SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ પદ-૧૫, ઉદ્દેસો-૧ [૪૨]મારણાંતિક સમુઘાતને પ્રાપ્ત થયેલા ભાવિતાત્મા અનગારના જે ચરમ-નિર્જરાપુદ્ગલો છે તે હે આયુષ્માનું શ્રમણ ! સૂક્ષ્મ કહ્યાં છે? અને તે સર્વ લોકમાં અવગાહીને રહે છે ? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોનું અન્યપણું, નાનાપણું, હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણે છે અને જુએ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ-યુક્ત નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો હે ગૌતમ ! કોઈ દેવ પણ તે નિર્જરા પુદ્ગલોનું કંઈપણ અન્યપણું, ભિનપણું, હીનપણું, તુચ્છપણું, ગરપણું અને લઘુપણું જાણતો નથી, તેમ દેખતો નથી, તે માટે હે ગૌતમ! એમ કહેવાય છે પ્રમાણે હે આયુષ્માનુ શ્રમણ ! એમ એ પુદ્ગલો સૂક્ષ્મ કહ્યા છે, અને સર્વલોકને અવગાહીને રહે છે. હે ભગવન્! નૈરયિકો તે નિર્જરાપુદ્ગલો જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે ? અથવા જાણતો નથી, જોતો નથી અને આહાર કરે છે ? હે ગૌતમ ! નરયિકો. નિર્જરાપુદ્ગલોને જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરે છે. એ પ્રમાણે યાવતુ પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવું. હે ભગવન્! મનુષ્યો તે નિર્જરાપુદ્ગલોને શું જાણે છે, જુએ છે,અને તેનો આહાર કરે છે?અથવા જાણતા નથી,જોતા નથી અને આહાર કરે છે? હે ગૌતમ! કેટલાક જાણે છે, જુએ છે અને આહાર કરે છે, કેટલાકએક જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! મનુષ્યો બે પ્રકારના છે-સંજ્ઞીભૂત અને અંજ્ઞીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. અને તેમાં જે સંજ્ઞીભૂત છે તે બે પ્રકારના છે, તે આ પ્રમાણે ઉપયુક્ત અને અનુપયુક્ત તેમાં જે ઉપયોગરહિત છે તે જાણતા નથી, જોતા નથી, અને આહાર કરે છે. અને જે ઉપયોગવાળા છે તે જાણે છે, જુએ છે અને આહાર કરે છે. એ હેતુથી એમ કહું છું વ્યન્તર અને જ્યોતિષિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવનું ! વૈમાનિકો તે નિર્જરાપુદુગલોને શું જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે? હે ગૌતમ! મનુષ્યોની જેમ જાણવા. પરન્તુ વૈમાનિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે માયીમિથ્યાવૃષ્ટિઉપપત્નક અને અમારી સમ્યવૃષ્ટિઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાવૃષ્ટિઉપપન્નક છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહાર કરે છે. તેમાં જે અનાયી સમ્યવૃષ્ટિઉપ પન્નક છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે – અનન્તરોપપન અને પરંપરોપપન. તેમાં જે અનન્તરોપપન છે તે જાણતા નથી જોતા નથી, અને આહાર કરે છે. જે પરંપરરોપપન્નક છે તે બે પ્રકારના છે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપMિા છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. તેમાં જે પર્યાપ્તા છે તે બે પ્રકારના છે-ઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. જે ઉપયુક્ત છે તે જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે. ૪િ૨૭] હે ભગવન્! આદર્શને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, આત્માને પોતાને જુએ છે કે પ્રતિબિમ્બ જુએ છે? હે ગૌતમ ! આદર્શને જુએ છે, આત્માને-પોતાને જોતી નથી, પણ પ્રતિબિબ જુએ છે. એ પ્રમાણે એ પાઠ વડે અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્રો જાણવાં. ૪િ૨૮] હે ભગવન્! કંબલરૂપ શાટક-આવેષ્ટિત પરિવેખિત-હોય અને તે જેટલા અવકાશાન્તરને સ્પર્શીને રહે છે તે જે વિસ્તૃત કર્યું હોય તો તેટલાજ આકાપ્રદેશોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy