SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ પનવા - ૨૩/૨/૫૪૨ એક હજારના ત્રીજા ભાગ વડે અધિક પૂર્વ કોટી વર્ષની બાંધે. એમ મનુષ્યાયુષની પણ સ્થિતિ જાણવી. તિર્યંચગતિનામની સ્થિતિ નપુંસક વેદના જેટલી અને મનુષ્યગતિ નામની સ્થિતિ સતાવેદનીય જેટલી સમજવી, એકેન્દ્રિય નામની અને પંચેન્દ્રિયનામની નપુંસક વદેની સ્થિતિ પ્રમાણે જાણવી. બેઇન્દ્રિય અને તેઇન્દ્રિય નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલીજ સ્થિતિ બાંધે. ચરિન્દ્રિયનામની પણ જઘન્ય પલ્યોપમના અસંખ્યા તમા ભાગે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલીજ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જ્યાં સાગરોપમના બે સપ્તમાંશ, ત્રણ કે ચાર સપ્તમાંશ અથવા અઠયા વીશ ભાગની સ્થિતિ હોય ત્યાં તેટલા ભાગ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવા. અને જ્યાં જઘન્યથી એક કે દોઢ સપ્તમાંશની સ્થિતિ હોય ત્યાં તેજ ભાગ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવો અને ઉત્કૃષ્ટ તેજ ભાગ પરિપૂર્ણ બાંધે એમ સમજવું. યશઃકીર્તિ અને ઉચ્ચગોત્રની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના એક સપ્તમાંશ એક સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પરિપૂર્ણ બાંધે છે. અન્તરાય સંબન્ધુ પ્રશ્ન, હે ગૌતમ ! જેમ જ્ઞાનાવરણીયની સ્થિતિ કહી છે તેમ કહેવી. યાવત્ ઉત્કૃષ્ટપણે તેજ પરિપૂર્ણ બાંધે છે. [૫૪૩] હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બન્ધ કરે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના પત્રીશ ત્રણ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી તેટલોજ પૂરો બન્ધ કરે. એમ પાંચ નિદ્રાનો બન્ધ પણ જાણવો. એ પ્રમાણે જેમ એકેન્દ્રિયોને કહ્યો છે તેમ બેઇન્દ્રિયોને પણ કહેવો. પરન્તુ પચીશગુણા સાગરોપમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન બન્ધ કહેવો. બાકી બધું પૂર્ણ બાંધે કરે છે. જે કર્મપ્રકૃતિને એકેન્દ્રિયો બાંધતા નથી તેને એ બેઇન્દ્રિયો પણ બાંધતા નથી. હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવો મિથ્યાત્વવેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન પચીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલોજ બન્ધ કરે છે, તિર્યંચાયુષનો જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર વસ અધિક પૂર્વકોટી વર્ષનો બન્ધ કરે છે. એ પ્રમાણે મનુષ્યાયુષનો પણ બન્ધ જાણવો. બાકી બધું એકેન્દ્રિયોની પેઠે યાવત્ અન્તરાય કર્મ સુધી કહેવું. હે ભગવન્ ! પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણ કર્મની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન પચાસગુણા ત્રણ સપ્તમાંશ સાગ રોપમ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલીજ સ્થિતિ બાંધે છે. એકેન્દ્રિયને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી તેથી તેઇન્દ્રિયોને પચાસગુણા સાગરોપમ સહિત કહેવી. હે ભગવન્ ! તેઇન્દ્રિય જીવો મિથ્યાત્વવેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે નયૂન પચાસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પૂરા પચાસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. તિર્યંચાયુષની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દિવસના ત્રીજા ભાગ સહિત સોળ દિવસ અધિક પૂર્વકોટી વરસની બાંધે છે. એ પ્રમાણે મનુષ્યાયુષની પણ જાણવી. બાકીનું બધું બેઈન્દ્રિયોને કહ્યું તેમ યાવત્ અન્તરાય કર્મ સુધી કહેવું. હે ભગવન્ ! ચઉરિન્દ્રિય જીવો જ્ઞાનાવરણની કેટલી સ્થિતિ બાંધે. હે ગૌતમ ! For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy