SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૨ પન્નવણા-૨૩/૨/પ૪૩ વરણચતુષ્કની જ્ઞાનાવરણીયની પેઠે અને સાતાવરેનીયની સામાન્ય વેદનીય કર્મની સ્થિતિ કહી છે તેમ ઈયપિથિક બન્ધ અને સાંપરાયિક બન્ધની અપેક્ષાએ કહેવી. અસા તાવેદનીય કર્મની સ્થિતિ નિદ્રાપંચકની પેઠે અને સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની ઔધિક-સ્થિતિ કહી છે તેમ બાંધે છે. મિથ્યાત્વમોહનીયની જઘન્ય અન્તઃકોટાકોટી અને ઉત્કૃષ્ટ સિત્તેર કોટી કોટી સાગરોપમ પ્રમાણ તથા સાત હજાર વર્ષનો અબાધાકાળ જાણવો. બાર કષાયની સ્થિતિ જઘન્ય એ પ્રમાણે અન્તઃકોટાકોટી અને ઉત્કૃષ્ટ ચાળીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે. સંજ્વલન, ક્રોધ, માન, માયા અને લોભનો બે માસ, માસ, અર્ધમાસ અને અન્તમુહૂર્ત એમ જઘન્ય સ્થિતિબન્ધ છે અને ઉત્કૃષ્ટ બાર કષાયની પેઠે છે. ચાર આયુષની જે ઔધિક સ્થિતિ કહેલી છે તે પ્રમાણે બાંધે છે. આહારક શરીર અને તીર્થંકરનામની જઘન્ય અન્ત. કોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. પુરુષવેદની જઘન્ય આઠ વર્ષની અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. યશકીતિનામ અને ઉચ્ચગોત્રની એ પ્રમાણે જાણવી. પરન્તુ જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત સંમજવી. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીય જેમ જાણવી. બાકી સર્વ સ્થાનોમાં સંઘયણ, સંસ્થાન વર્ણ અને ગંધની જઘન્ય અન્તઃકોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટ જે સામાન્ય સ્થિતિ કહી છે તેને બાંધે છે. પરન્તુ આ વિશેષતા છે કે અબાધા ન્યૂન કહેવાનો નથી. એમ સર્વ કર્મપ્રકૃતિઓની સ્થિતિ અનુક્રમે યાવતુ અંતરાય કર્મ સુધી કેહવી. પિ૪૪] હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર કોણ છે? હે ગૌતમ ! કોઈ પણ ઉપશમક કે ક્ષપક સૂક્ષ્મસંપરાય છે. હે ગૌતમ ! એ જ્ઞાનાવરણીય કર્મનો જઘન્યસ્થિતિબન્ધક છે. તે સિવાય બીજો અજઘન્ય સ્થિતિનો બન્ધક છે. એ પ્રમાણે એ પાઠ વડે મોહનીય અને આયુષ સિવાય બાકીના બધા કર્મનો માટે કહેવું. હે ભગવન્! મોહનીય કર્મનો જઘન્યસ્થિતિબન્ધક કોણ છે? હે ગૌતમ! કોઈપણ ઉપશમક કે ક્ષપક બાદરસપરાય હોય છે. હે ગૌતમ ! એ મોહનીય કર્મનો જઘન્યસ્થિતિ બન્ધક છે. તે સિવાય બીજો અજઘન્યસ્થિતિબન્ધક છે. આયુષકર્મનો જઘન્યસ્થિતિબન્ધક કોણ છે ? હે ગૌતમ ! અંસંક્ષેપ્યાદ્ધપ્રવિષ્ટ જેના આયુષબન્ધનો કાળ સંક્ષેપ કરી શકાય એમ નથી એવો જે જીવ છે, તેનું સર્વનિ રુદ્ધ-સૌથી થોડું આયુષ કે જે સૌથી મોટા આયુષ બન્ધના કાળના એક ભાગ રૂપે છે, એવા તે આયુષબન્ધના છેલ્લા કાળમાં વર્તતો પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપે એવી સૌથી જઘન્ય સ્થિતિ બાંધે છે. હે ગૌતમ ! એ આયુષ કર્મનો જઘન્યસ્થિતિબન્ધક છે. તે સિવાય બીજો અજઘન્યસ્થિતિબન્ધક છે. [૫૫] હે ભગવન્ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ શું નૈરયિક બાંધે, તિર્યંચયોનિક બાંધે, તિર્યંચયોનિક સ્ત્રી બાંધે, મનુષ્ય બાંધે, મનુષ્યસ્ત્રી બાંધે, દેવ બાંધે કે દેવી બાંધે ? હે ગૌતમ ! તે બધા બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો નારક ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પયક્તિઓ વડે પર્યાપ્ત, સાકાર-જ્ઞાનાપયોગવાળો, જાગતો, શ્રુતના ઉપયોગવાળો, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશ્યાવાળો, ઉત્કૃષ્ટ સંક્ષિપરિણામવાળો કે કાંઈક મધ્યમ પરિણામ વાળો હોય, આવા પ્રકારનો નારક ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો તિર્યંચ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy