SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ પન્નવણા - ૨૧/-/પર૧ માત્ર, અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ લોકાન્ત સુધી હોય. મારણાત્તિક સમુદ્દઘાત વડે યુક્ત એકેન્દ્રિય જીવના તૈજસ શરીરની કેટલી મોટી, શરીરાવગાહના હોય ? હે ગૌતમ ! એમજ સમજવી. એ પ્રમાણે યાવતુ-પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સુધી જાણવી. હે ભગવનું ! મારણાન્તિક સમુદ્યાત વડે યુક્ત બેઈન્દ્રિય જીવની કેટલી મોટી શરીરાવગાહના હોય ? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર, લંબાઈમાં જઘન્યથી અંગુલનો. અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ તીરછા લોકથી માંડી લોકાત્ત સુધીની હોય છે. એ પ્રમાણે યાવતું ચઉરિન્દ્રિય સુધી જાણવું. હે ભગવન્! મારણાત્તિક સમુદ્યાત વડે યુક્ત નૈરયિકના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જઘન્યથી કંઈક અધિક એક હજાર યોજન અને ઉત્કૃષ્ટ નીચે સાતમી નરકમૃથિવી સુધી, તીરછું સ્વયંભૂરમણ સમુદ્ધ પર્યન્ત અને ઊથ્વી લોકમાં પંડકવનમાં પુષ્કરિણી સુધી હોય છે. હે ભગવન્! મારણાન્તિક સમુદ્દાત વડે યુક્ત પંચેન્દ્રિય તિર્યંચના તૈજસ શરીરની કેટલી મોટી અવગાહના હોય ? હે ગૌતમ ! જેમ બેઇન્દ્રિયના શરીરની કહી છે તેમ જાણવી. હે ભગવન્! મરણસમુદુઘાત વડે યુક્ત મનુષ્યના તૈજસ શરીરની કેટલી મોટી શરીરાવગાહના હોય ? હે ગૌતમ ! સમય ક્ષેત્ર-મનુષ્ય ક્ષેત્રથી માંડી લોકાન્ત સુધીની હોય છે. હે ભગવન્! મરણ સમુદ્યાત વડે યુક્ત અસુરકુમારના તૈજસ શરીરની કેટલી મોટી શરીરાવગાહના હોય છે ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ નીચે યાવત્ ત્રીજી નરકમૃથિવીના હેઠેના ચરમાન્ત સુધી, તીરછું યાવતું સ્વયંભૂરમણ સમુદ્રના બહારની વેદિકાના અન્ત સુધી અને ઉપર ઈષ~ામ્ભારા પૃથિવી સુધી હોય છે. એમ યાવતુ સ્વનિતકુમારના તૈજસ શરીરની અવગાહના છે. વ્યન્તર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવોને એમ સમજવું. હે ભગવનું ! મારણાત્તિક સમુદુદ્દાત વડે યુક્ત સનકુમાર દેવના તેજસ શરીરની કેટલી મોટી શરીરાવગાહના હોય છે ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઇમાં શરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચે યાવતું મહાપાતાલ કલશના બીજા ત્રિભાગ-બે તૃતીયાંશ સુધી, તીરછું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર અશ્રુત દેવલોક સુધી હોય છે. એ પ્રમાણે યાવતું સહસ્ત્રાર દેવના તૈજસ શરીરની અવગાહના જાણવી. હે ભગવન્! મારણાત્તિક સમુદુઘાત વડે યુક્ત આનત દેવના તૈજસ શરીરની કેટલી મોટી અવગાહના હોય છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઈમાં શરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ યાવતુ અધોલૌકિક ગ્રામ સુધી તથા તીરછું યાવતુ મનુષ્યક્ષેત્ર અને ઊર્ધ્વ અય્યત દેવલોક સુધી હોય છે. એ પ્રમાણે આરણ દેવ સુધી જાણવું. અશ્રુત દેવને એમજ સમજવું. પરન્તુ ઉપર પોત પોતાના વિમાન સુધી હોય છે. હે ભગવન્! મરણ સમુદ્દાત વડે યુક્ત રૈવેયક દેવના તૈસ શરીરની કેટલી મોટી શરીરાવગાહના હોય ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીપ્રમાણ અને લબાઈમાં જઘન્યથી વિદ્યાધરની શ્રેણિ પર્યન્ત તથા ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી હોય છે. તીર છું યાવતું મનુષ્યક્ષેત્ર પર્યન્ત અને ઉપર યાવતું પોત પોતાના વિમાન સુધી હોય છે. અનુત્તરૌપપાતિકને પણ એમ જ સમજવું. હે ભગવન્! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy