SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ-૩, અધ્યયન-૨ થી ૬ ૨૧૫ વર્ણન પણ જાણી લેવું જોઈએ. યાવતુ અંતમાં એક માસની સંલેખના કરી શત્રુંજય પર્વત * પર અનન્તસેન આદિ પાંચે સિદ્ધગતિએ પામ્યા. વર્ગ૩-અધ્યયન ર થી નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન૭) [૧૨]તે કાળે અને તે સમયે દ્વારિકા નગરી હતી. તેમાં વસુદેવ રાજા ધારણી રાણી, સીંહ સ્વપ્ન, સારણકુમાર નામે પુત્રપ૦ કન્યા ઓ સાથે તેના લગ્ન થયા. પિતાએ પ૦-પ૦ વસ્તુ આણામાં આપી. દીક્ષિત થયા. ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. વીસ વર્ષનો દીક્ષા પર્યાય પાળી ગૌતમ ની જેમ શત્રુંજ્ય પર્વત પર એક માસની સંલેખના કરી સિદ્ધ ગતિ પામ્યા. અધ્યયન-૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-૩-અધ્યયન ૮) [૧૩] આ પ્રમાણે હે જંબૂ ! તે કાળે અને તે સમયે દ્વારિકા નામની નગરી હતી. પહેલાંની જેમ તે નગરીની બહાર ઉદ્યાનમાં અરિહંત અરિષ્ટનેમિ પધાર્યા. તે કાળે અને તે સમયે અહંત અરિષ્ટ નેમિ ભગવાનના છ શિષ્યો સહોદર- હતા. તેઓ સમાન હતા. સરખા પ્રતીત થતા હતા. તેઓનો વર્ણ નીલકમલ જેવો, ભેંસના શિંગડાં જેવો અને અળસીનાં ફૂલ જેવો નીલ હતો. તેનું વક્ષ સ્થળ શ્રીવત્સના ચિલથી ચિલિત હતું. તેઓના માથાના વાળ પુષ્પ જેવા કોમળ અને કુંડળની જેમ વાંકડીયા હતા. તેઓ વૈશ્રમણ દેવના પુત્રની જેમ પ્રતીત થતા હતા. આ છ એ ભાઈઓ જે દિવસે દીક્ષિત થયા તેજ દિવસે ભગવાનનાં ચરણ-કમળમાં વંદન નમસ્કાર કરી કહેવા લાગ્યા-ભગવન્! જો આપશ્રી આજ્ઞા કરો તો અમારી ભાવના છે કે અમે જીવન પર્યંત નિરન્તર છઠ-છઠ ભક્ત કરીને આત્માને સંયમ અને તપથી ભાવિત કરતા વિચારીએ. હે દેવાનુપ્રિયો! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. શુભ કાર્યમાં વિલંબ ન કરો. આ પ્રમાણે ભગવાનની આજ્ઞા મળી જવા પર છએ ભાઈઓ જીવનપર્યત નિરન્તર ષષ્ઠ ભક્ત કરતા આત્માની સાધના કરવા લાગ્યા. ત્યાર પછી તે છએ અણગાર એકદા છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે છે. બીજા પ્રહરમાં ધ્યાન કરે છે અને ગૌતમ અણગારની જેમ ચય કરતા થકા ભગવાન અરિષ્ટનેમિને કહે છે - ભગવનું ! આજે છઠ્ઠના પારમણે આપની અનુજ્ઞાથી અમે છએ ભાઈઓ ત્રણ સંઘાડામાં દ્વારિકા નગરીથી ભિક્ષા માટે નીકળીએ. ભગવાન અરિષ્ટનેમિએ અનુમતિ આપી દેવાનુ- પ્રિયો ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. ભગવન્! અરિષ્ટનેમિની આજ્ઞા પ્રાપ્ત કરીને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન કરે છે, નમસ્કાર કરે છે, અરિહંત અરિષ્ટ નેમિ ભગવાન પાસેથી સહસ્સામ્ર વનમાંથી નીકળે છે. નીકળીને ત્રણ સંઘાડામાં શીઘ્રતા અને ચપળતા વગર યાવત્ દ્વારિકા નગરીમાં ભિક્ષા માટે ફરે છે. ત્રણે સંઘાટકમાંથી એક સંઘાટકના બે મુનિઓ દ્વારિકા નગરીના સધન, નિર્ધન તેમજ મધ્યમ ઘરોમાં વચ્ચે આવેલાં ઘરોને મૂક્યા વગર ગૌચરી ફરતાં મહારાજા વસુદેવની રાણી દેવકી દેવીના ઘરમાં પધાર્યા. ત્યારે દેવકી દેવી ઘરમાં આવતા મુનિઓને જુએ છે. પ્રસન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy