SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૨૧ ૩૫૫ તેઓને છ સંસ્થાનો હોય છે, મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા પ્રકારના સંસ્થાન વાળું હોય છે ? હે ગૌતમ ! છ પ્રકારના સંસ્થાનવાળું હોય છે. તે આ પ્રમાણે- સમચતુસ્ર સંસ્થાનવાળું. યાવત્ હુંડસંસ્થાન વાળું. પર્યાપ્તા અને અપર્યાા શરીર પણ એમજ જાણવાં. ગર્ભજના તથા ગર્ભજ પર્યાપ્તા અને અપર્યાપ્તાના એમજ સમજવાં. સંમૂર્ણિમ મનુષ્યો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ હુંડસંસ્થાનવાળા હોય છે. [૫૧૨] હે ભગવન્!ઔદારિકની શરીરની કેટલી મોટીશરીરાવગાહનાકહીછે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યોજન પ્રમાણે કહી છે. એકેન્દ્રિય ઔદારિક શરીરની અગાહના પણ જેમ ઔધિકસામાન્ય ઔદારિક શરીરની અવગાહના કહી છે તેમ જાણવી. હે ભગવન્ ! પૃથિવી કાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરની કેટલી મોટી શીરાવગાહના છે ? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. એમ પર્યાપ્તા અને અપર્યાપ્તાની પણ જાણવી. એ પ્રમાણે સૂક્ષ્મ, પર્યાપ્તા અને અપર્યાપ્તા તથા બાદ૨ પર્યાપ્તા અને અપ વિમાની પણ અવગાહના જાણવી. એ પ્રમાણે એ નવ ભેદ પૃથિવીકાયિકાયિકોના કહ્યા તેમ અાયિકો, તેજસ્કાયિકો અને વાયુકાયિકોના પણ કહેવા. હે ભગવન્ ! વનસ્પતિ કાયિક ઔદારિક શરીરની કેટલી મોટી શીરાવગાહના છે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી કાંઇક અધિક હજાર યોજન પ્રમાણ હોય છે. અપર્યાપ્તા જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ, પર્યાપ્તાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યોજન પ્રમાણ, બાદરની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યોજન હોય છે. પર્યાપ્તાની પણ એમજ જાણવી. અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાત મો ભાગ સમજવી. સૂક્ષ્મ, પર્યાપ્તા અને અપર્યાપ્તા ત્રણેની શરીરાવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણવી. હે ભગવન્ ! બેઇન્દ્રિય ઔદારિક શરીર ની કેટલી મોટી શરી૨ાવગાહના હોય છે ? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણે હોય છે. એમ બધા સ્થળે અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંકુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. પર્યાપ્તાની અવગાહના જેમ સામાન્ય બેઇન્દ્રિય ઔદારિક શરીરની કહી છે તેમ જાણવી. એ પ્રમાણે તેઇન્દ્રિયની ત્રણ ગાઉ અને ચઉરિન્દ્રિયની ચાર ગાઉ શરીરાવગાહના હોય છે. પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ હજાર યોજન પ્રમાણ હોય છે. એમ સંમૂર્છિમની અને ગર્ભજની પણ જાણવી. એમ નવ ભેદ કહેવા. એ પ્રમાણે જલચરની પણ અવગાહના હજાર યોજન પ્રમાણ જાણ વી અને તેના નવ ભેદ કહેવા. સ્થલચરના પણ નવ ભેદ કહેવા. તેની ઉત્કૃષ્ટ અવ ગાહના છ ગાઉ પ્રમાણ છે. પર્યાપ્તાની પણ ઉત્કૃષ્ટ એ પ્રમાણે છ ગાઉની હોય છે. એમ સંમૂર્ણિમ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ગાઉપૃક્તવ જાણવી. ગર્ભજ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ છ ગાઉ, ઔધિકસામાન્ય ચતુષ્પદ, પર્યાપ્તા અને ગર્ભજ પર્યાપ્તાની પણ ઉત્કૃષ્ટ છ ગાઉ, સંમૂર્ણિમ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ગાઉપૃથક્તવ, એ પ્રમાણે ઉપરિસર્પની પણ ઔધિક, ગર્ભજ અને પર્યાપ્તાની હજાર યોજન જાણવી. સંમૂર્છિમની યોજન પૃથક્ક્સ, ભુજપરિસર્પ ઔધિક અને ગર્ભજની પણ ઉત્કૃષ્ટ ગાઉપૃક્તવ, સંમૂર્છિમની ધનુષ પૃથક્ત્વ, ખેચર ઔધિક, ગર્ભજ અને સંમૂર્છિમ ત્રણેની ઉત્કૃષ્ટ ધનુષપૃથક્ક્સ જાણવી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy