SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ યાવત્ નાયાધમ્મ કહાઓ – ૧/-/૧૪/૧૫૮ સોમદત્ત અને સોમભૂતિ. તેઓ ધનાઢય હતા યાવત્ ઋગ્વેદ આદિ બ્રાહ્મણ શાસ્ત્રોમાં યાવત્ અત્યંત પ્રવીણ હતા. તે ત્રણ બ્રાહ્મણોને ત્રણ પત્નીઓ હતી તે આ પ્રમાણે-નાગ શ્રી, ભૂતશ્રીઅને યક્ષશ્રી.તે સૂકુમાર હાથ-પગઆદિઅવયવોથીપરિપૂર્ણ તે બ્રાહ્મ ણોને ઇષ્ટ હતી. તે મનુષ્ય સંબંધી વિપુલ યાવત્ કામભોગ ભોગવતી થકી રહેતી હતી. ત્યાર પછી કોઇ સમયે તે ત્રણે બ્રાહ્મણો એક સાથે મળ્યા અને પરસ્પરમાં આ પ્રમાણેનો કથા સમુલ્લાપ થયો ‘હે દેવાનુપ્રિયો ! આપણી પાસે ઘણું ધન યાવત્ સુવર્ણ આદિ છે. સાત પેઢી સુધી ખુબ દેવામાં આવે, ભોગવવામાં આવે, વેંચવામાં આવે તો પણ પર્યાપ્ત છે. તો આપણા એક બીજાના ઘરમાં વારા પ્રમાણે; વિપુલ આહાર બનાવડાવી-બનાવ ડાવીને એકી સાથે બેસીને જમવું તે સારૂં છે.” ત્રણે બ્રાહ્મણ બંધુઓએ તે વાત પરસ્પર સ્વીકાર કરી તેઓ હંમેશા એક બીજાના ઘરમાં પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર બનાવડવા લાગ્યા અને સાથે બેસી ભોજન કરવા લાગ્યા. ત્યાર પછી એકવાર નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યા. ત્યાર નાગશ્રી બ્રાહ્મણીએ વિપુલ અશનાદિ બનાવ્યું. ભોજન બનાવીને એક મોટું શરદ ઋતું સંબંધી અથવા સાર યુક્ત તુંબાનું ઘણાં મશાલા નાંખીને અને તેલથી વ્યાપ્ત કરીને તૈયાર કર્યું. પછી પોતાની હથેળીમાં એક બુંદ લીધું અને તેને ચાખ્યું તો ખબર પડી કે તે શાક ખારૂં, કડવું, અખાદ્ય અને અને વિષ જેવું છે. આ જાણી ને તે મનોમન વિચારવા લાગી “મને અધન્યા, પુણ્યહીના, અભાગિની, ભાગ્યહીન સત્ત્વ વાળી અને લિંબોડીની સમાન અનાદરણીય, નાગશ્રીને ધિક્કાર છે ! કે જે (મે) શરદ ૠતુ સંબંધી યા રસયુક્ત તુંબડું ઘણાં મસાલાથી યુક્ત તેમજ તેલથી વઘારી તૈયાર કરેલ છે. તેના માટે ઘણું દ્રવ્ય બગાડ્યું અને તેલનો સત્યનાશ કર્યો. જો મારી દેરાણીઓ જાણશે તો મારી નિંદા કરશે તેથી મારે માટે ઉચિત છે કે મારી દેરાણીઓ જાણે તે પહેલાં જ શાક આ કોઇ સ્થાને છૂપાવી દેવામાં આવે અને બીજુ શરદ ઋતુ સંબંધી અને સારથી યુક્ત મીઠાપૂંબા યાવત્ ઘણા તેલથી વધારેલ તૈયાર કરાય તો સારું આ પ્રમાણે નાગ શ્રીને વિચાર આવ્યો. વિચાર કરીને મીઠું તૂંબડું તૈયા૨ કર્યું. ત્યાર પછી તે બ્રાહ્મણો સ્નાન કરીને યાવત્ સુખાસન પર બેઠા. તેઓને તે વિપુલ અશનાદિ, પીરસવામાં આવ્યું. તે બ્રાહ્મણો ભોજન કરી લીધા પછી પાણીથી હાથ ધોઇને, સ્વચ્છ થઈને, પવિત્ર થઇને, પોત પોતાના કામમાં લાગી ગયા. ત્યાર પછી સ્નાન કરેલી તે બ્રાહ્મણીઓએ યાવત્ શ્રૃંગાર કર્યો પછી તે વિપુલ અશનાદિ, આહાર જમ્યા પછી તે પોતપોતાના ઘરે ચાલી ગઈ. [૧૫૯] તે કાળે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિરના શિષ્ય ધર્મચિ નામ ના અણગાર હતા. તે ઉદાર, પ્રધાન યાવત્ તેજોલેશ્યાથી સંપન્ન હતા અને માસ માસનું તપ કરીને વિચરતા હતા, ત્યાર પછી તે ધર્મચિ અણગારને પારણાનો દિવસ આવ્યો. ત્યારે તેણે માસખમણના દિવસે પ્રથમ પોરસીએ સ્વાધ્યાય કર્યો. બીજી પોરસીએ ધ્યાન કર્યું. ઇત્યાદિ બધો વૃત્તાન્ત ગૌતમસ્વામીની સમાન જાણી લેવો જોઇએ. ત્રીજા પ્રહરમાં પાત્રનું પ્રતિલેખન કર્યું. પછી ધર્મઘોષ સ્થવિર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી. યાવત્ ચંપા નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં ભ્રમણ કરતાં તેઓએ નાગશ્રી બ્રાહ્મણીના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તે નાગશ્રીને ધર્મઘોષ મુનિને આવતાં જોયા. જોઇને તે શરદ્ ૠતુ સંબંધી, ઘણાં મસાલાવાળું અને તેલથી યુક્ત ઝૂંબનું શાક કાઢી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy