SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવાસગ દસાઓ - ૭/૪૨ પીઠ-ફ્લક-શય્યા-વસતિ-સ્થાન અને સંસ્તારક-વડે નિમંત્રિત કરજે. દેવે બીજી વાર અને ત્રીજી વાર પણ એમને કહ્યું કહીને તે દેવ જે દિશાથી આવ્યો હતો તે દિશા તરફ ચાલ્યો ગયો. તે દેવે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આવા પ્રકારનો અધ્યવસાય થયો. ખરેખર મારા ધમચાર્ય અને ધર્મોપદેશક ગોશાલક મંખલીપુત્ર છે. તે મહામાહન, ઉત્પત્ર જ્ઞાનદર્શનને ધારણ કરનાર યાવત્ સત્ય કર્મની સંપ ત્તિથી યુક્ત છે. અને તે કાલે અહીં શીઘ્ર આવશે તેથી હું તેમને વંદન કરીશ, યાવત્ તેમની પર્યુપાસના કરીશ અને પ્રાતિહારિક પીઠ આસન વગેરે માટે નિમંત્રિત કરીશ. [૪૩]તે પછી બીજે દિવસે યાવત્ સૂર્યોદય થયા પછી શ્રમણ ભગવાન મહાવીરનું પદાર્પણ થયું પરિષદ વાંદવા નીકળી, યાવત્ તેમની પર્યાપાસના કરી. ત્યાર બાદ આજીવિકોપાસક સકડાલપુત્ર આ વાતથી વિદિત થઈ ‘એ પ્રમાણે ખરેખર શ્રમણ ભગવાન્ મહાવીર યાવત્ વિહરે છે માટે શ્રમણ ભગવંત મહાવીરની પાસે જાઉં, તેમને વાંદું અને તેમની પર્યાપાસના કરું.' વિચાર કરી સ્નાન કરી કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત કીધુંત્યાર પછી જનસમુદાય વડે વીંટાયેલો તે પોતાના ઘરેથી બહાર નીકળ્યો. નીકળીને પોલાશપુર નગરમના મધ્યભાગમાં થઈને જાય છે. જઈને જ્યા સહસ્રાબ્રવન નામ ઉદ્યાન હતું અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં પહોચ્યો. પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યો. પછી પર્યુપાસના કીધી. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને અને અત્યંત વિશાળ જનસમૂહને ધર્મકથા કહી, યાવત્ ધર્મકથા સમાપ્ત થઈ. શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સદ્દાલ પુત્રને આ પ્રમાણે કહ્યુંઃ ગઈ કાલે તું મધ્યાહ્ન સમયે જ્યાં અશોકવનિકા છે ત્યાં યાવત્ રહ્યો હતો, ત્યારે તારી પાસે એક દેવ આવ્યો, તે પછી તૈદેવે આકાશમાં રહી આ પ્રમાણે કહ્યું:હે સકડાલપુત્ર! ઈત્યાદિ બધું કહેવું. સકડાલપુત્ર! ખરેખર આ વાત બરોબર છે ? સકડાલપુત્રે કહ્યું. હા, બરોબર છે. ભગવાને કહ્યુંઃ પરંતુ હે સદ્દાલપુત્ર ! તે દેવે મંખલીપુત્ર ગોશાલકને ઉદ્દેશીને એ પ્રમાણએ કહ્યું ન હતું. પછી શ્રમણભગવંતમહાવીરે એમ કહ્યું ત્યારે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો. શ્રમણ ભગવંત મહાવીર મહામાહન, ઉત્પન્ન થયેલ જ્ઞાનદર્શનના ધારક યાવત્ સત્યકર્મની સંપત્તિથી સંપન્ન છે, મારે શ્રમણ ભગવંત મહાવીર વંદન-નમસ્કાર કરીને પ્રાતિહારિકપીઠ-આસન, લક ઈત્યાદિ વડે નિમંત્રિત કરવું શ્રેયસ્કર છે. એમ વિચાર કરીને પ્રયત્ન વડે ઊઠે છે, ઊઠીને શ્રમણ ભગવંત મહા વીરને વંદન-નમસ્કાર કરે છે, તેણે કહ્યુંઃ હે ભગવન્ ! પોલાશપુર નગરની બહાર મારા પાંચસો કુંભારની દુકાનો છે, ત્યાંથી તમે પ્રાતિહારિક પીઠ, ફલક યાવત્ સંથારાને ગ્રહણ કરીને વિચરો. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર, આજીવિકોપાસ સદ્દાલપુત્રની એ વાત સ્વીકારે છે.આજીવિકોપાસક સડકાલપુત્રના પાંચસો કુંભારના દુકાનોથી પીઠ, ફ્લક યાવત્ સંથારાને ગ્રહણ કરીને વિહરે છે. ૨૦૦ [૪૪]ત્યારપછી આજીવિકોપાસક સદ્દાલપુત્ર અન્ય કોઈ દિવસેસવાયુથી સુકાયેલ કુંભારનાં પાત્રો, જે અંદર રહેલાં હતાં તેમને શાલામાંથી બહાર કાઢીને તડકે સુકવે છે. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવોકપાસ સકડાલપુત્રને કહ્યુંઃ હે સકડાલપુત્ર ! આ કુંભારનાં પાત્રો કેવી રીતે બને છે ? ત્યારે આજીવિકોપાસક સકડાલ પુત્રે શ્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy