SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ભગવઇ-૨૪-૧૫૮૪૧ તેઓના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલપૃથ- ત્ત્વ હોય છે, તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે, પ્રથમના પાંચ સમુદઘાતો હોય છે, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ માંસપૃથકત્વ હોય છે. બાકી બધું યાવતુભવાદેશ સુધી પૂર્વ પ્રમાણે જાણવું. કાળની અપેક્ષાએ જઘન્યથી માસપૃથક્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર માસપૃથક્વ અધિક ચાર સાગ- રોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જે તે મનુષ્ય જઘન્યકાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને પૂર્વોક્ત ચોથા ગમકના સમાન વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળની અપે ક્ષાએ જઘન્ય માસપૃથકત્વ અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર માસપૃથકત્વ અધિક ચાલીશ હજાર વર્ષ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. હવે તેજ મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને એજ ગમક કહેવો. પણ વિશેષ એ કે કાળા દેશ વડે જઘન્ય માસપૃથક્વ અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર માસપૃથક્વ અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે મનુષ્ય પોતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો હોય અને રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે પ્રથમ ગમક કહેવો. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષની અને અનુબંધ પણ તે પ્રમાણે જાણવો. કાળની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટી અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વમોટી અધિક ચાર સાગરોપમ એટલો કાળ યાવતુ-ગમના ગમન કરે. જો તે જ મનુષ્ય જઘન્યકાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે એ જ સાતમા ગમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળની અપેક્ષાએ જઘન્ય દશ હજાર વર્ષ અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ ચાલીશ હજાર વર્ષ અધિક ચાર પૂર્વમોટી-એટલો કાળ યાવતુ ગમનાગમન કરે. જો તે ઉત્કૃષ્ટસ્થિતિ વાળો મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને સાતમાં ગમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે કાળની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટી અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વમોટી અધિક ચાર સાગરોપમ એટલો કાળ યાવતુગમનાગમન કરે. હે ભગવનું ! સંખ્યાતા વર્ષના આયુષવાળો પતિ સંજ્ઞી મનુષ્ય જે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષના આયુષવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્યથી એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની સ્થિતિ વાળા નૈરયિકોમાં. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? અહિં રત્નપ્રભા નૈરયિકોનો ગમક કહેવો. પરન્તુ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્યથી રપૃિથિત્ત્વ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ હોય છે. સ્થિતિ જઘન્યથી વર્ષપૃથર્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી વર્ષની હોય છે. એવી રીતે અનુબંધ પણ જાણવો. બાકી બધું તે જ પૂર્વોક્ત યાવતુભવાદેશ સુધી કહેવું. કાળની અપેક્ષાએ જઘન્ય વર્ષમૃથકત્વ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વ- કોટી અધિક બાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. એ પ્રમાણે ઔધિક ત્રણે ગમકમાં મનુષ્યોની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે નૈરયિકની સ્થિતિ અને કાળાદેશ વડે તેનો સંવેધ જાણવો. તે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy