SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ પન્નવણા - ૧૩/-૪૦૬ [૪૦] હે ભગવન્! જીવપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! દસ પ્રકારનો. ગતિપરિણામ, ઇન્દ્રિયપરિણામ, કષાયપરિણામ, વેશ્યાપરિણામ, યોગપરિણામ, ઉપયોગપરિણામ, જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, ચારિત્રપરિણામ વેદપરિણામ. [૪૦૭] હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારે. નરકગતિપરિણામ, તિર્યંચગતિપરિણામ, મનુષ્યગતિપરિણામ અને દેવગતિ. પરિણામ. હે ભગવન્! ઇન્દ્રિયપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયપરિણામ, ચક્ષુઈન્દ્રિયપરિણામ, ધ્રાણેન્દ્રિયપરિણામ, જિલેન્દ્રિય પરિણામ અને સ્પર્શીને દ્રિયપરિણામ. હે ભગવન્! કષાયપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! ચાર પ્રકારનો.- ક્રોધકષાયપરિણામ, માનકષાયપરિણામ, માયાકષાયપરિ ણામ, અને લોભકષાયપરિણામ. હે ભગવન્! વેશ્યાપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! છ પ્રકારનો. -કૃષ્ણલેશ્યાપરિણામ, નીલલેશ્યા પરિણામ, કાપોતલેશ્યા પરિણામ, તેજલેશ્યાપરિણામ, પાલેશ્યાપરિણામ અને શુક્લલેશ્યા પરિણામ હેભગવનું ! યોગપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. મનોયોગ પરિણામ, વચનયોગપરિણામ, અને કાયયોગ પરિણામ. હે ભગવનું ! ઉપયોગપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો. -સાકારોપયોગપરિણામ અને અનાકારોપયોગ પરિણામ. હે ભગવન્! જ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો. આભિ નિબોધિકજ્ઞાનપરિણામ, શ્રુતજ્ઞાનપરિણામ, અવધિજ્ઞાન પરિણામ, મનઃ પર્યવજ્ઞાન પરિણામ અને કેવલજ્ઞાનપરિણામ. હે ભગવન્! અજ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો.- મતિઅજ્ઞાનપરિણામ, કૃતઅજ્ઞાન પરિણામ અને અને વિર્ભાગજ્ઞાનપરિણામ. હે ભગવન્! દર્શનપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. -સમ્યગ્દર્શનપરિણામ, મિથ્યાદર્શનપરિણામ અને સમ્ય શ્મિધ્યાદર્શનપરિણામ. હે ભગવન્! ચારિત્રપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો.- સામાયિકચારિત્રપરિણામ, છેદોપસ્થા પનીયચારિત્ર પરિણામ, પરિહારવિશુદ્ધિકચારિત્રપરિણામ, સૂક્ષ્મસંપરાયચારિત્ર પરિણામ, અને યથાખ્યાત ચારિત્રપરિણામ. હે ભગવનુ ! વેદપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો- સ્ત્રીવેદપરિણામ, પુરુષવેદપરિણામ અને નપુંસકવેદપરિણામ. નૈરયિકો ગતિપરિણામવડે નરકગતિવાળા, ઇન્દ્રિયપરિણામવડે પંચેન્દ્રિયો, કષાયપરિણામવડે ક્રોધકષાયવાળા યાવતુ લોભકષાયવાળા, વેશ્યાપરિણામવડે કષ્ણ લેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા, યોગપરિણામ વડે મનો યોગ વાળા, વચનયોગવાળા અને કાયયોગવાળા, ઉપયોગપરિણામ વડે સાકારઉપયોગ વાળા અને અનાકારઉપયોગવાળા, જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, શ્રત જ્ઞાની અને અવધિજ્ઞાની, અજ્ઞાનપરિણામ વડે મતિઅજ્ઞાની ઋતઅજ્ઞાની અને વિભંગ જ્ઞાની, દર્શનપરિણામ વડે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ હોય છે. ચારિત્રપરિણામ વડે-અવિરતિ હોય છે. વેદપરિણામ વડે નપુંસકવેદી હોય છે. અસુર કુમારો પણ એમજ જાણવા. પરન્તુ દેવગતિવાળા, કૃષ્ણલેશ્યાવાળા યાવતુ તેજોલેસ્યા વાળા, વેદપરિણામ વડે સ્ત્રીવેદવાળા અને પુરુષવેશવાળા હોય છે, પરન્તુ નપુંસક વેદવાળા હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy