SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ ભગવઈ - ૨૪ -૧/૮૪૦ તમ:પ્રભામાં પ્રથમના બે સંઘયણવાળાં નારકો ઉત્પન્ન થાય છે. હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે સપ્તમ નરક પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષની સ્થિતિ વાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્ય બાવીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકો ઉત્પન્ન થાય. હે ભગવનું ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ રત્નપ્રભાના નવ ગમકોની અને બીજી બધી વક્ત, વ્યતા કહેવી. પણ વિશેષ એ કે ત્યાં વજઋષભનારા સંઘયણવાળા ઉપજે છે, સ્ત્રીવેદ વાળા જીવો ત્યાં ઉત્પન્ન થતા નથી, બાકી બધું યાવતુ-અનુબંધ સુધી પૂર્વોક્ત કહેવું. સંવેધ-જઘન્યથી ભવની અપેક્ષાએ ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ, તથા કાળની અપે ક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. તે જઘન્ય સ્થિતિ વાળા સપ્તમ નરક પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ વક્તવ્યતા યાવતુભવાદેશ સુધી પૂર્વવત્ જઘન્યથી કાળાદેશ પણ તેજ પ્રકારે કહેવો, તે જીવ ઉત્કૃષ્ટસ્થિતિ વાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ વક્તવ્યતા યાવતુ-અનુબંધ સુધી પૂર્વ પ્રમાણે કહેવી ભવની અપેક્ષાએ જઘન્યથી ત્રણ ભવ અને ઉત્કરથી પાંચ ભવ, તથા કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વ કોટી અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જીવ પોતે જઘન્ય સ્થિતિવાળો હોય અને તે સપ્તમ નરક પૃથિવીના નૈરયિકો માં ઉત્પન્ન થાય-તે સંબંધે બધી વક્તવ્યતા રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર જઘન્યસ્થિતિ વાળા સંજ્ઞી પંચેન્દ્રિયની વક્તવ્યતા પ્રમાણે યાવતુ-ભવાદેશ સુધી કહેવી. પરન્તુ વિશેષ એ કે તે પ્રથમ સંઘયણવાળો હોય છે, અને સ્ત્રીવેદી હોતો નથી. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ, તથા કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહુર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. તે જઘન્યસ્થિતિવાળા સપ્તમ નરક પૃથિવીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય તો તે સંબંધે ચોથો ગમ ચાવતુ-કાલાદેશ સુધી સમગ્ર કહેવો. તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સપ્તમ નરક પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે યાવતુ-અનુ બંધ સુધી પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ પાંચ ભવ. કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. તે પોતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો હોય અને સપ્તમ નરક પૃથિવીમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય બાવીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સોગરોપમની સ્થિતિ- વાળા નૈરયિ કોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્ત વ્યતા સપ્તમ નરક પૃથિવીના પ્રથમ ગમકની પેઠે યાવતુ-ભવાદેશ સુધી કહેવી. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી જાણવો. સંવેધ કાળની અપેક્ષાએ જઘન્ય બે પૂર્વમોટી અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વમોટી અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જઘન્યસ્થિતિવાળા સપ્તમ નરકમૃથિવીના નૈરયિકોમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy