SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૫-૧૬ ૩૨૩ જાય છે તે નૌકાગતિ. નયગતિ કેવા પ્રકારની છે ? જે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયોની ગતિ-પ્રવૃત્તિ, તે નયગતિ. છાયાગતિ કેવા પ્રકારની છે ? જે ઘોડાની છાયા, હાથીની છાયા, મનુષ્યની છાયા, કિન્નરની છાયા, મહોરગની છાયા, ગાંધર્વનો છાયા, વૃષભની છાયા, રથની છાયા અને છત્રની છાયાને અનુસરી ગમન કરે તે છાયાગતિ છાયાનુપાતગતિ કેવા પ્રકારની છે ? જે કારણથી પુરુષને છાયા અનુસરે છે, પણ પુરુષ છાયાને અનુસરતો નથી, તે છાયાનુપાતગતિ. લેશ્યાગતિ કેવા પ્રકારની છે ? કૃષણલેશ્યા નીલલેશ્યાને પામીને તદ્રુપપણે-તે વર્ણપણે, તે ગન્ધપણે, તે રસપણે અને તે સ્પર્શપણે જે વારંવાર પરિણમે છે, એ પ્રમાણે, નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તદ્રુપ પણે યાવતું તે સ્પર્શપણે પરિણમે છે, એમ કાપોતલેશ્યા પણ તેજોલેશ્યાને, તેજલેશ્યા પણ પદ્મવેશ્યાને અને પદ્મવેશ્યા પણ શુક્લલેશ્યાને પામીને જે તદ્રુપપણે યાવતુ પરિણમે છે તે વેશ્યાગતિ. લશ્યાનુપાતગતિ કેવા પ્રકારની છે ? જે લેગ્યા વાળાં દ્રવ્યો ગ્રહણ કરી મરણ પામે છે અને તે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે. જેમકે કૃષ્ણલેશ્યાવાળામાં, યાવતુ- શુક્લલેશ્યાવાળામાં, તે વેશ્યાનુપાતગતિ. ઉદ્દિશ્યપ્રવિભક્તગતિ કેવા પ્રકારની છે ? જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણી, ગણધર કે ગણાવચ્છકને ઉદ્દેશી ઉદ્દેશીને જે ગમન કરે તે ઉદ્દિશ્ય પ્રવિભક્તગતિ. ચતુઃ પુરુષપ્રવિભક્તગતિ કેવા પ્રકારની છે ? જેમકે ચાર પુરુષો એક સાથે તૈયાર થાય અને એક સાથે પ્રયાણ કરે એક સાથે તૈયાર થાય અને જુદા જુદા સમયે પ્રયાણ કરે જુદા જુદા કાળે તૈયાર થાય જુદા જુદા કાળે પ્રયાણ કરે અને જુદા જુદા કાળે તૈયાર થાય અને સાથે પ્રયાણ કરે તે ચતઃ પુરુષ પ્રવિભક્તગતિ. વક્રગતિ કેટલા પ્રકારની છે ? વક્રગતિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે ઘટ્ટનતા, સ્તંભનતા, શ્લેષણતા અને પતનતા. પંકગતિ કેવા પ્રકારની છે ? જેમ કોઈ પુરુષ પંક-કીચડમાં કે પાણીમાં પોતાના શરીરને ટેકો આપીને ગમન કરે તે પંકગતિ. બન્ધનવિમોચનગતિ કેવા પ્રકારની છે ? પક્વ થયેલાં અતિ પાકેલા અને બન્ધનથી જુદા થયેલા આમ્ર, અંબાડક, બીજોરાં, બીલાં. કોઠાં, ભવ્ય ફણસ, દાડમ, પારાવત, અખોડ, ચાર, બોર અને હિંદુકની નિવ્રયાઘાત નીચે સ્વાભાવિક ગતિ થાય તે બન્ધનવિમોચનગતિ. પદ-૧દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૭-લેશ્યા) - ઉદેસોઃ ૧ - [૪૨] સમઆહાર સમશરીર અને સમઉચ્છુવાસ, સમકર્મ સમવર્ણ, સમ લેશ્યા, સમવેદના,સમક્રિયા,અને સમઆયુષ-એ સાત અધિકારો પ્રથમ ઉદ્દેશકમાં છે. ૪િ૩ હે ભગવન્! નૈરયિકો બધા સમાન આહારવાળા, બધા સમાન શરીર વાળા અને બધા સમાન ઉચ્છુવાસ-નિઃશ્વાસવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના કહ્યા છે, મહાશરીરવાળા અને અલ્પશરીરવાળા. તેમાં જેઓ મહાશરીરવાળા છે તેઓ ઘણા પુલોનો આહાર કરે છે, ઘણા પુગલોને પરિણાવે છે, ઘણા પુદ્ગલોને ઉચ્છવાસરૂપે ગ્રહણ કરે છે અને ઘણા પુદ્ગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે, વારંવાર આહાર કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy