SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ-૬, અધ્યયન-૧૫ ૨૩૭ હતા. શ્રી પટ્ટરાણી હતી. તે વિજય રાજાના પુત્ર, શ્રીદેવીના આત્મજ અતિમુક્ત નામના કુમાર હતાં. તે સુકુમાર હાથ-પગવાલા અને સવાંગ સુંદર હતાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવતુ શ્રીવન નામના ઉદ્યાનમાં વિચારી રહ્યા હતા. તે કાળે અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી- શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર પોલાસપુર નગરમાં સામાન્ય તેમજ મધ્ય ઘરોમાં ગોચરી માટે ભ્રમણ કરી રહ્યા હતા. આ તરફ અતિમુક્ત-કુમાર સ્નાન કરીને યાવતુ સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત થઈને ઘણાં છોકરા, છોકરીઓ, નાનાં બાળકો, નાની બાલિકાઓ, અવિવા હિત કુમારો અને અવિવાહિત કુમારિકાઓથી, ઘેરાયેલો-તેઓની સાથે પોતાના ઘરેથી નીકળે છે. નીકળીને ઈન્દ્રસ્થાન હતું ત્યાં જાય છે, ત્યાં બધાં સાથે ક્રીડા કરવા લાગ્યો. ભગવાન ગૌતમ સ્વામી પોલાસપુર નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરોમાં ગોચરી માટે ભ્રમણ કરતા થકા ઈન્દ્રસ્થાનની કંઈક પાસેથી નીકળ્યા ત્યારે કંઈક સમીપથી જતાં તેઓને અતિમુક્તિકુમારે જોયાં. જોતાંજ તે ભગવાન ગૌતમસ્વામીની પાસે આવ્યા ભગવન્! આપ કોણ છો? અને શા માટે ફરી રહ્યા છો? ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ અતિ મુક્તકુમારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! અમે શ્રમણ નિગ્રન્થ છીએ. ઈયસમિતિ આદિ પાંચ સમિતિઓના પાલક યાવતુ બ્રહ્મચારી છીએ. ઉચ્ચ, નીચ યાવતું મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરીએ છીએ. ત્યારે અતિમુક્ત કુમારે ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું-આપ આવો, હું આપને ભિક્ષા અપાવું. એમ કહી ભગવાન ગૌતમની આંગળી પકડે છે. આંગળી પકડીને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવી પહોંચ્યા. ત્યારે શ્રીદેવી ભગવાન ગૌતમને આવતા જુએ છે જોઈને અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થઈ. યાવતુ આસન ઉપરથી ઊઠી- ઊઠીને જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યાં આવે છે. પ્રદક્ષિણા કરે છે. વંદના નમસ્કાર કરે છે. આદિ વિપુલ અત્ર, -ચાર પ્રકારનાં આહારથી પ્રતિ લાભિત કરે છે. ત્યાર પછી ભગવાન ગૌતમ સ્વામીને અતિમુક્તકુમારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો-હે ભગવન્! આપ ક્યાં રહો છો? હે દેવાનુપ્રિય! મારા ધમચિાર્ય, ધમપદેશક, ધર્મતીર્થની સ્થાપના કરનાર, યાવતું મોક્ષ પ્રાપ્તિની કામના રાખવાવાળા ભગવાન મહાવીર આ પોલાસપુર નગરની બહાર શ્રીવન ઉદ્યાનમાં સાધુવૃત્તિને અનુકૂળ આશ્રયનો સ્વીકાર કરીને સંયમથી યાવતું પોતાના આત્માને ભાવિત કરતા થકા વિચારી રહ્યા છે. ત્યાં જ અમે રહ્યા છીએ.- હે ભગવન્! હું આપની સાથે શ્રમણ ભગવાન મહાવીરના ચરણવંદન માટે આવું ? ગૌતમ-હે દેવાનુપ્રય જેમ તમારા આત્માને સુખ ઊપજે તેમ કરો. અતિમુક્ત ત્યાં આવીને સ્વામીને પ્રદક્ષિણા કરે છે. વંદના કરે છે. નમસ્કાર કરે છે. યાવતું ભગવાનની પર્યપાસના કરે છે. ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને આહાર બતાવ્યો. બતાવીને સંયમ તથા તપથી પોતાના આત્માને ભાવિત કરતા. વિચારવા લાગ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએઅતિમુક્તકુમારને તેમજ પરિષઅને ધર્મ કથા સંભળાવી. અતિમુક્તકુમાર, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ધર્મ કથા સાંભળીને અને તેને હૃદયંગમ કરીને અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ થયા. ભગવન્! હું માતાપિતાને પૂછીને આપની પાસે દીક્ષિત થવા ઈચ્છું છું. ભગવાને કહ્યું - દેવાનુપ્રિય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy