SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વક્કારો-૩ ૧૩૭ દેવાધિષ્ઠિત હતું, પ્રણામ કરીને પછી તે જ્યાં ચક્રરત્ન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે મયુરચ્છિન નિર્મિત પ્રમાર્જનીને હાથમાં લીધી અને તેના વડે તેણે ચક્રરત્નની સફાઈ કરી સફાઈ કરીને પછી તેણે તેની ઉપર નિર્મળ જળધારા છોડી ગોશીર્ષ ચન્દનનું લેપન કર્યું. તેની પૂજા કરી. પછી તેણે તેની ઉપર પુષ્પો ચઢાવ્યાં, માળાઓ ધારણ કરાવી ગન્ધ દ્રવ્યો ચઢાવ્યાં, સુગન્ધિત ચૂર્ણ ચઢાવ્યું, વસ્ત્ર ચઢાવ્યું અને આભરણો ચઢાવ્યાં. પુષ્પ વગેરે ચઢાવીને તેણે તે ચક્રરત્નની સામે સ્વચ્છ, સ્નિગ્ધ, શ્વેત એવાં રજતમય સ્વચ્છ સરસ તંડુલોથી આઠ આઠ મંગળ દ્રવ્યો આલેખ્યા. તે મંગળ દ્રવ્યોના નામો આ પ્રમાણે છેસ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત, વદ્ધમાનક, ભદ્રાસન, મત્સ્ય, કળશ અને દર્પણ, એ આઠ મંગળ દ્રવ્યોને આલેખીને તેમજ તેમની અંદર અકારાદિ વર્ણોને લખીને આ પ્રમાણે તેમનો ઉપચાર કર્યો પુષ્પોને પાંચે આંગળીઓથી પકડીને તે લિખિત વણદિકની ઉપર ચઢાવ્યાં તે પુષ્પો પાંચ વર્ષોના હતાં. એ પુષ્પોને તેણે ત્યાં આટલી બધી માત્રામાં ચઢાવ્યાં કે ત્યાં તેમની ઉચાઈ જાનુના પ્રમાણ સુધી એટલેકે ૨૮ અંગુલ પ્રમાણ થઈ ગઈ, ત્યાર બાદ ચન્દ્રકાંત મણિઓના હીરાના તેમજ વૈડૂર્યમણિઓના જેવા વિમળદડવાળા અથવા એ મણિઓથી નિર્મિત દડવાળા તેમજ કાંચન અને મણિરત્નોથી જેમાં અનેક પ્રકારના ચિત્રોની રચના થઈ રહી વૈડૂર્યમણિનિમિત ધૂપદહન પાત્રને હાથમાં લઈને બહુજ સાવધાની પૂર્વક તેમજ આદર પૂર્વક તેણે ધૂપને તેમાં સળગાવ્યો. ચક્રરત્નની આશાતના ન થાય એ વિચારથી તે ધૂપ સળગાવીને પછી સાત-આઠ પગલાં ત્યાંથી દૂર ખસી ગયો. ત્યાંથી સાત-આઠ પગલાં પાછા ખસીને તેણે પોતાના ડાબા ઘૂંટણને ઉપર ઉઠાવ્યો. યાવતું પ્રણામ કર્યા, પ્રણામ કરીને ત્યાર બાદ તે આયુધશાળામાથી બહાર નીકળી ગયો. બહાર નીકળીને પછી તે જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા બેસવાની જગ્યા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને તે સિંહાસન ઉપર બેસી ગયો. બેસીને તેણે અષ્ટાદશ શ્રેણી-પ્રશ્રેણિના પ્રજાજનોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે અાલિકામહોત્સવ ઉજવો તેમાં વિક્રેય વસ્તુ પર જે રાજ્ય કર લે છે. તેને માફ કરી દો. ગાય વગેરે ઉપર જે દર, રાજદેય દ્રવ્ય લેવામાં આવે છે તેને પણ માફ કરી દો. લભ્ય વસ્તુને ગ્રહણ કરવા માટે જે ભૂમિ વગેરેને ખેડવામાં આવે છે, તેને પણ આઠ દિવસ માટે બંધ કરી દો. તથા જેના ઉપર જે કંઈ પણ લેણ દેણ હોય તે પણ બંધ કરી છે અથવા તો આ મહોત્સવ થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો વેપાર વગેરે થાય નહિ એવી રાજાજ્ઞાની ઘોષણા કરી દરેક વિનીતાવાસીજન એ ઉત્સવમાં મુદિત મનવાળો થઇને કોશલદેશવાસીઓની સાથે સાથે અનેકવિધ ક્રીડાઓ કરે. આ પ્રમાણે અષ્ટાલિકા મહોત્સવથી એ આયુધ રત્નની સારી રીતે આરાધના કરવા માટે આયોજન કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આજ્ઞાપિત થએલા તે શ્રેણિ પ્રશ્રેણિ રૂપ પ્રજાજન હર્ષથિ અત્યધિક આનંદિત થયા, સંતુષ્ટ થયા અને ભરત રાજાની આજ્ઞાનો સ્વીકાર કરીને પછી તેઓ સર્વે ભરત રાજા પાસેથી પાછા પોત-પોતાના સ્થાન પર આવી ગયા. પાછા ફરીને તેમણે ભરતરાજાની આજ્ઞા મુજબ નગરીમાં અલિકા મહોત્સવ ઊજવ્યો. એ ઉત્સવને ઊજવાવી ને પછી જ્યાં તે ભરત રાજા હતો ત્યાં આવ્યા આપી કે હે રાજા મહોત્સવ ઊજવવાની જેવી આજ્ઞા આપશ્રીએ આપી હતી તે મુજબ અમે તે મહોત્સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy