SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૫, ઉદ્દે સો-૧ ૩૦૫ મૃદુલઘુ ગુણો અનન્તગુણા છે. [૪૨૩] હે ભગવન્! નરયિકોને કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે. તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિય, યાવતું સ્પર્શનેન્દ્રિય. હે ભગવન્! નૈરયિકોને શ્રોત્રેન્દ્રિય કેવા આકારની છે ? હે ગૌતમ ! કદંબપુષ્પના આકાર જેવી છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઇન્દ્રિયોની વક્તવ્યતા કહી છે તેમ નૈરયિકોની પણ યાવતુ બંને પ્રકારના અલ્પબદુત્વ સુધી કહેવી. –હે ભગવન્! નૈરયિકોને સ્પર્શનેન્દ્રિય કેવા આકારની છે ? હે ગૌતમ ! તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે, તે આ પ્રમાણે ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તે બંને હૂંડક સંસ્થાનના આકાર જેવી છે. 'હે ભગવન્! અસુરકુમારોને કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઇન્દ્રિયો સંબંધે કહ્યું તેમ બન્ને પ્રકારના અલ્પબદુત્વ સુધી કહેવું. પરન્તુ તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે. તે આ પ્રમાણે-ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ્મસંસ્થાનના આકારવાળી છે, અને જે ઉત્તરવૈક્રિયરૂપ છે તે અનેક પ્રકારના આકારવાળી છે. યાવતુ સ્વનિતકુમારો સુધી સમજવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી ઇન્દ્રિયો હોય છે? હે ગૌતમ ! તેઓને એક સ્પર્શનેન્દ્રિય હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની હોય છે ? હે ગૌતમ ! મસૂરચંદ્રના આકાર જેવી હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય જાડાઈમાં કેટલી છે? હે ગૌતમ ! જાડાઈમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયનો વિસ્તાર કેટલો છે?હે ગૌતમ ! વિસ્તારમાં શરીરપ્રમાણ માત્ર હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશવાળી હોય છે ? હે ગૌતમ ! અનન્તપ્રદેશવાળી હોય છે. હે ભગવનું ! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશોની અવગાહનવાળી હોય છે ? હે ગૌતમ ! અસંખ્યાતા પ્રદેશોની અવગાહનાવાળી હોય છે. હે ભગવન્! એ પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે, પ્રદેશરૂપે અને અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય, કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ ! સૌથી થોડી પૃથિવીકાંયિકોની સ્પર્શનેન્દ્રિય અવગાહના રૂપે છે, એટલે તેના પ્રદેશોની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિયની અવગાહના સૌથી થોડી છે, અને તેજ પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયના કેટલા કર્કશ-ગુરુ ગુણો છે ? હે ગૌતમ ! અનન્તા છે. એમ મૃદુલઘુ ગુણો પણ પણ જાણવા. હે ભગવન્! એ પૃથિવી કાયિકોની સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અને મૃદુ-લઘુગુણોમાં કયા ગુણો કોનાથી. અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયના સૌથી થોડા કર્કશ-ગુરુ ગુણો છે, તેથી તેનાજ મૃદુ-લઘ ગુણો અનન્તા છે. એ પ્રમાણે અખાયિકો યાવતુ વનસ્પતિ કાયિકો સુધી જાણવું. પરન્ત સંસ્થાનમાં વિશેષતા છેઅકાયિકોની પરપોટાની આકૃતિ જેવી, તેજસ્કાયિકોની સોયનાજત્થાનાદેવી, વાયુ કાયિકોની ધ્વજાનાજેવી અને વનસ્પતિકાયિકોની અનેક પ્રકારના આકારવાળી સ્પર્શ નેન્દ્રિય જાણવી. હે ભગવન્! બેઈન્દ્રિયોને કેટલી ઈન્દ્રિયો હોય છે? હે ગૌતમ! બે ઇન્દ્રિયો હોય છે. જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. બન્ને ઈન્દ્રિયોનું સંસ્થાન, જાડાઈ, વિસ્તાર, પ્રદેશો અને અવગાહના જેમ સામાન્ય ઇન્દ્રિયોની કહી છે તેમ કહેવી. પરન્તુ 2િ0] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy