમાં જ નિર્મિત કરી દીધાં. એ બધું કામ એકજ મુહૂર્તમાં નિષ્પન્ન કરીને પછી તેણે એક સુંદર પૌષધશાલા તૈયાર કરી દીધી. યાવતુ તે ભરતચક્રી પોતાની બાહ્ય ઉપસ્થાન શાળામાં જ્યાં ચાતુર્ઘટ અશ્વરથ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે વર પુરુષ ભરત ચક્રી તે વર મહારથ ઉપર સવાર થયો. કે તે મહારથ કેવો હતો. તે પૃથિવીતલ ઉપર શીધ્ર ગતિથી ચાલનાર હતો. તે યુક્ત હતો. હિમવાનુ પર્વતના વાયુરહિત અંદરના કંદરા પ્રદેશોમાં સંવર્તિત થયેલા વિવિધ રથરચનાત્મક તિનિશ વૃક્ષવિશેષરૂપ કાષ્ઠથી તે બનેલો હતો. જંબૂનદ નામક સુવર્ણ નિમિત એ રથની ધૂસરી હતી. એના અરકો કનકમય લઘુદંડ રૂપમાં હતા. પુલક, વરેન્દ્રનીલમાણ, સાચક, પ્રવાલ, સ્ફટિકમણિ, આદિ મણિ તેમજ વિદ્ગમ એ સર્વ પ્રકારના રત્નાદિકોથી તે વિભૂષિત હતો. દરેક દિશામાં ૧૨-૧૨ આમ બધા મળીને ૪૮ એમાં અરક હતા. રક્ત સ્વર્ણમય પટ્ટકોથી મહલુઓથી-દ્રઢીકત તેમજ ઉચિત એના બને તેબા હતા. વિશિષ્ટ-લષ્ટ-અતિ મનોહર નવી નલોખંડથી તેમાં કામ કરેલું હતું. તેમજ નવીન ચર્મની રજુઓથી આબદ્ધ હતા. એના બને પૈડાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy