SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧દ. ૧૩૭ સ્નાન કરાવીને વાવતુ બધા અલંકારોથી વિભૂષિત કર્યો હજાર પુરુષોથી વહન કરાય તેવી પાલખી તૈયાર કરાવી. તેના પર આરૂઢ કર્યો. ત્યાર પછી મિત્રો તેમજ જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને યાવતુ પુરા ઠાઠથી પોતાના ઘરેથી નીકળ્યો. તેને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયો. ત્યાર પછી સાગર સાર્થવાહે વિપુલ અશનાદિ, તૈયાર કરાવીને યાવતુ તેનું સન્માન કરીને સાગરપુત્રને સુકુમાલિકા પુત્રી સાથે પાટ પર બેસાડ્યો. બેસાડીને ચાંદી અને સોનાના કલશોથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને હોમ કરાવ્યું. હોમ પછી સાગરપુત્રને સુકુમાલિકા પુત્રી સાથે પાણિગ્રહણ કરાવ્યું. [૧૪] તે સમયે સાગરપુત્ર સુકુમાલિકા પુત્રીના આ પ્રમાણેના હાથના સ્પર્શને એવો અનુભવ કરવા લાગ્યો, જાણે કોઈ તલવાર હોય અથવા મુક્ર અગ્નિ હોય. તેનાથી પણ અધિક અનિષ્ટ હાથના સ્પર્શનો અનુભવ કરવા લાગ્યો. પરંતુ તે સમયે તે સાગર ઇચ્છા વિના વિવશ થઈને, તે હાથના સ્પર્શનો અનુભવ કરતો થકો મુહૂર્ત માત્ર બેસી રહ્યો. ત્યાર પછી સાગરદન સાર્થવાહે સાગર પુત્રના માતા-પિતાને તથા મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને વિપુલ, ભોજનથી તથા પુષ્પ વસ્ત્ર આદિથી યાવતું સન્માનિત કરીને વિદાય કર્યો. ત્યાર પછી સાગરપુત્ર સુકુમાલિકાની સાથે જ્યાં વાસગૃહ હતું ત્યાં આવ્યો. આવીને સુકમાલિકા પુત્રીની સાથે શય્યા પર સુતો. - ત્યાર પછી સાગરપુત્રે સુકુમાલિકા પુત્રીનો આ પ્રકારનો અંગસ્પર્શનો અનુભવ કયો કે જાણે કોઈ તલવાર હોય યાવતુ તે અત્યંત અમનોજ્ઞ અંગસ્પર્શનો અનુભવ કરતો રહ્યો. ત્યાર પછી તે સાગરપુત્ર તેણીના અંગ સ્પર્શને સહન ન કરતો વિવશ થઈને મુહૂર્ત માત્ર-ત્યાં રહ્યો. ત્યાર પછી તે સાગર પુત્ર સુકુમાલિકા દારીકાને સુખપૂર્વક સુતેલી જાણીને તેની પાસેથી ઉઠ્યો અને જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવ્યો. આવીને પોતા ની શય્યા પર સુઈ ગયો. ત્યાર પછી સુકુમાલિકા પુત્રી એક મુહૂર્તમાં જાગી ગઈ તે પતિ વ્રતા હતી અને પતિમાં અનુરાગવાળી હતી. તેથી પતિને પોતાની પાસે ન જોવાથી પથારીમાં બેઠી થઈ. પછી તે પોતાના પતિની શય્યા હતી ત્યાં ગઈ. ત્યાં જઈને તે સાગરની પાસે સૂઈ ગઈ. ત્યાર પછી સાગર દારકે બીજીવાર પણ સુકુમાલિકાના તે પ્રમાણેના અંગસ્પર્શનો અનુભવ કર્યો. યાવતું તે ઇચ્છા વિના પરાધીન થઈને થોડો સમય ત્યાં રહ્યો. ત્યાર પછી સાગરદારક સુકુમાલિકાને સુખપૂર્વક સૂતેલી જાણીને શય્યા પરથી ઉક્યો તેણે શયનાગારનું દ્વારા ઉઘાડ્યું. બારણું ખોલીને તે મરણથી છૂટકારો પામેલ કાગડાની જેમ શીઘ્રતાથી જે દિશાથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. ત્યાર પછી સુકુમાલિકા દારિકા થોડીવારમાં જાગી. તે પતિવ્રતા યાવતુ પતિને પોતાની પાસે ન જોવાથી પથારીમાંથી ઉઠી. તેણીએ સાગર દારકની સર્વ રીતે ગવેષણા કરી. ગવેષણા કરતાં કરતાં તેણીએ શયનગૃહના દ્વાર ખુલ્લા જોયા. તો કહ્યું-તે સાગરતો ચાલ્યો ગયો.” તેના મનનો સંકલ્પ મરી ગયો તેથી તે ચિંતા કરવા લાગી. [૧૫] ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ કાલ પ્રભાત થવા પર દાસચેટીને ' બોલાવી અને તેને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તું જા અને વધૂ-વરના માટે મુખ-શોધનિકા લઇ જા. તેથી તે દાસચેટીએ ભદ્રા સાર્થવાહીના આ પ્રમાણે કહેવા પર આ અર્થને ઘણું સારું કહીને અંગીકાર કર્યો. જ્યાં વાસગૃહ-શયનગૃહ હતું, ત્યાં આવી. ત્યાં આવીને સુકમા લિકાને દાસીએ ચિંતા કરતા જોઈ તેથી પૂછ્યું. ‘દેવાનુપ્રિયે! તું ભગ્ન મનોરથ વાળી થઇને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy