SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૮ ૩૪૧ કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કાળ હોય. એ પ્રમાણે યાવતુ અપર્યાપ્ત દેવી સુધી જાણવું. હે ભગવનું ! નૈરયિક પર્યાપ્ત નૈરયિક પર્યાપ્ત’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી હોય.હે ભગવનું ! તિર્યંચયોનિક પર્યાપ્ત “તિર્યંચયોનિક પર્યાપ્ત’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે પર્યાપ્ત તિર્યચસ્ત્રી સંબંધે પણ જાણવું. મનુષ્ય અને મા નુષી સંબંધે પણ એમજ સમજવું. જેમ પર્યાપ્ત નૈરયિકને કહ્યું તેમ પપ્તા દેવને જાણવું. હે ભગવન્! “પયપ્તિ દેવી એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ધૂન પંચાવન પલ્યોપમન સુધી હોય. [૪૭૪] હે ભગવન્! સેન્દ્રિય જીવ “સેન્દ્રિય’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! સેન્દ્રિય બે પ્રકારના છે, અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. હે ભગવન્! એકેન્દ્રિય “એકેન્દ્રિય' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જધન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાલ-વનસ્પતિકાળ સુધી હોય. હે ભગવન્! બેઈન્દ્રિય બેઇન્દ્રિય એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતો કાળ હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું. હે ભગવનું ! પંચેન્દ્રિય પંચેન્દ્રિય’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘનયથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કાંઇક અધિક હજાર સાગરોપમ સુધી હોય. અનિન્દ્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્! સેન્દ્રિય અપર્યાપ્તા સેન્દ્રિય અપર્યાપ્તા રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્તા સુધી જાણવું. હે ભગવન્! સેન્દ્રિય પર્યાપ્ત સેન્દ્રિય પર્યાપ્ત’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કાંઇક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. હે ભગવનુ ! પર્યાપ્ત એકેન્દ્રિય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વરસો સુધી હોય. બેઇન્દ્રિય પર્યાપ્તા સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વરસો સુધી હોય. તેઈન્દ્રિય પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાના દિવસો હોય. હે ભગવન્! ચઉરિન્દ્રિય પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા માસ પર્યન્તા હોય. હે ભગવન્! પંચેન્દ્રિય પર્યાપ્ત પંચેન્દ્રિય પયપ્તિ’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. ૪િ૭૫] હે ભગવન્! સકાયિક જીવ “સકાયિક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સકાયિક જીવ બે પ્રકારના છે. તે આ પ્રમાણે-અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. અને તેમાં જે અનાદિ સાન્ત છે, તેની જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કર્ષથી સંખ્યાતા વર્ષે અધિક બે હજાર સાગરોપમની કાયસ્થિતિ છે. હે ભગવન્! અકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અકાયિક સાદિઅનન્ત છે. સકાયિક અપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર મુહૂર્ત છે. એ પ્રમાણે ત્રસકાયિક અપર્યાપ્તા સુધી જાણવું, સકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy