SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ નાયાધમ કહાઓ- ૨/૧/૧/૨૨૦ હોવા છતાં કુમારી હતી. તે જીર્ણ હતી અને જીર્ણ હોવા છતાં કુમારી હતી. તેના સ્તનો, નિતંબ અવનત બની ગયા હતા. વર તેનાથી વિરક્ત થઈ ગયા હતા. તે કાળ અને તે સમયમાં પુરુષાદાનીય, તેમજ ધર્મની આદિ કરનાર પાર્શ્વનાથ અરિહંત હતા. તે વધુ માન સ્વામીની સમાન હતા. વિશેષતા આ કે પાર્શ્વનાથ નવ હાથ ઊંચા શરીરવાળા, સોળ હજાર સાધુઓ અને આડત્રીસ હજાર સાધ્વીઓથી પરિવૃત હતા. ત્યાર પછી કાલી દારિકા પાર્શ્વપ્રભુના આવાગમનના સમાચાર સાંભળીને હૃષ્ટતુષ્ટ થઈ યાવતુ સંતુષ્ટ યવાળી થઈને જ્યાં માતા-પિતા હતા. ત્યાં આવી આવીને બંને હાથજોડીનેયાવતુઆ પ્રમાણે બોલીહેમાતાપિતા!જો આપની આજ્ઞા હોય તો મારી પાર્શ્વ પ્રભુના ચરણમાં વંદન કરવાને માટે જવાની ઈચ્છા છે.” માતા પિતાએ કહ્યું- હે દેવાનું પ્રિતને જેમ સુખ ઉપજે, તેમ કર પરંતુ ધર્મના કાર્યમાં વિલંબ ન કર.” ત્યારે કાલી નામક દારિકા દ્રૌપદીની સમાન ભગવાનને વંદના કરી યાવત્ ઉપાસના કરવા લાગી. ત્યારે પાર્થ અરિહંત પુરુષાદાનીયે કાલી દારિકા તેમજ અન્ય પરિષદને ધર્મોપદેશ આપ્યો. ત્યાર પછી કાલી દારિકા આ પ્રમાણે બોલી- હે ભગવાન ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. યાવતુ તમે જે કહ્યું છે તે તેમ જ છે. કેવલ હે દેવાનુપ્રિય! હું મારા માતાપિતાને પૂછીને આપી દેવાનુપ્રિયની પાસે સંયમ લેવા ઈચ્છું છું.' ભગવાને કહ્યું: ‘દેવાનું પ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો.” “હે માતાપિતા ! મેં પાર્શ્વનાથ અરિહંતની પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મની મેં ઈચ્છા પણ કરી છે. પુનઃ પુનઃ ઈચ્છા કરી છે, તેના પર રુચિ કરી છે. તેથી હું માતા-પિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલી છે. જન્મ-મરણના ભયથી ભયભીત થઈ છું. તો હું આપની આજ્ઞા મેળવીને પાર્શ્વનાથ અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહત્યાગીને અણગારિતા બનાવ ઇચ્છું છું. માતા પિતાએ કહ્યું- દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મ કાર્યમાં વિલંબ ન કરો.” યાવતુ હે દેવાનુપ્રિય હું આપને શિષ્યાની ભિક્ષા આપું છું. તેથી દેવાનુપ્રિય ! આપ શિષ્યાની ભિક્ષા અંગીકાર કરો. ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો.” ત્યારે તે કાલી કુમારીએ પાર્શ્વ અરિહંતને વંદન-નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને તે ઉત્તર પૂર્વ દિશામાં ગઈ. ત્યાં જઈને તેણીએ સ્વયં જ આભૂષણમાલા, અલંકાર ઉતાર્યા અને સ્વયંજ લોચ કર્યો પછી જ્યાં પુરુષાદાનીય અરિહંત પાર્થ હતાં, ત્યાં આવી. આવીને પાર્શ્વ અરિહંતને ત્રણવાર વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી. “ભગવન્! આ લોક આદિપ્ત છે અથતુ જન્મ-મરણ આદિના સંતાપથી બળી રહ્યો છે, ઈત્યાદિ દેવાનંદાની સમાન જાણવું. હું ઈચ્છું છું કે આપ સ્વયં મને દીક્ષા પ્રદાન કરો. ત્યાર પછી પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથે સ્વયમેવ કાલીકુમારીને પુષ્પચૂલા આયને શિષ્યાના રૂપમાં પ્રદાન કરી. ત્યારે પુષ્પચૂલા આયએ કાલી કુમા રીને સ્વયં દીક્ષિત કરી. યાવતુ કાલી પ્રવ્રજ્યા અંગીકાર કરીને વિચરવા લાગી.ત્યાર પછી તે કાલી આય ઇસમિતિથી યુક્ત યાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી બની ગઈ. ત્યાર પછી તે કાલી આયએ પુષ્પચૂલા આપની પાસે સામાયિકથી લઈને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું તથા ઘણા ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત આદિ તપસ્યા કરતી વિચારવા લાગી. ત્યાર પછી તે કોઈ સમયે તે કાલીઆ શરીર બાકશિકા વગેરે સુકમાલિકાની જેમ જાણવું બની ગઈ. ત્યાર પછી તે કાલી આય પાસત્યા પાસત્યવિહારિણી, અવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy