SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર ૮૫ ઉપર, સૂચિયોના અગ્રભાગની ઉપર, કે સૂચિયોના સંબંધવાળા ફલકોની ઉપર, બે સૂચિયોના અન્તરાલ મધ્ય પ્રદેશમાં, એજ રીતે પક્ષોની ઉપર, પક્ષો ની આજુબાજુમાં અને પક્ષ પુટાંતોમાં અનેક ઉત્પલ અનેક સૂર્ય વિકાસી કમલ યાવત્ લિન, સુભગ, સૌગન્ધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્રો અને સહસ્રપત્રો ખીલેલા રહે છે. તે બધા કમળો સર્વાત્મના રત્નમય છે, આ ઉત્પલાદિ બધા પ્રકારના કમળે વર્ષાકાળમાં ઉત્પન્ન થયેલા છત્રીના આકાર જેવી વનસ્પતિ વિશેષના આકાર જેવા છે. આ કારણથી હું ગૌતમ ! તેને પદ્મવર વેદિકો એ નામથી કહેવામાં આવેલ છે હે ભગવન્ આ પદ્મવ૨ વેદિકા શાશ્વત છે કે અશાશ્વત છે ? હે ગૌતમ ! આ પદ્મવર વેદિકા કચિત્ શાશ્વત છે, અને કથંચિત્ અશાશ્વત છે. હે ગૌતમ ! મેં જે એવું કહ્યું છે કે એ પદ્મવરવેદિકા કથંચિત શાશ્વત છે આ કથન વ્યાયિક નયની અપેક્ષાએ કરવામાં આવેલ છે. વર્ણપર્યાયોની, ગંધપર્યાયોની, રસપયિયોની, તથા સ્પર્શપર્યાયોની અપેક્ષાએ તથા બીજા પુદ્ગલોના વિધાન અને આગમનની અપેક્ષાથી તે આશાશ્વતી છે. તે કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે પદ્મવર વેદિકા કથંચિત્ નિત્ય છે અને કંચિત્ અનિત્ય છે. જે આ પદ્મવ૨ વેદિકા પહેલા ન હતી તેમ નથી. એ વર્તમાનમાં નથી એમ પણ નથી. અને ભવિષ્યમાં એ નહીં હોય એમ પણ નથી. આ પમવર વેદિકા પહેલાં પણ હતી વર્તમાંનમા પણ છે, અને ભવિષ્યમાં પણ એ સદા રહેશે. નિયત છે. અક્ષય અવ્યય છે. [૧૪] જગતીની ઉપર વર્તમાન પદ્મવરવેદિકાની બહારનો જે પ્રદેશ છે એ પ્રદેશમાં એક વિશાળ વનખંડ છે. જ્યાં અનેક પ્રકારના ઉત્તમોત્તમ વૃક્ષોના સમુદાય હોય છે વનખંડ કંઈક કમ બે યોજનનો હોય છે. અને તેનું ચક્રવાલ વિષ્લેભ જગતીના ચક્રવાલ વિખંભની જેવો છે. આ વનખંડ કૃષ્ણ વર્ણનું છે. વૃક્ષોના પત્રો પ્રાયઃમધ્ય અવસ્થામાં વર્તમાન હોય ત્યારે નીલવર્ણનું હોય છે. આ કારણથી એ વનખંડને કૃષ્ણ કહ્યું કારણ કે એ અવસ્થામાં તે કાળા વર્ણથી શોભયમાન હોય છે, કયાંક કયાંક એ વનખંડ હરિત છે કયાંક કયાંક કોઈ કોઈ પ્રદેશ વિશેષમાં આ વન નીલ છે, કેમકે નીલ વર્ણરૂપે તેનો પ્રતિભાસ થાય છે. યુવાઅવસ્થામાં કિસલય કુંપળ અવસ્થાને અને પોતાની લાલિમાને છોડીદે છે. ત્યારે તે હરિત અવસ્થામાં આવી જાય છે, તેથીજ એ પ્રમાણે કહેલ છે. કે આ વનખંડ કોઈ કોઈ ભાગમાં લીલાશ વાળા છે. જ્યારે પાન પોતાની પ્રૌઢાવસ્થામાં આવે છે, ત્યારે હરિતપણનો ધીરે ધીરે અભાવ થઈને શ્વેતપણું આવવા લાગે છે. શ્વેતપણામાં શીતળતાનો વાસ થઈ જાય છે. તેથી એ વનખંડ પણ તેના યોગથી કયાંક શીતવાયુના સ્પર્શવાળો છે એ વનખંડના વૃક્ષો એવા છે કે જેના મોટા મોટા મૂળિયા ઘણે દૂર સુધી જમીનની અંદરના ભાગમાં ઉંડે સુધી ઉતરી ગયેલા છે, આ વૃક્ષો પ્રશસ્ત પત્રોવાળા છે. પ્રશસ્ત પુષ્પોવાળા છે. પ્રશસ્ત ફળો વાળા છે. અને પ્રશસ્ત બીયાઓ વાળા છે. આ બધા વૃક્ષો સઘળી દિશાઓમાં અને સઘળી વિદિશાઓમાં પોત પોતાની શાખાઓ દ્વારા અને પ્રશાખાઓ દ્વારા એવી રીતે ફેલાએલા છે, કે જેનાથી એ ગોળ પ્રતીત થાય છે. મૂલ વિગેરે પરિપાટિ પ્રમાણેજ એ બધા વૃક્ષો સુંદર રીતે ઉત્પન્ન થયેલા છે. તેથી ઘણાજ સોહામણા લાગે છે. એ બધા વૃક્ષો એક એક સ્કંધવાળા છે અને અનેક શાખાઓ અને પ્રશાખાઓથી મધ્યભાગમાં એનો વિસ્તાર વધારે છે, વાંકી ફેલાવવામાં આવેલ બે ભુજાઓના પ્રમાણ રૂપ એક વ્યામ- થાય છે. જે કારણે એ અવિરલ પત્રોવાળા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy