SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૫, ઉદ્દેસો-૨ ૩૧૩ હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. વ્યંતર, જ્યોતિષિક, યાવત્ ત્રૈવેયકપણામાં જેમ નારકપણામાં કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્ ! એક એક મનુષ્યને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે થયેલી હોય ? હે ગૌતમ ! કોઇને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને આઠ અથવા સોળ હોય. કેટલી વર્તમાન હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. હે ભગવન્ ! એક એક મનુષ્યને સર્વાર્થસિદ્ધદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે થયેલી હોય ? હે ગૌતમ ! કોઇને હોય અને કોઇને ન હોય, જેને હોય તેને આઠ હોય. કેટલી વર્તમાન હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. વ્યન્તર અને જ્યોતિષ્ક નૈયિકની પેઠે જાણવા. અને સૌધર્મદેવ પણ નૈયિકની જેમ કહેવો. પરંતુ સૌધર્મ દેવને વિજય, વૈજયંત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય ? હે ગૌતમ ! કોઇને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી વિદ્યમાન હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? હે ગૌતમ ! કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય. જેને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. સર્વાર્થસિદ્ધદેવપણામાં નૈરિયકની પેઠે કહેવું એ પ્રમાણે યાવત્ ત્રૈવેયકદેવને યાવત્ સર્વાર્થસિદ્ધદેવપણામાં એમજ કહેવું. ન હે ભગવન્ ! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને નૈયિક પણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. બદ્ધ કેટલી હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચપણામાં કહેવું. મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે ન હોય. અને ભવિષ્યમાં થનારી આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. વ્યંતર અને જ્યોતિષ્કપણામાં નૈરકિપણામાં કહ્યું તેમ કહેવું. સૌધર્મદવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે નથી અને ભવિષ્યમાં થવાની કોઇને ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. એ પ્રમાણે યાવત્ ત્રૈવેયકપણામાં જાણવું. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવ પણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે કોઇને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને આઠ હોય. ટલી બદ્ધ હોય ? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવન્ ! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને સર્વસિદ્ધ દેવપણામાં કેટલી દ્રવ્યે ન્દ્રિયો અતીત કાળે હોય ? હે ગૌતમ ! ન હોય. કેટલી વર્તમાન કાળે હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવન્ ! એક એક સર્વાર્થસિદ્ધ દેવને નૈરિયકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય?કે ગૌતમ ! અનન્ત હોય, કેટલી વર્તમાન કાળે હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવત્ ત્રૈવેયકપણામાં જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનન્ત હોય. કેટલી વર્તમાન હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? આઠ થવાની હોય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy