SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ પન્નવણા- ૧૫/૨૪૪૩૫ હે ભગવનું કેટલા પ્રકારે ઇન્દ્રિયાવગ્રહણા-છે? હે ગૌતમ ! પાંચ પ્રકારે. શ્રોત્રેન્દ્રિયાવગ્રહ, યાવતુ સ્પર્શનેન્દ્રિયાવગ્રહ. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો ઈન્દ્રિયાવગ્રહ કહેવો. [૪૩] હે ભગવન્! કેટલા પ્રકારની ઇન્દ્રિયાપાય કહેલો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયાપાય, યાવતુ સ્પર્શનેન્દ્રિયાપાય. એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિકોને જાણવું, પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો અપાય જાણવો. હે ભગવન્! કેટલા પ્રકારની ઈહા છે? હે ગૌતમ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિય ઈહા, યાવતુ સ્પર્શનેન્દ્રિય ઈહા. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઈહા જાણવી. હે ભગવન્! કેટલા પ્રકારનો અવગ્રહ છે? હે ગૌતમ ! બે પ્રકારનો. અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ. હે ભગવનું ! વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારનો છે. શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, જિહુવેદ્રિયવ્યંજનાવગ્રહ, સ્પર્શનેન્દ્રિયવ્યંજનાવગ્રહ. હે ભગવનું ! અથવગ્રહ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! છ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયઅથવગ્રહ, ચક્ષુઈન્દ્રિય અર્થાવગ્રહ, ધ્રાણેન્દ્રિયઅર્થાવગ્રહ, જિહુ વેન્દ્રિય અર્થાવગ્રહ, સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ અને નોઈદ્રિયઅથવગ્રહ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો અવગ્રહ કહ્યો છે? હે ગૌતમ ! બે પ્રકારનો. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. એ પ્રમાણે અસુરકુમારોથી માંડી સ્વનિત કુમારી સુધી જાણવું. હે ભગવન્પૃથિવીકાયિકોને કેટલા પ્રકારનો અવગ્રહ છે ? હે ગૌતમ ! બે પ્રકારનો. અથવગ્રહ અને બૅનાવગ્રહ હે ભગવન્!પૃથિવીકાયિકોને વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! એક સ્પશદ્રિય વ્યંજનાવગ્રહ છે. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારનો અથવગ્રહ છે? હે ગૌતમ ! એક સ્પર્શેન્દ્રિ- યાર્થવગ્રહ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. એ પ્રમાણે બેઇન્દ્રિયોને પણ સમજવું. પરન્તુ બેઇન્દ્રિયોને વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ બે પ્રકારનો છે. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પણ જાણવું, પરન્તુ ઇન્દ્રિયોની વૃદ્ધિ કરવી. ચઉરિન્દ્રિયોને વ્યંજનાવગ્રહ ત્રણ પ્રકારનો અને અર્થાવગ્રહ ચાર પ્રકારનો છે. બાકીનાને વૈમાનિકો સુધી નૈરયિકોની પેઠે જાણવું. [૪૩૭] હે ભગવન્! ઇન્દ્રિયો કેટલા પ્રકારની છે? હે ગૌતમ ! બે પ્રકારની છે, તે આ પ્રમાણે-દ્રવ્યોદ્રિયો અને ભાવેન્દ્રિયો. હે ભગવાન! દ્રવ્યેન્દ્રિયો કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! આઠ કલેન્દ્રિયો છે. તે આ પ્રમાણે-બે શ્રોત્રે, બે નેત્ર, બે ઘાણ-જીભ અને સ્પર્શન. હે ભગવન્! નૈરયિકોને કેટલી દ્રવ્યોદ્રિયો હોય છે? હે ગૌતમ! એ આઠ જ હોય છે. એ પ્રમાણે અસુરકુમારોને યાવતુ સ્વનિતકુમારોને જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો હોય છે ? હે ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય હોય છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવનું ! બેઈન્દ્રિયોને કેટલી દ્રવ્યેન્દ્રિયો હોય છે ? હે ગૌતમ ! બે દ્રવ્યોદ્રિયો હોય છે. સ્પર્શનેન્દ્રિય અને જિલ્ડ્રવેન્દ્રિય. તેઈન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ! ચાર દ્રવ્યેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે ઘાણ-નાસિકા, જીભ અને સ્પર્શન. ચઉરિન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! છ દ્રવ્યેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે નેત્રો, બે નાસિકા, જીભ અને સ્પર્શન. બાકી બધા જીવોને નૈરયિકોની જેમ વૈમાનિક સધી જાણવું. હે ભગવન્! એક એક નૈરિયકને કેટલી દ્રવ્યોદ્રિયો અતીત-ભૂતકાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy