SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ પન્નવણા - ૨૮/૧/૫૫૨ યાવતું દસગુણ કાળાવર્ણવાળા, સંખ્યાત ગુણ, અસંખ્યાતગુણ કે અનન્તગુણ કાળાવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે? હે ગૌતમ ! તેમજ છે. આહાર કરે છે. એ પ્રમાણે યાવતુ અનન્તગુણ શુક્લવર્ણવાળા ગુગલોનો પણ આહાર કરે છે. એમ ગબ્ધ અને રસની અપેક્ષાએ પણ સમજવું. ભાવથી જે સ્પર્શવાળા પુગલોનો આહાર કરે છે તેમાં એક સ્પર્શવાળાનો, બે સ્પર્શવાળાનો અને ત્રણ સ્પર્શ વાળાનો આહાર કરતો નથી, પરન્તુ ચાર સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે, યાવતું આઠ સ્પર્શવાળાનો પણ આહાર કરે છે. વિશેષમાર્ગણાને આશ્રયી કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે, યાવતુ. રક્ષ પુદ્ગલોનો પણ આહાર કરે છે. સ્પર્શથી બે કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે તે એકગણ કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે, યાવતુ અનન્તગુણ કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે? હે ગૌતમ ! એકગુણ કર્કશ યુગલોનો પણ આહાર કરે છે, યાવત્ અનન્તગુણ કર્કશ પુગલોનો પણ આહાર કરે છે. એમ આઠે સ્પર્શી કહેવા. યાવતું અનન્તગુણ રુક્ષ પુગલોનો પણ આહાર કરે છે. હે ભગવન્! જે અનન્તગુણ રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે તે શું ધૃષ્ટ-પુદ્ગલોનો આહાર કરે છે કે નહિ સ્વલા યુગલોનો આહાર કરે છે? હે ગૌતમ! સ્પર્શેલા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે, પણ નહિ સ્પર્શેલા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરતો નથી-ઇત્યાદિ જેમ ભાષા ઉદેશકમાં કહ્યું છે તેમ યાવત્ છ દિશામાં રહેલા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. સામાન્ય કારણથી અપેક્ષાએ વર્ણથી કાળાં અને લીલાં, ગધથી દુર્ગન્ધી, રસથી કડવાં અને સ્પર્શથી કર્કશ, ગુર, શીત અને રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓના પૂર્વના વર્ણગુણ,ગધગુણ,રસગુણ અને સ્પર્શગુણનો વિપરિણામ કરી, પરિપીડન કરી, નાશ કરી, વિધ્વંસ કરી બીજા અપૂર્વ વર્ણગુણ, રસગુણ અને સ્પર્શગુણને ઉત્પન્ન કરી પોતાના શરીરરૂપે ક્ષેત્રમાં રહેલાં પગલોની સર્વ આત્મા વડે આહાર કરે છે. હે ભગવન્! નૈરયિકો સર્વતઃ આહાર કરે છે, સર્વતઃ પરિણમાવે છે, સવત્મા વડે ઉચ્છવાસ લે છે, સર્વાત્મા વડે નિઃશ્વાસ મુકે છે. વારંવાર આહાર કરે છે, વારંવાર પરિણમાવે છે, વારંવાર ઉચ્છવાસ લે છે અને વારંવાર નિ:શ્વાસ મુકે છે, કદાચિત્ આહાર કરે છે, કદાચિતુ પરિણાવે છે, કદાચિતુ ઉચ્છવાસ લે છે અને કદાચિતું નિઃશ્વાસ મુકે છે? હે ગૌતમ! એ પ્રમાણે તેજ કહેવું. હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલોના કેટલા ભાગનો ભવિષ્ય કાળે આહાર કરે છે, કેટલા ભાગનો આસ્વાદ કરે છે ? હે ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહારપણે ઉપયોગ કરે છે અને અનન્તમા ભાગનો આસ્વાદ લે છે. હે ભગવન્નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે બધા પુદ્ગલોનો આહાર કરે છે કે બધા પુદ્ગલોનો આહાર કરતો નથી? હે ગૌતમ ! તે બધા અપરિશેષ પુદ્ગલોનો આહાર કરે છે. હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ ! તેઓને શ્રોત્રેન્દ્રિય પણે, યાવતું સ્પર્શેન્દ્રિયપણે, અનિષ્ટપણે, અકાન્તપણે, અપ્રિયપણે, અશુભપણે, અમનોજ્ઞપણે, અમનોહરપણે, અનિચ્છનીયપણે, અનભિલાષિતરૂપે, અધોપણે ભારે પણે પણ ઊર્ધ્વપણે-લઘુપણે નહિ, દુખરૂપે પણ સુખરૂપે નહિ એવા પ્રકારે એઓને વારંવાર પરિણમે છે. [પપ૩] હે ભગવન્! અસુરકુમારો આહારની ઇચ્છાવાળા હોય? હા ગૌતમ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy