SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મવણા - ૯/-/૩૫૯ સંવૃત્તવિવૃતયોનિવાળા છે, તેથી વિવૃતયોનિવાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી સંવૃતયોનિવાળા અનન્તગુણા છે. [૩૬૦] હે ભગવન્ ! કેટલા પ્રકારની યોનિ કહેલી છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની યોનિ કહેલી છે. તે આ પ્રમાણે-કૂર્મોન્નતા, શંખાવર્તી અને વંશીપત્રા, કૂર્મોન્નતા યોનિના ગર્ભમાં ઉત્તમ પુરુષો ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે-અરિહંતો, ચક્રવર્તી, બલદેવો અને વાસુદેવો. શંખાવર્તાયોનિ સ્ત્રીરત્નને હોય છે. શંખાવત યોનિમાં ઘણા જીવો અને પુદ્ગલો આવે છે અને ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે, ચય પામે છે અને ઉપચય પામે છે, પરન્તુ નિષ્પન્ન થતા નથી. વંશીપત્રા યોનિ સામાન્ય મનુષ્યોની હોય છે. વંશીપત્રા યોનિમાં સામાન્ય મનુષ્યો ગર્ભમાં આવે છે. પદઃ ૯ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ૨૦૨ ૫૪:૧૦-૨૨માચરમપદ. [૩૬૧] હે ભગવન્ ! કેટલી પૃથિવીઓ કહી છે ? હે ગૌતમ ! આઠ પૃથિવીઓ કહી છે. તે આ પ્રમાણે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, તમઃતમઃપ્રભા, ઈષત્પ્રાભાા. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવી શું ચરમ (પર્યંતવર્તી) છે, અચરમ (મધ્યવર્તી) છે, (બહુવચન વિશિષ્ટ) ચરમ છે, અચરમ છે, ચરમાન્તપ્રદેશ રૂપ છે, કે અચરમાન્તપ્રદેશરૂપ છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવી ચરમ નથી, અચરમ નથી, બહુવચનાન્ત ચરમ અને અચરમ નથી, ચરમાન્તપ્રદેશરૂપ નથી, તેમ અચરમાન્તપ્રદેશરૂપ પણ નથી, પણ અવશ્ય અચરમ, અને બહુવચનાન્ત ચરમરૂપ છે, તથા ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાન્તપ્રદેશરૂપ છે. એ પ્રમાણે યાવત્ નીચેની સાત મી નરક પૃથિવી સુધી જાણવું. સૌધર્મથી માંડી યાવત્ ઈષ સ્રામ્ભારા પૃથિવી સંબંધે પણ એ પ્રમાણેજ સમજવું. અને લોક અને અલોક સંબંધે પણ એમજ જાણવું. [૩૬૨] હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અ દ્રવ્યાર્થ પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડો આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાત ગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળીને વિશેષાધિક છે, પ્રદેશાર્થપણે સૌથી થોડા આ રત્નપ્રભા પૃથિવીના ચરમાન્તપ્રદેશો છે, તેથી અચરમાન્તપ્રદેશો અસં- ખ્યાતગુણા છે, તેથી ચ૨માન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બન્ને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપ-સૌથી થોડો આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થરૂપે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચ૨માન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. તેથી ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બન્ને મળીને વિશેષા ધિક છે. એ પ્રમાણે યાવત્-નીચેની સાતમી નરકપૃથિવી સુધી જાણવું. સૌધર્મ- યાવત્લોક સંબંધે પણ એમજ સમજવું. [૩૩] હે ભગવન્ ! અલોકના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્ય-પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy