SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ આહારની ઇચ્છા થાય છે. [૫૫૬] હે ભગવન્ ! નૈરયિકો શું એકેન્દ્રિય શરીરોનો આહાર કરે કે યાવત્ પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે ? હે ગૌતમ ! પૂર્વ ભાવની પ્રજ્ઞાપનાને અનુસરી અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એમ સ્તનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વભાવની પ્રજ્ઞાપનાને આશ્રયી એમ જ સમજવું. પ્રત્યુત્પન્ન વર્તમાન ભાવની પ્રજ્ઞાપનાની અપેક્ષાએ અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. બેઇન્દ્રિયો પૂર્વભાવની પ્રજ્ઞાપનાને આશ્રયી એમજ જાણવા. અને પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી અવશ્ય બેઇન્દ્રિય શરીરનો આહાર કરે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી પૂર્વભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી જાણવું. અને પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી અવ શ્ય જેને જેટલી ઇન્દ્રિયો હોય તે તેટલી ઇન્દ્રિયાવાળા શરીરોનો આહાર કરે છે. બાકી બધું નૈયિકોની પેઠે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ ! નૈરિયકો લોમાહાર- વાળા છે કે પ્રક્ષેપાહારવાળા છે ? હે ગૌતમ ! લોમાહારવાળા છે પણ પ્રક્ષેપાહારવાળા નથી. એ પ્રમાણે એકેન્દ્રિયો અને સર્વ દેવો કહેવા. બેઇન્દ્રિયો યાવત્ મનુષ્યો લોભાહાર વાળા પણ હોય છે અને પ્રક્ષેપાહારવાળા પણ હોય છે. પદ્મવણા - ૨૮/૧/૫૫૫ [૫૫૭] હે ભગવન્ ! નૈરિયકો ઓજઆહારવાળા અને મનોભક્ષી હોય છે ? હે ગૌતમ ઓજહારવાળા હોય છે પણ મનોભક્ષી હોતા નથી. એમ બધા ઔદારિક શરીરવાળા પણ જાણવા. વૈમાનિક સુધીના બધા દેવો ઓજઆહારવાળા અને મનોભક્ષી હોય છે. તેઓમાં જે મનોભક્ષી દેવો છે તેઓને અમે મન વડે ભક્ષણ કરવાને ઇચ્છીએ છીએ.’ એવું ઇચ્છાપ્રધાન મન થાય છે. તે દેવો જ્યારે એવો વિચાર કરે છે ત્યારે તુરત જ જે પુદ્ગલો ઇષ્ટ, કાન્ત યાવતુ મનને અનુકૂલ છે તે તેઓને મનોભક્ષણ રૂપે પરિણમે છે. જેમ શીત પુદ્ગલો શીતોનિવાળા જીવને આશ્રયી શીત રૂપે પરિણમીને રહે છે, ઉષ્ણ પુદ્ગલો ઉષ્ણયોનિવાળા જીવને આશ્રયી ઉષ્ણરૂપે થઇને રહે છે, એમ તે દેવો મનોભક્ષણ કરે છે ત્યારે તેઓનું આહારનું ઇચ્છાપ્રધાન મન નિવૃત્ત-શાંત થાય છે. પદ-૨૮ ઉદ્દેસો-૧ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃ-૨ [૫૫૮] આહાર, ભવ્ય, સંશી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિ. [૫૫૯-૫૬૦] હે ભગવન્ ! જીવ શુંઆહા૨ક હોય કેઅનાહાક હોય ? કદાચઆહા૨ક હોય અને કદાચ અનાહારક હોય. હે ભગવન્ ! નૈરિયક શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે અસુરકુમાર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ ! સિદ્ધ શું આહારક છે કે અનાહારક છે ? હે ગૌતમ ! આહારક નથી, પણ અનાહારક છે. હે ભગવન્ ! જીવો શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! આહા૨ક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. નૈયિકો સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! બધા ય આહા૨ક હોય, ૨ અથવા બધા આહારક હોય અને એક અનાહારક હોય, અથવા ઘણા આહારક હોય અને ઘણા અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. પરન્તુ એકેન્દ્રિયો જીવોની પેઠે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy