SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ૫નવણા - ૨૨-૨૨૯ ગૌતમ! કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત હોય, કોઈ જીવ કોઇ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત ન હોય. કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકારણિકી અને પ્રàષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે અયુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે અયુક્ત હોય. પિ૩૦) હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ!પાંચ.આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિક, અપ્રત્યાખ્યાત ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયિકી. હે ભગવન! આરંભિકી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઇ પણ પ્રમત્ત સંયતને હોય છે. હે ભગવન્! પારિગ્રહિતી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ ! કોઇ સંયતાસંત-ને હોય છે. હે ભગવનું ! માયાપ્રત્યયિકી ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ ! કોઈ પણ અપ્રમત્ત સંયતને હોય છે. હે ભગવન્! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઇ પણ અપ્રત્યાખ્યાનીને હોય છે. હે ભગવન્! મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ! કોઈ પણ મિથ્યા દષ્ટિને હોય છે. હે ભગવનું ! નૈરયિકોને કેટલી ક્રિયાઓ કહી છે ? હે ગૌતમ ! પાંચ. આરંભિકી, યાવતું મિથ્યાદર્શનપ્રત્યયિકી. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રહિક ક્રિયા હોય? જેને પારિગ્રહિકી ક્રિયા હોય છે તેને આરંભિકી ક્રિયા હોય? હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રહિક ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને પારિગ્રહિતી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. હે ભગવન્! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય- ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા અવશ્ય હોય, જેને માયા પ્રત્યયિકી હોય તેને આરંભિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન!જે જીવને આરંભિક ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. એ પ્રમાણે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાની સાથે યોગ કરવો. એમ પારિગ્રહિતી ક્રિયાનો પણ ઉપરની ત્રણ ક્રિયાઓની સાથે વિચાર કરવો. જેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે તેને ઉપરની બે ક્રિયાઓ કદાચ હોય અને કદાચ ન હોય, જેને ઉપરની બે ક્રિયાઓ હોય છે તેને માય પ્રત્યયિકી અવશ્ય હોય. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા હોય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય છે, નરયિકને પ્રથમની ચાર ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. જેને એ ચાર ક્રિયાઓ હોય છે તેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ભજ નાએ હોય છે. જેને મિથ્યાદર્શન પ્રત્યાયિકી ક્રિયા હોય છે તેને એ ચાર ક્રિયાઓ અવશ્ય હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકથી આરંભી ચઉરિન્દ્રિય સુધીના જીવોને પાંચે ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. પંચેન્દ્રિય તિર્યંચને પ્રથમની ત્રણ ક્રિયાઓ પરસ્પર અવશ્યા હોય છે. જેને એ ક્રિયાઓ હોય છે તેને ઉપરની બન્ને ક્રિયાઓ ભજનાએ હોય છે. જેને ઉપરની બન્ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy