SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પદ્મવા - ૨૪-/૨૨૪ “કાલ અને મહાકાલ, સરુપ અને પ્રતિરુપ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિન્ન૨ અને કિંપુરુષ, સત્પુરુષ અને મહા પુરુષ, અતિકાય અને મહાકાય તથા ગીતતિ અને ગીતયશ.” હે ભગવન્ ! અણપત્રિક દેવોના ક્યાં સ્થાનો છે ? હે ભગવન્ ! અણપત્રિક દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ ! આ રત્ન પ્રભા પૃથિવીના હજાર યોજન જાડા રત્નમય કાંડાની ઉપર અને નીચે સો સો યોજન મૂકીને યાવદ્-આઠસો યોજનમાં અણપત્રિક દેવોના તીરછા અસંખ્ય લાખ ભૂમિ સંબન્ધી નગરો છે એમ કહ્યું છે. તે નગરો યાવતુ-પ્રતિરૂપ છે. ત્યાં અણપત્રિક દેવોના સ્થાનો છે. તે ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગને વિષે છે. ત્યાં ઘણા અણપત્રિક દેવો રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા ઇત્યાદિ વર્ણન પિશાચોની જેમ જાણવું, અહીં સમિહિત અને સામાન્ય એ બે અણ પત્રિકોના ઇન્દ્ર અને અણપત્રિક દેવોના રાજા રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા-એ પ્રમાણે જેમ દક્ષિણના અને ઉત્તરના પિશાચના ઇન્દ્ર કાલ અને મહાકાલ સંબંધે કહ્યું છે તેમ સંનિહિત અને સામાન્ય ઇન્દ્ર સંબંધે પણ કહેવું. “અણ પત્રિક, પણપત્રિક, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહામંદિત, કોહંડ અને પંતગ એ વાનવ્યન્તર દેવો છે. તેઓ ના આઇન્દ્રો સત્રિહિત, સામાન્ય, ઘાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઇશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હાસ, હાસરતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, અને પતંગપતિ એ અનુક્રમથી જાણવા. [૨૨૫] હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા જ્યોતિષિક દેવોના સ્થાનો ક્યાં છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના અત્યંત સમ-સરખા અને રમણીય ભૂમિના ભાગથી સાતસો નેવું યોજન ઉપર જઇએ એટલે એકસો દસ યોજન પહોળા અને તીરછા અંસખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્રમાં જ્યોતિષિક દેવોના-નિવાસ છે. અહીં જ્યોતિષિક દેવોના તીરછા અસંખ્યાતા લાખ જ્યોતિ ષિક વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો અરધા કોઠાની આકૃતિવાળા, સર્વસ્ફટિકમય, અભ્યુદ્ગતા- ઉત્કૃતા-પ્રભા વડે ધોળાં વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોની -રચના વડે વિચિત્ર, વાયુ વડે કંપિત થયેલી વિજયની સૂચક વૈજયન્તી નામે પતાકા અને ઉપર રહેલા છત્રો વડે યુક્ત, ઉંચા ગગનતલનું ઉલ્લંઘન કરનારા જેઓના શિખરો છે એવાં, જાળીઓના વચ્ચેના ભાગમાં રત્નો જેઓને છે એવાં, તથા પાંજરાથી બહાર કાઢેલા હોય તેવા શું મણિ અને કનકના રૂપિકા-શિખરો જેઓનાં છે એવાં, વિકસિત-ખીલેલા શતપત્રો, પુંડરીકો, તિલકો અને રત્નમય અર્ધ ચન્દ્રો વડે વિચિત્ર,અનેક પ્રકારની મણિમય માળાઓ વડે સુશોભિત, અંદર અને બહાર કોમળ, તપનીય સુવર્ણની મનોહ૨ વાલુકોના પ્રસ્તટ ભૂમિપીઠ જેઓને વિષે છે એવાં, સુખકર સ્પર્શવાળાં, શોભાયુક્ત, સુંદર રૂપવાળાં, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા જ્યોતિષિક દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત,સમુદ્દાત અને સ્વ સ્થાન-એ ત્રણેની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા જ્યોતિષિક રહે છે. તે આ પ્રમાણે-બૃહસ્પતિ, ચન્દ્ર, સૂર્ય શુક્ર, શનૈશ્વર, રાહુ, ધૂમકેતુ, બુધ, અંગારક મંગળ, તેઓ તપાવેલા તપનીય-સુવર્ણના જેવા વર્ણવાળા છે. ઈત્યાદિ જે ગ્રહો જ્યોતિક્રમાં ફરે છે, ગતિમાં પ્રીતિવાળા કેતુઓ તથા અઠયાવીશ પ્રકારના નક્ષત્ર દેવગણો છે તે બધા અનેક પ્રકારની આકૃતિવાળા છે. તારાઓ પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy