SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૫૯ કરાય છે યાવતુ તે પ્રયોજનને સિદ્ધ કર્યું. તેમણે અનંત યાવતું શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત થયું. યાવત્ તેઓ સિદ્ધ થયા. [૧૮૩] દીક્ષા અંગીકાર કર્યા પછી દ્રૌપદી. આયએ સુવ્રતા આની પાસે સામા યિકથી લઈને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રામસ્ય પયયનું પાલન કર્યું. અંતમાં એક માસની સંલેખના કરીને, આલોચના તેમજ પ્રતિક્રમણ કરીને, તથા કાળ માસમાં કાળ કરીને બ્રહ્મલોક નામના સ્વર્ગમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવરૂપે જન્મ લીધો. “ભગવાન ! તે દ્રોપદી દેવ ત્યાંથી પછી ક્યાં જન્મ લેશે ?” “તે ત્યાંથી ચ્યવને યાવતું મહાવિદેહ વર્ષમાં ઉત્પન્ન થઈને યાવત્ કમનો અંત કરશે.' અધ્યયન-૧૬નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૭-અશ્વશાન ) [૧૮૪] શ્રમણ ભગવાન મહાવીર યાવતુ નિવણને પ્રાપ્ત જિનેશ્વર દેવે સોળમાં જ્ઞાત-અધ્યયનનો પૂવક્ત અર્થ ફરમાવેલ છે તો હે ભગવન્! સત્તરમાં જ્ઞાતઅધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે? હે જબૂ! તે કાળ અને તે સમયમાં હતિશીષ નામનું નગર હતું. તે નગરમાં કનકકેતુ નામનો રાજા હતો. તે હસ્તિ શીર્ષ નગરમાં ઘણા સાયંત્રિક નૌકાવણિક રહેતા હતા. તે ધનાઢ્ય હતા યાવતુ કોઈથી પણ પરાભવ પામતા ન હતા. એક વાર કોઈ સમયે તે સાયંત્રિક નૌકાવ ણિકો આપસમાં મળ્યા. તેમણે અહંન્નકની જેમ વિચાર કર્યો. યાવત્ લવણસમુદ્રમાં તેઓ સેંકડો યોજન સુધી અવગાહન પણ કરી ગયા. તે સમયે તે વણિકોને માકંદી પુત્રોની સમાન ઘણા સેંકડો ઉત્પાત થયા. યાવતું તોફાન પણ ઉત્પન થયું. તે સમયે તે નૌકા તે તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, વારંવાર ચલાયમાન થવા લાગી, વાર વાર ક્ષુબ્ધ થવા લાગી અને તે સ્થાન પર ચક્કર ખાવા લાગી. તે સમયે નૌકાના નિયમકની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. શ્રુતિ પણ નષ્ટ થઈ ગઈ અને સંજ્ઞા પણ ગાયબ થઈ ગઈ. તે દિશા મૂઢ થઈ ગયા. તેમને આ જ્ઞાન પણ ન રહ્યું કે પોતવાહન કયા પ્રદેશમાં અથવા કઈ દિશાવિદિશામાં ચાલી રહ્યું છે? તેમના મનનો સંકલ્પ ભાંગી ગયો. યાવતું તે ચિંતામાં લીન થઇ ગયા. તે સમયે કુક્ષિધાર, કર્ણધાર, ગર્ભેિલ્લક. તથા સાયાંત્રિક નૌકાવણિક નિય મકની પાસે આવ્યા. આવીને તેને કહ્યું- દેવાનુપ્રિયીમનમા નષ્ટ સંકલ્પવાળા થઈને ચિંતા કેમ કરી કહ્યા છો ?' ત્યારે તે નિયમિકે તે ઘણા કુક્ષિધારો ને, કર્ણધારોને, ગર્ભેિલ્લકોને તથા સાયાંત્રિક નૌકાવણિકોને કહ્યું- દેવાનુપ્રિયો ! મારી મતિ નષ્ટ થઈ ગઈ છે. યાવતું પોતવહન કઈ દિશા યા વિદિશામાં જઈ રહ્યું છે તેની પણ ખબર પડતી નથી. તેથી હું ભગ્નમનોરથ થઈને ચિંતા કરી રહ્યો છું.” ત્યારે તે કર્ણધાર તે નિયમિકની તે વાત સાંભળીને અને સમજીને ભયભીત થયા. તેમણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને હાથ જોડીને ઘણા ઈન્દ્ર, સ્કંદ, આદિ દેવો ને, જેમ મલ્લિ અધ્યયનમાં કહ્યું છે તેમ મનાવવા લાગ્યા. થોડીવાર પછી તે નિયમિક લબ્ધમતિ લબ્ધશ્રુતિ, લબ્ધસંજ્ઞા અને અદિમૂઢ થઈ ગયો. ત્યારે તે નિયમિકે તે બહુસંખ્યક કુક્ષિ ધારો, આદિને કહ્યું- દેવાનુપ્રિયો! મને બુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. યાવતું મારી દિશા-મૂઢતા નષ્ટ થઈ ગઈ છે. દેવાનુપ્રિયો! આપણે લોકો કાલિક દ્વીપની નજીક આવી પહોંચ્યા છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy