SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૨૪ ૩૮૫ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા પણ હોય. હે ભગવન્! જીવ આયુષ કર્મ બાંધતો કેટલી કર્મપ્રકતિઓ બાંધે ? હે ગૌતમ ! અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું.એમ બહુવચન વડે પણ સમજવું.હેભગવનું ! નામ, ગોત્ર અને અન્તરાય કર્મનો બન્ધ કરતો જીવ કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મનો બન્ધ કરતો જેટલી કમપ્રકૃતિ બાંધે તેટલી કહેવી. એમ નૈરયિકથી માંડી વૈમાનિકો સુધી કહેવું. એ પ્રમાણે બહુવચન વડે પણ કહેવું. | પદ-૨૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨પકર્મવેદ) પિ૪૭] હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણ, યાવતુ અંતરાય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓ વેદે ? હે ગૌતમ ! અવશ્ય આઠ કર્મપ્રકતિઓ વેદ. એમ નૈરયિકથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે બહુવચન વડે પણ સમજવું. એ રીતે વેદનીય સિવાય યાવત્ અંતરાય સુધી જાણવું. હે ભગવન્! જીવ વેદનીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓ વેદે ? હે ગૌતમ ! સાત, આઠ કે ચાર કમપ્રકૃતિઓ વેદ. એ પ્રમાણે મનુષ્ય પણ વેદે. બાકીના નૈરયિકથી આરંભી વૈમાનિક સુધી એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓ વેદે. હે ભગવનું ! જીવો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ વેદે ? હે ગૌતમ ! બધા ય આઠ કર્મ વેદનારા અને ચાર કર્મ વેદનારા હોય. અથવા આઠ કર્મ વેદનારા ચાર કર્મ વેદનારા અને એક સાત કર્મ વેદનાર હોય. અથવા આઠ કર્મ વેદનારા ચાર કર્મ વેદનારા અને સાત કર્મ વેદનારા હોય. એ પ્રમાણે મનુષ્યો પણ કહેવા. પદ-૨પનીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૬-કર્મવેદબન્ધ [૫૪૮] હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણ, યાવતુ અન્તરાય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી કહેવું. હે ભગવનું ! જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ ! સાત કર્મપ્રકૃતિઓનો બન્ધ કર, આઠ કર્મનો બન્ધ કરે, છ કર્મનો બન્ધ કરે અને એક કર્મનો પણ બન્ધ કરે. હે ભગવન્! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ ! સાત કર્મ બાંધે કે આઠ કર્મ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. મનુષ્ય જીવને પેઠે બાંધે છે. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કમપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધાય સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મના બાંધનારા અને એક છ કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મના બાંધનારા અને એક એક કર્મનો બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને એક કર્મના બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને એક એક કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ [25]. For Private & Personal Use Only Jain Education International . www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy