SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪-૩૦ 628 ૫૬-૩૦ પશ્યત્તા [૫૭૩] હે ભગવન્ ! કેટલા પ્રકારે પશ્યત્તા-સ્પષ્ટ દર્શનરૂપે બોધ કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારે. સાકાર પાસણયા અને અનાકાર પાસણયા. હે ભગવન્ ! સાકાર પાસણયા કેટલા પ્રકારે કહી છે ? હે ગૌતમ ! છ પ્રકારની. શ્રુતજ્ઞાનપાસણયા, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનપાસણયા. હે ભગવન્ ! અનાકારપાસણયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની છે- ચક્ષુદર્શન અનાકારપાસણયા, અવધિદર્શન, કેવલદર્શન. એ પ્રમાણે જીવોને પણ કહેવું. હે ભગવન્ ! નૈરયિકોને કેટલા પ્રકારની પાસણયા હોય છે ? હે ગૌતમ ! બે પ્રકારની. તે આ પ્રમાણે-સાકાર પાસણયા અને અનાકાર પાસણયા. હે ભગવન્ ! નૈરિયકોને સાકાર પાસણયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! ચાર પ્રકારની છે. શ્રુતજ્ઞાનપાસણયા, અવધિજ્ઞાનપાસણયા, શ્રુતઅજ્ઞાનપાસણયા અને વિભંગજ્ઞાનપાસણયા. હે ભગવન્ ! નૈરિયકોને અનાકારપાસણયા કેટલા પ્રકારની છે?હે ગૌતમ ! બે પ્રકારની છે. ચક્ષુદર્શનપાસણયા અને અવધિદર્શન પાસણયા. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્ ! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારની પાસણયા હોય છે ? હે ગૌતમ ! તેઓને એક શ્રુતઅજ્ઞાનસાકારપાસણયા હોય છે.એમ વનસ્પતિકાયિકોને સુધીજાણવું.હેભગવન્ ! બેઇન્દ્રિયો કેટલા પ્રકારની પાસણયા હોય છે ? હે ગૌતમ ! એક સાકાર પાસણયા હોય છે. એ પ્રમાણે તેઇન્દ્રિયોને પણ જાણવું. ચઉન્દ્રિયો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને પાસણાય-બે પ્રકારની કહી છે. સાકાર પાસણયા અને અનાકાર પાસણયા. સાકાર પાસણયા બેઇન્દ્રિયોને કહી છે તેમ કહેવી. હે ભગવન્ ! ચઉરિન્દ્રિયોને અનાકાર પાસણયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! એક ચક્ષુદર્શનરૂપે અનાકાર પાસણયા હોય છે. મનુષ્યોને જીવોની પેઠે કેહવું. બાકીના નૈયિકોની જેમ વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્ ! જીવો શું સાકારપશ્યત્તાવાળા છે કે અનાકાર પશ્યત્તાવાળા છે ? હે ગૌતમ ! જીવો સાકાર પશ્યત્તાવાળા પણ છે અને અનાકાર પશ્યત્તાવાળા પણ હોય છે. જે હેતુથી જીવો શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યતવજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિભંગજ્ઞાની છે તે હેતુથી સાકારપશ્યત્તાવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શની, અધિદર્શની અને કેવલદર્શની છે તે હેતુથી જીવો અનાકાર પશ્યત્તાવાળા છે. હે ભગવન્ નૈરિયકો સાકારપશ્યત્તાવાળા છે કે અનાકાર પશ્યત્તાવાળા છે ? હે ગૌતમ ! એમજ જાણવું. પરન્તુ સાકારપશ્યત્તામાં મનઃપર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની ન કહેવા. અને અનાકા૨પશ્યત્તામાં કેવલદર્શન નથી. એ પ્રમાણે સ્તનિત કુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! પૃથિવીકાયિકો સાકાર પશ્યત્તાવાળા હોય છે પણ અનાકા૨પશ્યત્તાવાળા નથી. પૃથિવીકાયિકોને એક શ્રુતઅજ્ઞાનરૂપે સાકારપશ્યત્તા કહી છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઇન્દ્રિયો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ સાકારપશ્યત્તાવાળા છે, પણ અનાકારપશ્યત્તાવાળા નથી. બેઇન્દ્રિયો બે પ્રકારની સાકારપશ્યત્તા કહી છે. જેમકે શ્રુતજ્ઞાન સાકારપત્તા અને શ્રુતઅજ્ઞાન સાકારપશ્યત્તા, એ પ્રમાણે તેઇન્દ્રિયોને પણ જાણવું. ચઉરિન્દ્રિયો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! ચરિન્દ્રિયો સાકાર૫શ્યત્તાવાળા પણ હોય છે અને અનાકા૨પશ્યત્તાવાળા પણ હોય છે. જે હેતુથી ચઉરિન્દ્રિયો શ્રુતજ્ઞાની કે શ્રુત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy