SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , પદ-૭૩ ૪૦૧ મિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, અવસ્થિત કે અનવસ્થિત હોય છે? હે ગૌતમ ! આનુગામિક હોય છે પણ અનાનુગામિક હોતું નથી, વર્ધમાન હોતું નથી, હીયમાન હોતું નથી, પ્રતિપાતી હોતું નથી, અપ્રતિપાતી હોય છે, અવસ્થિત હોય છે, પણ અનવસ્થિત હોતું નથી. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! આનુગામિક પણ હોય છે, યાવતુ અનવસ્થિત પણ હોય છે. એ પ્રમાણે મનુષ્યોને કહેવું. વ્યન્તર, જ્યોતિષિક, વૈમાનિકોને નૈરયિકો જેમ જાણવા. પદ-૩૩નીમુનિદીપરત્તસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૩૪પ્રવીચાર) [૫૮૪-૫૮૫] અનન્તરાગ આહારક-આહાર વિષે આભોગ અને અનાભોગપણું, આહારપણે ગ્રહણ કરેલા પુદ્ગલો જાણતા નથી વગેરે, ૪ અધ્યવસાયોનું કથન, પ સમ્યક્તની પ્રાપ્તિ, ૬ તે પછી કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન સંબન્ધ પરિચારણા અને ૭ તેઓનું અલ્પબદુત્વ-એ [૫૮] હે ભગવન! નૈરયિકો અનત્તરાહાર-હોય? તે પછી શરીરની ઉત્પત્તિ. તે પછી પુદ્ગલોનું ગ્રહણ, તે પછી તેનો પરિણામ, તે પછી પરિચારણા- અને ત્યાર બાદ વિદુર્વણા કરે છે? હા ગૌતમ! તેમજ છે. હે ભગવન્! અસુરકુમારો ઉત્પત્તિ સમયે તુરત. આહાર કરનારા હોય છે. યાવતુ તે પછી પરિચારણા કરે છે? હા ગૌતમ! તેમજ છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું. હે ભગવન્! પૃથિવીકાયિકો અનન્તરાહાર-ચાવતું તે પછી વિદુર્વણા કરે છે? હા ગૌતમ! તેમજ જાણવું, પણ વિકવણા કરતા નથી. એ પ્રમાણે, ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ વાયુકાયિકો, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો નૈરયિકોની પેઠે સમજવા. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકો અસુરકુમારોની પેઠે જાણવા. [૫૮૭ હે ભગવન્! નૈરયિકોને આહાર શું આભોગનિવર્તિત-કે અનાભોગનિવર્તિત-છે? હે ગૌતમ ! બંને હોય છે. એ પ્રમાણે અસુરકુમારો યાવતુ વૈમાનિકોને જાણવું. પરન્તુ એકેન્દ્રિયોને આભોગનિર્વતિત-પણ અનાભોગનિવર્તિત આહાર હોય છે. હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે શું જાણે છે, દેખે છે અને તેનો આહાર કરે છે, અથવા જાણતા નથી અને આહાર કરે છે? હે ગૌતમ! તેઓ જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. એ પ્રમાણે તે ઇન્દ્રિયો સુધી જાણવું. ચઉરિન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! કેટલા એક જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે, અને કેટલા એક જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા, હે ગૌતમ! કેટલા એક જાણે છે, દેખે છે અને આહાર કરે છે. કેટલાએક જાણે છે દેખતા નથી અને આહાર કરે છે. કેટલા એક જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે. કેટલાએક જાણતા નથી અને આહાર કરે છે. એ પ્રમાણે મનુષ્યોને પણ કહેવું, વ્યત્તર અને જ્યોતિષ્ઠો નૈરયિકોની પેઠે જાણવા. વૈમાનિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! કેટલા એક જાણે છે, દેખે છે અને આહાર કરે છે, અને કેટલાએક જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. વૈમાનિકો બે પ્રકારના છે, માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમાયી સમ્યગ્દષ્ટિ થયેલા. એ પ્રમાણે જેમ પ્રથમ ઇન્દ્રિય ઉદેશકમાં કહ્યું છે તે પ્રમાણે કહેવું. નૈરયિકોને કેટલા અધ્યવસાયો કહ્યા છે? હે ગૌતમ! અસંખ્યાતા અધ્યવસાયો [26] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy