SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ વર્ગ-૮-અધ્યયનઃ૮-રામકૃષ્ણ [૫૭]એ પ્રમાણે રામકૃષ્ણાદેવી જાણવા. અંતર માત્ર એટલું છે કે પણ રામકૃષ્ણ દેવીએ ‘ભદ્રોત્તર પ્રતિમા' નામક તપની આરાધના કરી. આ તપમાં પાંચ લતા છે, તે આ પ્રમાણે- પ્રથમ લતા- પાંચ ઉપવાસ, છ, સાત, આઠ, અને નવ ઉપવાસ. બીજી લતા-સાત ઉપવાસ, આઠ- નવ-પાંચ અને છ ઉપવાસ. ત્રીજી લતા-નવ ઉપવાસ, પાંચ-છ-સાત અને આઠ ઉપવાસ. ચોથી લતા-છ ઉપવાસ, સાત-આઠ-નવ-અને પાંચ ઉપવાસ, પાંચમી લતા-આઠ ઉપવાસ, નવ-પાંચ-છ-અને સાત ઉપવાસ. અનુક્રમથી કરવામાં આવતા આ ઉપવા સોનાં પારણામાં દૂધ, ઘી આદિ યથેચ્છ પદાર્થોનું સેવન કરાય છે. આ પાંચ લતાઓ મળી એક પરિપાટી થાય છે. એક પરિપાટમાં છ મહિના અને વીસ દિવસ લાગે છે. ચારેય પરિપાટીઓનો સમય બે વર્ષ, બે મહિના અને વીસ દિવસ થાય છે.અંતે સંલેખના કરી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. અંતગડ દસાઓ - ૮/૮/૫૭ વર્ગઃ ૮-અધ્યયનઃ૭ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગ-૮-અધ્યયનઃ૯-પિતૃસેનકૃષ્ણા [૫૮]એ પ્રમાણે પિતૃસેન કૃષ્ણા જાણવા.અંતર માત્ર એટલું છે પિતૃસૈનકૃષ્ણા દેવીએ મુક્તાવલી તપી આરાધના કરી. તે આ પ્રમાણે-એક, બે, એક, ત્રણ, એક, ચાર, એક, પાંચ, આ પ્રમાણે અનુ ક્રમથી વધતા ૧૬ ઉપવાસ કરે છે વચ્ચે વચ્ચે ચતુર્થભક્ત કરવામાં આવે છે અને ત્યાર પછી ક્રમથી નીચે ઊતરે છે. જેમકે-સોળ ઉપવાસ, એક ઉપવાસ, પંદર ઉપવાસ, એક ઉપવાસ,અંતે એક ઉપવાસ કરે છે. આ મુક્તાવલીતપની પ્રથમ પરિપાટી છે. પ્રથમ પરિપાટીમાં બધા ઉપવાસોનાં પારણામાં દૂધ ઘી આદિ યથેચ્છ પદાર્થોનું સેવન કરાય. પ્રથમ પરિપાટીમાં અગિયાર મહિના, પંદર દિવસ લાગે છે. મુક્તાવલી તપની ચારે રિપાટીઓનો કાળ ત્રણ વર્ષ, દશ મહિના છે. પિતૃસેનકૃષ્ણાદેવીની બાકીની તપસ્યા, કાલીદેવી પ્રમાણે જાણવી. અંતમાં તેણે સમસ્ત કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. વર્ગઃ ૮-અધ્યયનઃ૯ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૧૦-મહાસેનકૃષ્ણા [૫૯]તે જ પ્રમાણે મહાસેનકૃષ્ણાનું જીવન પણ જાણવું. તેમાં અંતર માત્ર એટલું છે કે મહાસેનકૃષ્ણાએ “આયંબિલ વર્ધમાન” નામના તપની આરાધના કહી હતી. તે આ પ્રમાણે- પહેલાં આયંબિલ કર્યા પછી એક ઉપવાસ કર્યો. તત્પશ્ચાત્ બે આયંબિલ, એક ઉપવાસ. આ પ્રમાણે વધતા વધતા અંતમાં ૧૦૦ આયં બિલ અને એક ઉપવાસ કરે છે. ત્યાર પછી તે મહાસેનકૃષ્ણાદેવી આયંબિલ વર્ધમાન તપના ચૌદ વર્ષ, ત્રણ મહિના અને વીસ દિવસ-રાત્રિઓ સુધી સૂત્રોક્ત વિધિ પ્રમાણે યાવત્ કાયાદ્વારા સકરૂપે આરાધના કરીને જ્યાં આર્યા ચંદનાદેવી હતા ત્યાં આવે છે. વંદન-નમસ્કાર કરે છે. ત્યાર પછી અનેક ઉપવાસ, છઠ્ઠ આદિ તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા થકા સંયમજીવન વ્યતીત કરવા લાગ્યા. સિદ્ધ અને બુદ્ધપદ પ્રાપ્ત કર્યું. આઠમાં વર્ગમાં કાલી આદિ જે દસ આયઓનું અને અંતે વર્ણન કર્યું છે, તે દસે શ્રેણિક મહારાજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy