SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ 360 રાયખસેવિયં-(૨૦) [૨૦] તે વખતે શ્રમણ ભગવાન મહાવીરે પોતાના દર્શનાર્થે આવેલા સૂયભ દેવને આમલકખાના રાજા રાણીને તથા આમલકપ્પામાંથી આવેલી મોટી જનસભાને ધમદિશના સંભળાવી. દેશના સાંભળી જનતા તો પોતપોતાને સ્થાને ચાલી ગઈ. [૨૧]દેશના સાંભળીને પ્રસાદ પામેલા અને આલ્હાદિત હૃદયવાળા સુભદેવે ઊભા થઈને પ્રણામપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યું : હે ભગવન્! શું સૂયભિદેવ ભવસિદ્ધિક-ભવ્ય છે કે અભવસિદ્ધિક અભવ્ય છે ? સમ્યગ્દષ્ટિવાળો છે કે મિથ્યા દષ્ટિવાળો છે? સંસારમાં પરિમિતપણે ભમનારો છે કે અનંત કાળ સુધી ભમ નારો છે? બોધિની પ્રાપ્તિ થવી તેને સુલભ છે કે દુર્લભ છે? શું તે આરાધક છે કે વિરાધક છે? તે ચરમ શરીરી છે કે અચરમ શરીરી છે? હે સૂયભ!' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તેને નીચે પ્રમાણે ઉત્તર આપ્યો - હે સૂયભિ! તું ભવ્ય છો, સમ્યગ્દષ્ટિ વાળો છો. સંસારમાં પરિમિતપણે ભમનારો છો, તને બોધિની પ્રાપ્તિ થવી સુલભ છે, તું આરાધક છો અને તું ચરમ શરીર છો. [૨૨] ભગવાને આપેલો ઉત્તર સાંભળીને સૂર્યાભદેવનું ચિત્ત આનંદિત થયું અને પરમ સૌમનસ્યયુક્ત થયું. ભગવાનનો ઉત્તર સાંભળ્યા પછી એ સૂયભિદેવે ભગવાનને વાંદી નમી આ પ્રમાણે વિનંતી કરીઃ “હે ભગવન્! તમે બધું જાણો છો અને જુઓ છો, સર્વ કાળના બનાવોને જાણો છો અને જુઓ છો, સર્વ ભાવોને તમે જાણો છો અને જુઓ છો, મારી દિવ્ય ઋદ્ધિસિદ્ધિને, મેં પ્રાપ્ત કરેલી દિવ્ય દેવઘુતિને અને દિવ્ય દેવાનુભાવને પણ પહેલાં અને પછી તમે જાણો છો અને જુઓ છો, તો હે ભગવન્! આપ દેવાનુપ્રિય તરફની મારી ભક્તિને લીધે હું એવી ઈચ્છા કરું છું કે મારી દિવ્ય દ્ધિસિદ્ધિ, દિવ્ય દેવહુતિ અને દિવ્ય દેવપ્રભાવ તથા બત્રીશ પ્રકારની દિવ્ય નાટ્યકળા આ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથોને દેખાડું.” [૨૩]શ્રમણ ભગવાન મહાવીરે સૂયભદેવની ઉપર્યુક્ત વિનંતીને આદર ન આપ્યો, અનુમતિ ન આપી અને તે તરફ મૌન રાખ્યું. ત્યારપછી બીજીવાર, ત્રીજીવાર પણ સૂયભિદેવે એવી જ વિનંતી કરી અને તેના ઉત્તરમાં ભગવાન મહાવીરે તેનો આદર ન કરતાં માત્ર મૌન જ ધરી રાખ્યું. છેવટે તે સૂયભિદેવ, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, વાંદી નમી ઉત્તર પૂર્વની દિશા તરફ ગયો. ઈશાન ખૂણામાં જઈ તેણે વૈક્રિય સમુદ્ઘાત કર્યો, તે દ્વારા તેણે સંખ્યય યોજન સુધીના લાંબા દંડને બહાર કાઢ્યો, જાડાં મોટાં પગલો તજી દીધાં અને જોઈએ તેવાં યથાસૂક્ષ્મ પગલોનો સંચય કર્યો. વળી, બીજીવાર વૈક્રિયસમુઘાત કરી તેણે નરઘાના ઉપરના ભાગ જેવો સર્વ પ્રકારે સર્વ બાજથી એકસરખો એવો એક ભૂભાગ સર્યો, તેમાં રુપ, રસ,ગંધ અને સ્પર્શથી સુશોભિત પૂર્વે વર્ણવેલા એવા અનેક મણિઓ જડી દીધા, સર્વ બાજુથી એકસરખા ભૂમંડ ળમાં વચ્ચોવચ્ચ તેણે એક પ્રેક્ષાગૃહ રચ્યું-નાટક-શાળા ખડી કરી. એ નાટકશાળા, તેમાં બાંધેલો ઉલ્લોચચંદરવો, અખાડો અને મણિની પેઢલી તથા મણિની એ પેઢલી ઉપર સિંહાસન, છત્ર વગેરે જે આગળ વર્ણવાઈ ગયું છે તે બધું બરાબર ગોઠવી દીધું. ત્યારપછી એ સૂયભદેવ શ્રમણ ભગવાન મહાવીરના દેખતાં તેમને પ્રણામ કરે છે અને ભગવાન મને અનુજ્ઞા આપો’ એમ કહી પોતે બાંધેલી નાટકશાળામાં તેમનીતીર્થકરની સામે ઉત્તમ સિંહાસનમાં બેસે છે. ત્યારબાદ બેસતાં વેંત તેણે અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy