SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ પનવણા - ૧૭૨/૪૫૮ ઓને વિચાર કર્યો તેમ યાવતુ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. સંમૂઠ્ઠિમ અને ગર્ભજ પંચેદ્રિય તિર્યંચો, તિર્રીય સ્ત્રીઓ, એ બધાને એ પ્રમાણે કહેવું. યાવતુ અલ્પઋદ્ધિવાળા તેને લેશ્યાવાળા વૈમાનિક દેવો છે, અને સૌથી મહર્દિક શુક્લલેશ્યાવાળાવૈમાનિક દેવો છે. પદઃ ૧૭-ઉદેસાઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૧૭-ઉદ્દેશક ૩) [૫૯] હે ભગવન્! નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈરયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! નરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય, પણ નૈરયિક સિવાય અન્ય નૈરયિકોમાં ન ઉત્પન્ન થાય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક નૈરયિકોથી ઉદ્વર્તી-મરણ પામે કે અનૈરયિક-થકી ઉદ્વર્તે? હે ગૌતમ ! અનૈરયિક નૈરયિ કોથી ઉદ્વર્તે પણ નૈરયિક નૈરયિકોથી ન ઉદ્વર્તએ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! અવશ્ય કણલેશ્યા વાળો નૈરયિક કણલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને કુણલેશ્યાવાળો થઈ મરણ પામે ? હા ગૌતમ ! કૃષ્ણલયાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્યા વાળો મરણ પામે. એ પ્રમાણે નીલલેશ્યાવાળા સંબન્ધ અને કાપોતલેશ્યાવાળા સંબંધે જાણવું. એમ અસુરકુમારોથી આરંભી સ્વનિતકુમારો સુધી જાણવું. પરન્તુ અહીં લેશ્યા અધિક કહેવી. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકયિકોમાં ઉત્પન્ન થાય ? અને કૃષ્ણલેશ્યાવાળો થઈ મરણ પામે? હે ગૌતમ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવિ કાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચિતું કૃષ્ણલેશ્યાવાળો થઈ મરણ પામે, કદાચિત્ નીલલેશ્યા વાળો થઈ મરણ પામે અને કદાચિતુ કાપોતલેશ્યાવાળો થઈ મરણ પામે. એ પ્રમાણે નીલલેશ્યા અને કાપોતલેશ્યા સંબંધે જાણવું. હે ભગવનું ! અવશ્ય તેજલેશ્યાવાળો પૃથિવીકાયિક તેજલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. હા ગૌતમ ! અવશ્ય તેજોવેશ્યાવાળો પૃથિવીકાયિક તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચિતુ કૃષ્ણલેશ્યાવાળો ઉદ્વર્તે, કદાચિતુ નીલલેશ્યાવાળો અને કદાચિત કાપોત લેશ્યાવાળો ઉદ્વર્તે. તેજોવેશ્યાવાળો ઉત્પન્ન થાય પણ તેજોવેશ્યાવાળો ન ઉદ્વર્તે. એ પ્રમાણે અપ્નાયિકો અને વનસ્પતિકાયિકો પણ જાણવા. તેજસ્કાયિકો અને વાયુકાયિકો એમ જ સમજવા. પરન્તુ એઓને તેજલેશ્યા નથી. બેઈન્દ્રિયો, તેઇન્દ્રિયો, અને ચઉરિન્દ્રયો ત્રણ લેશ્યાઓમાં એમજ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો જેમ પૃથિવીકાયિકો પ્રથમની ત્રણ વેશ્યાઓમાં કહ્યા તેમ છએ વેશ્યાઓમાં પણ કહેવા. વ્યન્તરો અસુરકુમારોની પેઠે જાણવા. હે ભગવન્! શું તેજલેશ્યાવાળો જ્યોતિષિક તેજોવેશ્યાવાળા જ્યોતિષિકોમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ અસુરકુમાર સંબંધે કહ્યું તેમ કહેવું. વૈમાનિકો પણ એમજ સમજવા, પરન્તુ બને સંબધે “ઍવે છે એવો પાઠ કહેવો. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોતલેશ્યાવાળો નૈરયિક કષ્ણલેશ્યાવાળા, નીલલેક્ષાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? અને કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળો ત્યાંથી ઉદ્ધતું ? જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે. હે ભગવન્! શું કૃષ્ણલેશ્યાવાળો યાવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy