SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ અનુત્તરોવવાહય દસાઓ - ૩/૧/૧૧ દર્શન માટે આવ્યો. યાવતુ દીક્ષા ધારણ કરી યાવતુ સર્પ જેમ બિલમાં પ્રવેશ કરે તેમ પારણાના દિવસે આહાર કરે છે. અહીંયા પૂર્વવતુ સંપૂર્ણ શરીરનું વર્ણન ભગવાને શ્રેણિક સામે કર્યું. વાવતુ તપ તેજથી શોભતા વિચરે છે. એટલા માટે ધન્ના અણ ગાર દુષ્કર તપ કરનાર અને મહાનિર્જરા કરનાર છે. શ્રેણિક ઉક્ત કથન સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થયા જ્યાં ધન્ના અણાગાર બિરાજતાં હતાં ત્યાં આવે છે, આવીને ધન્ના અણગારને વંદન-નમસ્કાર કરે છે. અહો દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, આપ પુણ્યશાળી છો. હે દેવાનુપ્રિય ! તમો કૃતાર્થ છો, કૃતલક્ષણી છો, અહો દેવાનુપ્રિય ! તમોએ મનુષ્ય જન્મનું અને જીવનનું સુફલ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે કહીને વંદન-નમસ્કાર કરે છે. [૧૨]ત્યાર બાદ ધન્ના અણગારને અન્યદા કોઈ સમયે અર્ધ રાત્રિ વ્યતીત થવા પર ધર્મજાગરણ કરતાં આવા પ્રાકરનો અધ્યવસાય મનોગત સંકલ્પ ઉત્પન્ન થયોખરેખર આ ઉદાર તપના કારણે આ શરીર શુષ્ક થઈ ગયું છે, યાવતુ સ્કલ્પકમુનિને જેવો વિચાર ઉત્પન્ન થયો હતો તેવો વિચાર થાય છે, યાવતું તે ભગવાનને પૂછીને સ્થવિર સાધુઓની સાથે વિપુલ પર્વત ઉપર ચડીને એક માસની સંલેખના અંગીકાર કરે છે. નવ માસનો સંયમ પાળી યાવતું કાળના અવસરે કાળ કરી, સવથિસિદ્ધ વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા છે. ધન્ના અણગાર કાળધર્મ પામ્યા, ત્યાર પછી સ્થવિર અણગારો પર્વત ઉપરથી નીચે ઉતય િયાવતુ ધન્ના અણગારના ભંડોપકરણ ભગવાનને સોંપે છે. ધન્ના અણગાર કાળના સમયે કાળ કરીને યાવતુ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. ગૌતમ સ્વામી ફરી પૂછે છે-ભગવન્! ધન્ના દેવની કેટલા કાળની સ્થિતિ છે? ભગવાને કહ્યું-ગૌતમ ! તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંયમને ધારણ કરી યાવત્ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવણિને પ્રાપ્ત કરશે, થાવત્ સર્વ દુઃખનો અંત કરશે. વર્ગ૩-અધ્યયનઃ૧ નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-૩-અધ્યયન-૨-૧૦) [૧૩] તે કાળ અને તે સમયમાં કાકંદી નગરીમાં ભદ્રાસાર્થવાહિની રહેતી હતી. તેને સુનક્ષત્ર નામનો પુત્ર હતો. તે સમસ્ત અંગોપાંગોથી પરિપૂર્ણ યાવતુ સુંદર રૂપવાન હતો. તે પાંચ ધાવમાતાથી વૃદ્ધિ પામતો હતો. ધન્ય કુમારની જેમજ બત્રીસ સ્ત્રીઓની સાથે ઉત્તમ મહેલમાં મનુષ્ય સંબંધી સુખોને ભોગવતો રહેતો હતો. તે કાળે અને તે સમયે ભગવાન પધાર્યા. ધન્ય કુમારની જેમ સુનક્ષત્રે પણ દીક્ષા ગ્રહણ કરી. જેમ થાવસ્ત્રાપુત્રનો દીક્ષા મહોત્સવ ઊજવાયો તેમ સુનક્ષત્રનો પણ દીક્ષિત થયા ત્યાર પછી તે સુનક્ષત્ર અણગારે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસથી ધન્યમુનિની જેમ અભિગ્રહ ધારણ કર્યો, તેમજ બિલમાં જેમ સર્પ પ્રવેશ કરે તે પ્રમાણે અનાસક્ત ભાવે તે પ્રમાણે આહાર કરતા તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. - ત્યાર બાદ શ્રમણ ભગવાન બહાર જનપદોમાં વિચરવા લાગ્યા અને સુનક્ષત્ર અણગારે અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને તપ તથા સંયમથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે સુનક્ષત્ર અણગાર ઉદાર-પ્રધાન તપ કરીને જેમ સ્કન્ધક કૃશકાય થયા હતા તેમ સુનક્ષત્ર મુનિ પણ થઈ ગયા. તે કાળ અને તે સમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy