SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ' પ્રતિપત્તિ-૨ ૩૭ * સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્તની ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળની હોય છે. એ જ પ્રમાણે શર્કરા પ્રભાના નૈરયિક નપુંસકોથી લઈને સાતમી પૃથ્વીના નૈરયિક નપુંસકોનું અંતર પણ હોય છે. તિર્યંગ્યોનિક નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક અંતર કહ્યું છે. એક ઇન્દ્રિયવાળા તિર્યગ નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે.પૃથિીવ કાવિક, અપકાયિક, તેજસ્કાયિક, અને વાયુકાયિક નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું અંતર છે, વનસ્પતિ કાયિક નપું સકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર યાવતું અસંખ્યાત લોકનું છે. આ જ પ્રમાણે શેષ બે-ઈન્દ્રિય આદી નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું છે. સામાન્ય પણાથી મનુષ્ય નપુંસકનું અંતર ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે,તથા ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી મનુષ્ય નપુંસકોનું અંતર જઘન્ય થી એક સમયનું અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું છે. દેશોને અર્ધ પુદ્ગલ પરાવર્ત આ અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. એ જ પ્રમાણે કર્મભૂમિના નપુંસકોનું અંતર પણ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંત મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળરૂપ છે. જે પ્રમાણે સામાન્ય કર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું અંતર કહ્યું છે,એજ પ્રમાણે પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકોનું અંતર પણ ક્ષેત્ર અને ચારિત્ર ધર્મનો આશ્રય કરીને જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી સમજવું. અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળનું છે હરણની અપેક્ષાથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ સુધીનું અંતર કહ્યું એજ પ્રમાણેનું અંતર યાવત્ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોને પણ સમજવું. [૬૮] હે ભગવનું આ નૈરયિક નપુંસકોમાં તિર્યંગ્યનિક નપુંસકોમાં અને મનુષ્ય નપુંસકોમાં કોણ કોનાથી યાવત્ અલ્પ છે, કોણ કોનાથી વધારે છે, હે ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય નપુંસકો છે. તેના કરતાં નૈરયિક નપુંસકોનું પ્રમાણ અસંખ્યાત પણું વધારે છે. તેના કરતાં તિર્યગ્લોનિક નપુંસકો અનંત ગણા છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકોથી લઈને યાવતું અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિકોમાં સૌથી ઓછા અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસકો છે તે કરતાં છઠ્ઠીતમા નામની પૃથ્વી છે, તેના નૈરયિક નપુંસકો અસંખ્યાત ગણા છઠ્ઠી પૃથ્વી નૈરયિક યાવતુ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાત ગણા વધારે હોય છે. ત્રીજા પ્રકારના અલ્પ બહુપણાનું કથન સૌથી ઓછા ખેચર તિર્યગ્લોનિક નપુંસકો તેના કરતાં સ્થલચર તિર્યંગ્યો નિક નપુંસકો સંખ્યાતગણા 'વધારે હોય છે. તેના કરતાં જલચર તિર્યંગ્યોનિક નપુંસકો છે, તેઓ સંખ્યાતગણા વધારે છે. તેના કરતા ચાર ઈન્દ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસકો વિશેષાધિક છે. તેના કરતા ત્રણ ઈદ્રિય વાળા તિર્યંગ્યોનિક નપુંસકો વિશેષાધિક છે, તેના કરતાં બે ઈન્દ્રિયવાળા જે તિર્યંગ્યનિક નપુંસકો છે, તેઓ વિશેષાધિક છે, તેના કરતાં તેજસ્કાયિક એક ઈન્દ્રિય વાળા તિર્યંગ્યો નિક નપુંસક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૃથ્વીકાયિક એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy