SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ભગવઇ – ૨૪/૯/૧૨ થી ૧૯/૮૪૬ કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક સાત હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને સોળ હજાર વર્ષ- યાવત્-ગમનાગમન કરે. આઠમાં ગમમાં કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક સાત હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અઠ્યાશી હજાર વર્ષે ગમના ગમન કરે તથા નવમાં ગમમાં ભવાદેશ થી જધન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવો તથા કાળાદેશ થી જઘન્ય ઓગળત્રીસહજા૨વર્ષઅનેઉત્કૃષ્ટએકલાખ સોળ હજાર વર્ષ-યાવત્-ગમનાગમન કરે. હે ભગવન્ ! જો તે તેઉકાયથી આવી ઉપજે તે તેઉકાયિકને પણ એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે નવે ગમમાં લેશ્યાઓ કહેવી. તેઉકાયનું સંસ્થાન સોયના સમૂહના આકારે હોય છે. અને સ્થિતિ (ત્રણ અહોરાત્રની) જાણવી. ત્રીજા ગમમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ બાર અહોરાત્ર અધિક અઠ્યાવીસ હજાર વર્ષ એટલો કાળ-યાવત્-ગમનાગમન કરે. જો તેઓ વાયુ કાયિકાથી આવી ઉત્પન્ન થાય તો તેને તેજસ્કાયિકોની પેઠે નવે ગમકો કહેવા. પણ વિશેષ એ કે વાયુકાયિકોના શરીરનો આકાર ધ્વજાના આકારે હોય છે. સંવેધ હજારો વર્ષવડે ક૨વો. ત્રીજા ગમમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ- જો તેઓ વનસ્પતિકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો-ઈત્યાદિ વનસ્પતિ કાયિકના નવે ગમકો અપ્લાયિકની પેઠે કહેવા. પણ વિશેષ એ કે વનસ્પતિના શરીરો અનેક પ્રકારનાં સંસ્થાન-આકૃતિવાળા હોય છે. પહેલાં અને છેલ્લા ત્રણે ગમકોમાં શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલના અસંખ્યા- તમાં ભાગ જેટલું અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન કરતાં અધિક હોય છે. મધ્યમના ત્રણે ગમમાં પૃથિવીકાયિકોની પેઠે જાણવું. ત્રીજા ગમમાં કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને અઠ્યાવીસ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. [૮૪૭]જો તેઓ બેઈન્દ્રિયથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા બેઈન્દ્રિયથી કે અપર્યાપ્તા બેઈન્દ્રિયથી બન્ને.જે બેઈન્દ્રિય, પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તેની સ્થિતિનો પ્રશ્ન જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય એક, બે કે ત્રણ, અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય. તેઓ છેવટ્ઠ સંઘયણવાળા હોયછે. તેઓના શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બારયોજન. હુંડકસંસ્થાન વાળ,ત્રણ લેશ્યાઓ,ઓ સમ્યદૃષ્ટિ અને મિથ્યાવૃષ્ટિ હોય છે, તેઓને બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય હોય છે. તેઓ વચનયોગી અને કાયયોગી હોય છે. ઉપયોગ બન્ને પ્રકારનો. ચા૨સંજ્ઞાઓ, ચારકષાયો,જીલેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય અને ત્રણ સમુદ્ધાતો હોય છે. બાકી બધું પૃથિવીકાયિકોની પેઠે કહેવું. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો.ભવા દેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવો તથા કાળાદેશથી જઘન્ય બે અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતો કાળો તે બેઈન્દ્રિય જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથિવી કાયિકમાં ઉત્પન્ન થાય તો તેને બધી એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. જો તે બેઈન્દ્રિય, ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તેને પણ આ જ વક્તવ્યતા કહેવી. વિશેષ એકે ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠભવ, તથા કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અડતાલીશ વર્ષ અધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy