SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જીવાજીવાભિગમ-૪-૩૪૫ હજાર સાગરોપમની છે. આ ઉત્કૃષ્ટ અપર્યાપ્તક એક ઈદ્રિયવાળા જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્તનો છે. પયપ્તિક એક ઈદ્રિયવાળા જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી . સંખ્યાત હજાર વર્ષોનો છે. પર્યાપ્તક બે ઈદ્રિયવાળા જીવોની કાયસ્થિતિનું પ્રમાણ પણ જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષોનું છે. પર્યાપ્તક તેઈદ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત રાત દિવસની છે. પર્યાપ્તક ચૌઈન્દ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી તે સંખ્યાત માસોની છે. પર્યાપ્તિક પંચેન્દ્રિય જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમ શત પૃથકુત્વની છે. એક ઈન્દ્રિયના પયયને છોડીને ફરીથી એક ઈન્દ્રિય પયયને પ્રાપ્ત કરવામાં જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું થાય છે. દ્વીન્દ્રિય પયયને છોડીને ફરીથી હીન્દ્રિય પર્યાયિને પ્રાપ્ત કરવામાં અંતરકાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો થાય છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું છે. આજ પ્રમાણે તેઈન્દ્રિય અને પંચેન્દ્રિય પયિને છોડીને ફરીથી પંચેન્દ્રિય પણાને પ્રાપ્ત કરવામાં અંતર કાળ હોય છે. અપર્યાપ્તક એક ઈદ્રિયના પર્યાયને છોડીને ફરીથી તેને પ્રાપ્ત કરવામાં જઘન્ય અંતર એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું થાય છે. બે ઈન્દ્રિય અપર્યાપ્તકના પયયને છોડવાથી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં જઘન્ય અંતર એક અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. એ જ પ્રમાણે અપર્યાપ્તક પંચેન્દ્રિયના પયયને છોડવાથી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં તેનું અંતર સમજી લેવું. આ બધા જીવોમાં સૌથી ઓછા પંચેન્દ્રિય જીવ છે. આ પંચેન્દ્રિય જીવો કરતાં ચાર ઈન્દ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં ત્રણ ઈન્દ્રિયો વાળા, તેના કરતા બે ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં એક ઈન્દ્રિયવાળા જીવો અનંતગણા છે. સૌથી ઓછા પંચેન્દ્રિય અપર્યાપ્તક જીવ છે. તેના કરતાં ચાર ઈદ્રિય વાળા અપર્યાપ્તક જીવો વિશેષાધિક છે. અપર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા જીવોનું પ્રમાણ અપર્યાપ્તક ચાર ઈદ્રિયવાળા જીવોના કરતાં વિશેષાધિક છે. અપર્યાપ્તક તે ઈદ્રિય જીવોના કરતાં અપર્યાપ્તક બે ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે.અપર્યાપ્ત બે ઈદ્રિયવાળા જીવોના કરતાં એક ઈદ્રિય અપર્યાપ્તક જીવો અનંત ગણા છે. સેન્દ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. પર્યાપ્તક ચાર ઈન્દ્રિયવાળા જીવો સૌથી ઓછા છે. તેના કરતાં પર્યાપ્તક પંચેન્દ્રિય જીવ વિશેષાધિક છે. તેના કરતાં કીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે તેના કરતા તે ઈદ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. તેના કરતાં એકેન્દ્રિય પર્યાપ્તક અનંતગણા વધારે છે. તથા સેંદ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. સૌથી ઓછા સેન્દ્રિય અપર્યાપ્તકો છે. અને તેના કરતાં સેન્દ્રિય પર્યાપ્ત સંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય આદિ જાણવા. સૌથી ઓછા પયપ્તિક ચાર ઈદ્રિયવાળા જીવો છે. તેના કરતાં પર્યાપ્તક પંચેન્દ્રિય વિશેષાધિક છે. તેના કરતાં પયપ્તિક તેઈદ્રિય જીવ વિશેષાધિક છે. તેના કરતાં પંચેન્દ્રિય અપર્યાપ્તક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ચૌઈન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy