SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૧ ૨૯૩ દ્રવ્યો ગ્રહણ કરે છે, –અસ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! સ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે પણ અસ્થિર દ્રવ્યો ગ્રહણ કરતો નથી. હે ભગવનું ! જે સ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું દ્રવ્યથી ગ્રહણ કરે છે,ક્ષેત્રથી ગ્રહણ કરે છે,કાળથી ગ્રહણ કરે છે,કે ભાવથી ગ્રહણ કરે છે? હે ગૌતમ! ચારે થી ગ્રહણ કરે છે. હે ભગવન્! જે દ્રવ્યથી ગ્રહણ કરે છે તે એકપ્રદેશ વાળાં ગ્રહણ કરે છે, બે પ્રદેશવાળા કે યાવતુ અનન્ત પ્રદેશવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ ! એક પ્રદેશવાળા કે વાવતું અસંખ્ય પ્રદેશવાળાં દ્રવ્યો ગ્રહણ કરતો નથી, પણ અનન્ત પ્રદેશ વાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ક્ષેત્રથી ગ્રહણ કરે છે તે શું-એક પ્રદેશમાં રહેલા, બે પ્રદેશમાં રહેલાં કે યાવતુ અસંખ્યાત પ્રદેશમાં રહેલાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! તે એક પ્રદેશમાં રહેલાં કે યાવતુ સંખ્યાતા પ્રદેશમાં રહેલાં દ્રવ્યો ગ્રહણ કરતો નથી, પણ અસંખ્યાત. પ્રદેશમાં રહેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે દ્રવ્યો કાળથી ગ્રહણ કરે છે તે શું એક સમયની સ્થિતિવાળાં, બે સમયની સ્થિતિવાળાં કે વાવતુ અસંખ્ય સમયની સ્થિતિવાળાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળો, બે સમયની સ્થિતિવાળાં કે યાવતુ અસંખ્યાત સમયની સ્થિતિવાળા ગ્રહણ કરે છે. જે દ્રવ્યો ભાવથી ગ્રહણ કરે છે તે શું વર્ણવાળાં, ગંધવાળાં, રસવાળાં કે સ્પર્શવાળાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! વર્ણવાળા પણ ગ્રહણ કરે છે અને યાવતુ સ્પર્શવાળાં પણ ગ્રહણ કરે છે. જે ભાવથી વર્ણવાળા ગ્રહણ કરે છે તે શું એક વર્ણવાળા ગ્રહણ કરે છે કે યાવતુ પાંચ વર્ણવાળા ગ્રહણ કરે છે? હે ગૌતમ! -ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકવર્ણવાળા યાવતુ પાંચવર્ણવાળાં પણ ગ્રહણ કરે છે. સર્વ ગ્રહણયોગ્ય દ્રવ્યોને આશ્રયી અવશ્ય પાંચવર્ણવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે વર્ણથી કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકગુણા કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે કે યાવતુ અનન્તગુણ કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ ! એકગુણ કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે, યાવતું અનન્તગુણા કાળાં દ્રવ્યો પણ ગ્રહણ કરે છે. એ પ્રમાણે શુકલ દ્રવ્યો સુધી જાણવું. ભાવથી જે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકગંધવાળા ગ્રહણ કરે છે કે બેગંધવાળાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકગંધા વાળાં કે બે ગંધવાળાં ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય બેગંધવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે, જે ગંધથી સુરભિગંધવાળા ગ્રહણ કરે છે તે શું એકગણ સુરભિગંધવાળાં કે યાવતુ અનન્તગુણ સુરભિગંધવાળા ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! એકગુણ સુરભિગંધવાળા ગ્રહણ કરે છે, યાવતુ અનન્તગુણ સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે, એ પ્રમાણે દુરભિગંધવાળાં પણ ગ્રહણ કરે છે. ભાવથી જે રસવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકરસવાળાં કે યાવતુ પાંચ રસવાળાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકરસવાળાં કે યાવતુ-પાંચ રસવાળાં ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય પાંચરસવાળાં ગ્રહણ કરે છે. રસથી જે તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે તે શું એકગુણ રસવાળાં ગ્રહણ કરે છે કે યાવતુ અનન્તગુણ તિક્તરસવાળાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! એકગુણ તિક્ત રસવાળાં કે યાવતું અનન્તગુણા તિક્તર વાળા ગ્રહણ કરે છે. એ પ્રમાણે યાવતુ મધુરરસ સુધી જાણવું. ભાવથી જે સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકસ્પર્શવાળાં ગ્રહણ કરે છે કે ભાવતુ આઠ સ્પર્શવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક) દ્રવ્યોને આશ્રયી એક સ્પર્શવાળાં ગ્રહણ કરતો નથી, પણ બે સ્પર્શવાળાં, યાવતુ-ચાર સ્પર્શવાળા ગ્રહણ કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy