SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ પન્નવણા- ૧૭૩/૪so ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિભાગથી પર્વત ઉપર ચઢીને ચારે દિશા અને વિદિશામાં જુએ, તેથી તે પુરુષ પૃથિવીતલ ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચારે તરફ જોતો ઘણા ક્ષેત્રને જાણે, યાવતુ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે, હે ભગવન્! કાપોત લેશ્યાવાળો નૈરયિક નીલલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાનવડે ચારે તરફ જોતોજોતો કેટલા ક્ષેત્રને જાણે અને દેખે ? હે ગૌતમ ! ઘણાં ક્ષેત્રને જાણે અને દેખે, યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિ ઉપરથી પર્વત ઉપર ચઢે, અને ઉપર ચઢીને બન્ને પગ ઉંચા કરી ચોતરફ જુએ તેથી તે પર્વત ઉપર રહેલા અને પૃથિવી ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ જોતો ઘણા ક્ષેત્રને જાણે અને જુએ, યાવતુ સ્પષ્ટ ક્ષેત્રને જુએ, [૪૬૧] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનોમાં હોય? હે ગૌતમ! બે, ત્રણ અને ચાર જ્ઞાનમાં વર્તતો હોય. જો બે જ્ઞાનમાં હોય તો આશિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિબૌધિક, શ્રુતજ્ઞાન અને અવધિ જ્ઞાનમાં હોય. અથવા આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને મન પર્યવજ્ઞાનમાં હોય. ચાર જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં હોય. એ પ્રમાણે વાવતુ પદ્મલેશયાવાળો જાણવો. હે ભગવનું શુલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનમાં હોય? હે ગૌતમ ! બે, ત્રણ અને ચાર જ્ઞાનમાં હોય. જો બે જ્ઞાનમાં હોય તો આભિનિકબોધિકજ્ઞાન-ઇત્યાદિ જેમ કૃષ્ણલેશ્યાવાળાને કહ્યું તેમ જ કહેવું, યાવતુ ચાર જ્ઞાનમાં હોય. જો એક જ્ઞાનમાં હોય તો એક કેવલજ્ઞાનમાં હોય. પદ-૧૭-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૭-ઉદ્દેશકઃ૪) [૪૨] પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાઢ, વર્ગણા, સ્થાન અને અલ્પબદુત્વ એ પ્રમાણે પંદર અધિકાર ચોથા ઉદ્દેશકમાં છે. [૪૩] હે ભગવનું કેટલી વેશ્યાઓ છે? હે ગૌતમ! છ લેશ્યાઓ છે. કૃષ્ણલેશ્યા, યાવતુ શુક્લલેશ્યા. હે ભગવનું ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તેના રૂપપણે, તેના વર્ણપણે, તેના ગંધપણે,તેના રસપણે અને તેના સ્પર્શપણે વારંવાર પરિણમે?હા ગૌતમ! યાવતુવારંવાર પરિણમે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જેમ દૂધ છાશને પ્રાપ્ત કરી, અથવા શુદ્ધ વસ્ત્ર રંગને પ્રાપ્ત કરી તદ્રુપણે, યાવતુ તસ્પર્શપણે વારંવાર પરિણમે છે, એ પ્રમાણે એ પાઠ વડે નીલલેશ્યા કાપોતલેશ્યાને પામી, કાપોત. લેશ્યા તોલેશ્યાને પામી, તેજલેશ્યા પદ્મવેશ્યાને પામી અને પદ્મવેશ્યા શુક્લલશ્યાને પામી યાવતું વારંવાર પરિણમે. હે ભગવન ! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યા, કાપોત લેશ્યા, તેતેશ્યા, પત્લેશ્યા અને શુક્લલશ્યાને પામી તદ્રુપણે, તદ્વર્ણપણે, તગન્ધપણે, તદ્રસપણે અને તસ્પર્શપણે વારંવાર પરિણમે ? હા ગૌતમ! પરિણમે છે. હે ભગવન! - એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જેમ કોઈ વૈડૂર્ય મણિ હોય અને તે કાળા સૂત્રમાં, લીલા સૂત્રમાં, રાતા સૂત્રમાં કે ધોળા સૂત્રમાં પરોવ્યો હોય તો તÇપણે વાવતું વારંવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy