SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૭, ઉદેસી-૫ ૩૩૯ તેના સ્પર્શપણે વારંવાર પરિણમે? હે ગૌતમ ! અહીંથી આરંભી જેમ ચોથો ઉદ્દેશક કહ્યો. તેમ વૈડૂર્યમણિના દ્રષ્ટાંત સુધી કહેવું. હે ભગવન્અવશ્ય કૃષ્ણલેશ્યા નીલ વેશ્યાને પામીને તેના સ્વરૂપપણે, યાવતુ તેના સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી? હા ગૌતમ ! પરિણમતી નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! તે તેના આકાર ભાવ-છાયા માત્ર વડે છે, તેના પ્રતિભાગ-પ્રતિબિંબ માત્ર વડે તે નીલલેશ્યા છે. પરન્તુ તે કણલેક્ષા નીલલેશ્યા રૂપે નથી. કૃષ્ણલેશ્યા ત્યાં સ્વસ્વરૂપમાં રહેલી નિીલ લેસ્થાને પ્રાપ્ત થાય છે. હે ભગવન્! અવશ્ય નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તદરૂપપણે યાવતુ વારંવાર પરિણમતી નથી? હે ગૌતમ! અવશ્ય પરિણમતી નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ! તે નીલલેશ્યા તે કાપોતલેશ્યાના આકારભાવ-છાયા માત્ર વડે હોય, અથવા તેના પ્રતિબિંબભાવ માત્ર વડે હોય છે. તે નીલલેશ્યા છે, પણ કાપોતલેયા નથી. તે સ્વસ્વરૂપમાં રહેલી નીલલેશ્યા કાપોત લેશ્યાને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કાપોતલેશ્યા તેજોવેશ્યાને પામીને, તેજલેશ્યા પાલેશ્યાને પામીને અને પદ્મલેશ્યા શુક્લલેશ્યાના પામીને તદરૂપપણે વારંવાર પરિણમતી નથી.] હે ભગવનું ! અવશ્ય શુક્લલેશ્યા પદ્મવેશ્યાને પામીને તદરૂપપણે યાવતુ વારંવાર પરિણમતી નથી ? હા ગૌતમ! શુક્લલેશ્યા વારંવાર પરિણમતી નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! તે શુક્લલેશ્યા પદ્મવેશ્યાના આકાર ભાવમાત્ર વડે હોય છે. યાવતુ તે શુક્લલેશ્યા છે, પણ પદ્મવેશ્યા નથી. શુક્લલેશ્યા પોતાના સ્વરૂપમાં રહેલી [પાલેશ્યાને] પ્રાપ્ત થાય છે. | પદ-૧૭-ઉદ્દેસા-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૧૭-ઉદ્દેશકઃ દ) [૪૭૦] હે ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ લેશ્યાઓ કહી છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા યાવતું શુક્લલેશ્યા. હે ભગવન્! મનુષ્યોને કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ વેશ્યાઓ કહી છે. હે ભગવન્! માનુષી સ્ત્રીને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ ! છ હે ભગવન્! કર્મભૂમિના મનુષ્યોને કેટલી વેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ જાણવું. હે ભગવન્! ભરત અને એરાવત ક્ષેત્રના મનુષ્યોને કેટલી વેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! એ પ્રમાણે મનુષ્યસ્ત્રીને પણ કહેવું. પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહના કર્મભૂમિના મનુષ્યોને કેટલી લેશ્યા હોય? હે ગૌતમ ! છ એ પ્રમાણે મનુષ્ય સ્ત્રી ને પણ કહેવું. અકર્મભૂમિના મનુષ્ય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણ યાવતુ તેજોવેશ્યા. એ પ્રમાણે અકર્મભૂમિની મનુષ્યત્રીને પણ કહેવું. એમ અત્તર્કંપના મનુષ્યો અને માનુષીને પણ કહેવું. હૈમવત અને હૈરવત અકર્મભૂમિના મનુષ્યોને તથા મનુષ્યસ્ત્રીને કેટલી વેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! ચાર. હરિવર્ષ અને રમ્યક અકર્મભૂમિના. મનુષ્યો અને માનુષી સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! ચાર લેશ્યાઓ હોય છે. દેવકુરુ અને ઉત્તરકુર અકર્મભૂમિના મનુષ્યો એમજ જાણવા. એઓની મનુષ્ય સ્ત્રીને પણ એમજ સમજવું. એ પ્રમાણે ધાતકિખંડના પૂર્વાદ્ધિમાં અને પશ્ચિમાર્ગમાં પણ જાણવું. એમ પુષ્કરવર દ્વીપમાં પણ કહેવું. Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy