SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉદેસો-૨૦ ૪૪૭ છાસઠ સાગરોપમ-એટલો કાળ ચાવતુ-ગમનાગમન કરે. જો તે તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અહી ઉપપાત કહેવો. યાવતુ- હે ભગવન્! જે પૃથિવીકાયિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળઆ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અને પૂર્વકોટીની સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે (પૃથિવીકા યિકો) એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ પરિણામથી માંડી અનુબંધ સુધી જે પોતાના સ્વાસ્થાનમાં વક્તવ્યતા કહી છે તેજ પ્રમાણે અહિં પણ કહેવી. પરન્તુ વિશેષ એ કે નવે ગમકોમાં પરિણામ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સંવેધ-ભવની અપેક્ષાએ નવે ગમોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ જાણવા. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. કાળની અપેક્ષાએ બન્નેની સ્થિતિ એકઠી કરવાવડે સંવેધ કરવો. જો તે અપ્લાયિકોથી આવી ઉત્પન્ન થાય તો-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે અપ્લાય સંબંધે પણ કહેવું. અને એ પ્રમાણે વાવતુ-ચાઉરિન્દ્રિય સુધીનો ઉપપાત કહેવો. પરન્તુ સર્વ ઠેકાણે પોતપોતાની વક્તવ્યતા કહેવી. નવે ગમકોમાં ભવાદેશ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ, તથા કાળાદેશ બન્નેની સ્થિતિ જોડીને કરવો. જે પ્રમાણે પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થનારની વક્તવ્યતા કહી છે તેજ પ્રમાણે બધા ગમોમાં બધા જીવો સંબંધે કહેવી, અને બધે ઠેકાણે સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો.હે ભગવન્! જો તે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથીઆવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! બન્ને પ્રકારથી ઈત્યાદિ પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થનાર તિર્યંચોના ભેદો કહ્યા છે તેમ અહીં પણ કહેવા. પાવતુ હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પંચે ન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યા તમા ભાગની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તેએક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ સંબંધે પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની વક્તવ્યતા કહી છે તે આ પ્રમાણે યાવતુ-ભવાદેશ સુધી કહેવી. કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીપૃથક્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બીજા ગામમાં પણ એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળા દેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તમુહૂર્ત અધિક ચાર પૂર્વકોટી એટલો કાળ યાવતુ-ગતિઆગતિ કરે. જો તે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ માં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ જેમ રત્નપ્રભા પૃથિવીમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહી છે તેમ થાવતુ-કાળાદેશ સુધી બધી વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે પરિણામ-જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. બાકી બધું તે પ્રમાણે જાણવું. જો તે પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય તો જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિવાળો અને ઉત્કૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy