SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ઉવાસગ દસાઓ - ૭/૪૫ જોઈએ. શિંગડાં રંગાયેલાં હોવાં જોઈએ. એનાં કંઠાભરણ સ્વર્ણમય હોવાં જોઈએ અને દોરડીઓ સ્વર્ણમય તારોથી ખચિત હોવી જોઈએ. રજતમય ઘંટા સૂતરની દોરડીઓ સાથે બદ્ધ જોઈએ અને નાથ સ્વર્ણમંડિત હોવી જોઈએ. બળદોના માથા ઉપર નીલક મલના છોગા હોવા જોઈએ. આ બળદો તરુણ હોવા જોઈએ. રથ નાના પ્રકારની મણિ ઓથી મંડિત અને ઘંટિકાઓથી યુક્ત હોય અને સારા લાકડાના યુગ-ધુરાવાળો હોવો જોઈએ. સારી રીતે રચિત-નિર્મિત હોવો જોઈએ. એવા શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત શ્રેષ્ઠ રથને હાજર કરો, ત્યાર બાદ તે કૌટુમ્બિક પુરુષો તેની આજ્ઞા પાછી આપે છે. ત્યાર બાદ તે અગ્નિમિત્રા ભાય સ્નાન કરી યાવતું કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત કરી, શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા યોગ્ય વસ્ત્રો પહેરી, અલ્પ પણ મહામૂલ્ય અલંકાર વડે શરીર શણગારી, દાસીઓના સમૂહથી વીંટાયેલી તે ધાર્મિક શ્રેષ્ઠ રથ ઉપર ચઢે છે. શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં પહોંચે છે. ત્રણ વાર યાવતું વંદન-નમસ્કાર કરીને, અત્યંત પાસે નહિ તેમ અત્યંત દૂર પણ નહિ એમ, યાવતું હાથ જોડી ઊભી રહીને પર્ય પાસના કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અગ્નિમિત્રા ભાયને અને તે મોટી પરિષદને યાવતુ ધર્મોપદેશ કરે છે. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાય શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, પ્રસન્ન અને સંતુષ્ટ થઈ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. કહે છેઃ ભગવન્! હું નિર્ચન્જ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. યાવતુ જે તમે કહો છો તે યથાર્થ છે. જે પ્રકારે દેવાનુપ્રિય એવા આપની પાસે ઘણા ઉંચકુળના, ભોગ કુળના ક્ષત્રિયોએ યાવતુ પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે તે પ્રમાણે હું મુંડિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા સમર્થ નથી. પરંતુ હું આપ દેવાનુપ્રિય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીશ. હે દેવાનુપ્રિયે! તમને સુખ થાય તેમ કરો, પરંતુ પ્રતિબંધ ન કરો. ત્યાર પછી તે અગ્નિમિત્રા શ્રમણ ભગવાન મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકારે છે. સ્વીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે, વંદન અને નમસ્કાર કરીને તે જ ધાર્મિક યાન ઉપર આરુઢ થાય છે અને જે દિશાથી આવી હતી તે દિશામાં પાછી જાય છે. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે પોલાશપુર નગરથી અને સહસ્ત્રાભવન ઉદ્યાનથી નીકળે છે અને નીકળીને દેશ-દેશાન્તરમાં વિહરે છે. [૪૬]તત્પશ્ચાતુ સદ્દાલપુત્ર શ્રમણોપાસક થયો અને જીવાજીવનો જ્ઞાતા થઈને જીવન વ્યતીત કરવા લાગ્યો. ત્યાર પછી મેખલીપુત્ર ગોશાલકે આ વૃત્તાન્તને સાંભ ળીને વિચાર -ખરેખર સકડાલપુત્રે આજીવિક સમયનો ત્યાગ કરીને શ્રમણ નિર્ચન્થ ની દ્રષ્ટિ(શ્રદ્ધા) અંગીકાર કરી છે, તો હું જાઉં અને તેને શ્રમણ નિર્ચન્હોની દ્રષ્ટિનો ત્યાગ કરાવી ફરીથી આજીવિકની દ્રષ્ટિ સ્વીકાર કરાવું. એમ વિચારી આજીવકોના સંઘ સહિત જ્યાં પોલાશપુર નગર છે અને જ્યાં આજીવિકસભા છે ત્યાં આવે છે, ત્યાં આવીને ભાંડ-પાત્રાદિ ઉપકરણ મૂકે છે. મૂકીને કેટલાક આજીવિકો સાથે જ્ય સદાલપુત્ર શ્રમણોપાસક છે ત્યાં આવે છે. તે વારે સદ્દાલપુત્ર શ્રમણોપાસક મંખલીપુત્ર ગોશાલકને આવતો જુએ છે, આવતો જોઈને તેનો આદર કરતો નથી, તેને જાણતો નથી, તે મૂંગો બેઠો રહે છે. ત્યાર બાદ શ્રમણોપાસક સંકડાલપુત્ર વડે નહિ આદર પામેલો અને નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy