SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૯ ૧૬૯ પ્રદાન કરનાર હતી. તે પુંડરીકિણી નગરીમાં ઉત્તર-પૂર્વના ભાગમાં નલિનીવન નામક ઉદ્યાન હતું. મહાપદ્મ નામનો રાજા હતો. પદ્માવતી દેવી તેની પટ્ટરાણી હતી. તેમના આત્મજ બે કુમારો હતા. તે આ પ્રમાણે પુંડરીક અને કંડરીક. તેઓ સુકુમાર હતા. તેમાં પુંડરીક યુવરાજ હતો. તે કાળ અને તે સમયમાં સ્થવિર મુનિનું આગમન થયું. મહાપા રાજા વિરોને વંદન કરવા નીકળ્યો. ધમોપદેશ સાંભળ્યો. પુંડરીકને રાજ્ય પર સ્થાપિત કરીને તેણે દીક્ષા લીધી. હવે પુંડરીક રાજા બન્યો અને કંડરીક યુવરાજ થયો. મહાપ અણગારે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું. ત્યાર પછી સ્થવિર મુનિ બહાર જનપદમાં વિચરવા લાગ્યા. મહાપદ્મ મુનિ ઘણાં વર્ષો સુધી સંયમ પાળીને યાવતુ સિદ્ધ થયા. [૧૪] ત્યાર પછી એક વાર કોઈ સમયે પુનઃ સ્થવિરો પુંડરીકિણી રાજધાનીમાં નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પુંડરીક રાજા તેમને વંદન કરવા નીકળ્યો. કંડરીક પણ મહાજનોના મુખથી સ્થવિરોના આગમનના સમાચાર સાંભળીને મહાબલ કુમારની જેમ નીકળ્યો. યાવતુ સ્થવિરોની ઉપાસના કરવા લાગ્યો. સ્થવિરોએ ધર્મનો ઉપદેશ આપ્યો. ધમપદેશ સાંભળીને પુંડરીક શ્રમણોપાસક થયો યાવતુ પોતાના સ્થાને પાછો ફર્યો. ત્યાર પછી કંડરીક યુવરાજ ઉભો થયો. ઉભા થઈને તેણે આ પ્રમાણે કહ્યું-ભગવન્! આપે જેમ કહ્યું છે તે તેમ જ છે - સત્ય છે. હું પુંડરીક રાજાની અનુમતિ લઈને પછી સંયમ ગ્રહણ કરીશ.” સ્થવિરે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી કંડરીકે સ્થવિરોને વંદન કર્યા. વંદન કરીને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને સ્થવિરો પાસેથી નીકળ્યો. નીકળીને તે ચાર ઘંટાવાળા ઘોડાના રથ પર આરૂઢ થયો, યાવતું રાજભવનમાં આવીને ઉતર્યો. ઉતરીને જ્યાં પુંડરીક રાજા હતો, ત્યાં આવ્યો. આવીને હાથ જોડીને વાવતુ પુંડરીકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! મેં સ્થવિરોની પાસે ધર્મ સાંભળ્યો છે અને તે ધર્મ મને રચ્યો છે. તેથી હે દેવાનુપ્રિય! હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.” ત્યાર પછી પુંડરીક રાજાએ કુંડરીક યુવરાજને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે અત્યારે દીક્ષિત ન બનો. હું તમારો મહાન મહાન રાજ્યભિષેક કરવા ઇચ્છું છું. ત્યારે કુંડરીકે પુંડરીકના આ વચનનો આદર ન કર્યો, યાવતુ તે મૌન રહ્યો. ત્યારે ઇચ્છા ન. હોવા છતાં પણ તેણે નિષ્ક્રમણ-અભિષેકથી અભિષિક્ત કર્યો, યાવતુ સ્થવિરોને શિષ્યભિક્ષા પ્રદાન કરી. ત્યારે કંડરીક પ્રવ્રુજિત થયો, અણગાર બની ગયો. યાવતુ અગ્યાર અંગોનો વેત્તા થયો. ત્યાર પછી સ્થવિર ભગવંતો અન્યદા કોઈ સમયે પુંડરીકિણી નગરીના નલિનીવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા. ૨૧૫) ત્યાર પછી તે પુંડરીક અણગારને અન્ત, પ્રાન્ત આહારથી શલકની જેમ શરીરમાં દાહજ્વર ઉત્પન થયો. તે રૂણ બની વિચરતા હતા. ત્યાર પછી અન્ય એક સમયે સ્થવિરો જ્યાં પુંડરીકિણી રાજધાની હતી, ત્યાં આવ્યા. આવીને નલિનીવન ઉદ્યાનમાં સમોસય. પુંડરીક રાજા વંદન માટે નીકળ્યો. ધર્મ સાંભળ્યો. કંડરીકને વંદન કર્યા, નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને કંડરીક મુનિના શરીરને સર્વ પ્રકારે બાધાયુક્ત તથા રોગયુક્ત જોયું. જોઇને જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતોને વંદન-નમસ્કાર કર્યા. કહ્યું “ભગવન્હું કંડરીક અણગાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy