SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ પન્નવણા - ૮-૩૫૫ બાહ્યકારણને આશ્રયી બહુધા ભયસંજ્ઞાના ઉપયોગવાળા અને આંતરિકઅનુભવને આશ્રયી આહાર સંજ્ઞાના યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. હે ભગવનું ! આહારસંજ્ઞાના યાવતુ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા એ નૈર યિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય ? હે ગૌતમ ! સૌથી થોડા નૈરયિકો મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી આહારસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, અને તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. હે ભગવન્! તિર્યંચયોનિકો કઈ સંજ્ઞાના ઉપયોગવાળા, હોય છે ? હે ગૌતમ ! બાહ્ય કારણને આશ્રયી પ્રાયઃ આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને આંતરિક અનુભવને આશ્રયી આહારસંજ્ઞા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. હે ભગવન્! આહારસંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા એ તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! તિર્યંચો સૌથી થોડા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાત ગુણા છે,તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાત ગુણા છે અને તેથી આહારસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. હે ભગવન્! મનુષ્યો કઈ સંજ્ઞાના ઉપયોગ વાળા હોય છે ? હે ગૌતમ ! બાહ્ય કારણને આશ્રયી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રય આહારસંજ્ઞાના યાવતુ- પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન્! આહારસંજ્ઞા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? ગૌતમ ! સૌથી થોડા મનુષ્યો ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી આહારસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, અને તેથી મૈથુનસંજ્ઞાના ઉપયગોગવાળા સંખ્યાત ગુણા હોય છે. હે ભગવન્! દેવો કઈ હસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે ? હે ગૌતમ ! પ્રાયઃ બાહ્ય કારણને આશ્રયી પરિગ્રહંસજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રયી આહારસંજ્ઞા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવનું ! આહાર સંજ્ઞા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા દેવોમાં કોણ કોનાથી યાવતુ અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ ! સૌથી થોડા દેવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી સંખ્યાતગુણા ભયસંજ્ઞાના ઉપયોગ વાળા, તેથી સંખ્યાતગુણા મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા અને તેથી સંખ્યાતગુણા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. પદઃ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ યોનિપદ.) [૩૫] હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! યોનિ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે- શીતયોનિ, ઉષ્ણુયોનિ અને શીતોષ્ણુયોનિ. [૩પ૭] હે ભગવન્! શું નૈરયિકોને શીતયોનિ, ઉષ્ણુયોનિ કે શીતોષ્ણુયોનિ હોય છે? હે ગૌતમ ! તેઓને શીતયોનિ અને ઉષ્ણયોનિ હોય છે, પણ શીતોષ્ણુયોનિ હોતી. નથી. એ રીતે સવત્ર પ્રશ્ન યોજી લેવા. અસુરકુમારોને શીતયોનિ કે ઉષ્ણુયોનિ નથી, પણ શીતોષ્ણુયોનિ હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકોને શીત. - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy