SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૮, ઉદેસો-૧ ૩૭૭. મનયોગી, વચનયોગી અને કાયયોગી એ બધા આહારક જીવોની પેઠે અપ્રથમ જાણવા. વિશેષ એ કે, જે જીવોને જે યોગ હોય તેને તે યોગ કહેવો. અયોગી જીવ, મનુષ્ય અને સિદ્ધ એ બધા પ્રથમ છે પણ અપ્રથમ નથી. સાકારોપયોગવાળા અને અનાકારોપયોગવાળા એ બંન્ને અનાહારક જીવની પેઠે જાણવા. સવેદક-યાવતુ નપુંસકવેદવાળા એ બધા આહારકજીવોની પેઠે અપ્રથમ જાણવા. વિશેષ એ કે, જે જીવને જે વેદ હોય તેને તે કહેવો. અવેદક- જીવ, મનુષ્ય અને સિદ્ધ અકષાયી જીવની પેઠે જાણવા. સશરીર જીવો આહારક જીવની પેઠે સમજવા, અને એ પ્રમાણે યાવતુ-કાશ્મણ શરીરવાળા સંબંધે પણ જાણવું. જે જીવને જે શરીર હોય તે તેને કહેવું. વિશેષ એ કે, આહારકશરીરવાલા સમ્યગ્રુષ્ટિ જીવોની પેઠે કદાચ પ્રથમ અને કદાચ અપ્રથમ સમજવા, અશરીરી- જીવ અને સિદ્ધ એ બન્ને પ્રથમ છે પણ અપ્રથમ નથી. પાંચ પતિવડે પર્યાપ્ત અને પાંચ અપતિવડે અપયપ્તિ આહારક જીવની પેઠે અપ્રથમ સમજવા. વિશેષ એ કે જેને જે પયક્તિ હોય તે તેને કહેવી. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી સમજવું. પ્રથમ અને અપ્રથમના સ્વરુપને જણાવનારી આ ગાથા કહે છે-“જે જીવે જે ભાવ-અવસ્થા પૂર્વે પ્રાપ્ત કરેલ છે તે ભાવની અપેક્ષાએ તે જીવ અપ્રથમ કહેવાય છે, અને તે સિવાય પૂર્વે નહિ પ્રાપ્ત થયેલ પણ પ્રથમ વાર પ્રાપ્ત થયેલા ભાવોની અપેક્ષાએ તે જીવો પ્રથમ કહેવાય છે.” [૭૨૪]હે ભગનq!જીવ જીવત્વભાવવડે ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! ચરમ નથી પણ અચરમ છે.હે ભગવનનિરયિક નૈરયિકભાવવડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! તે કદાચ ચરમ પણ છે અને કદાચ અચરમ પણ છે. એ પ્રમાણે યાવતુ-વૈમા નિકો સુધી જાણવું. સિદ્ધને જીવની પેઠે જાણવું. જીવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જીવો ચરમ નથી પણ અચરમ છે. નરયિકો નૈરયિકોભાવવડે ચરમ પણ છે અને અચરમ પણ છે, એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સિદ્ધો જીવોની પેઠે અચરમ જાણવા. આહારક સર્વત્ર કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય, અના હારક જીવ અને સિદ્ધ બન્ને સ્થાને ચરમ ન હોય પણ અચરમ હોય. બાકીના નૈરયિકાદિ સ્થાનોમાં અનાહારક આહારક જીવની પેઠે કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. ભવસિદ્ધિક જીવપદમાં ચરમ છે પણ અચરમ નથી. અને બાકીના સ્થાનોમાં આહાર કની પેઠે કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. અભવસિદ્ધિક જીવ સર્વત્ર ચરમ નથી પણ અચરમ છે. તથા નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક જીવ એ બન્ને પદે અભવસિદ્ધિકની પેઠે અચરમ જાણવા. સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને કદાચિતું ચમર અને કદાચિતુ. અચરમ સમજવા. તથા નોસંજ્ઞીનોઅસંશી જીવ અને સિદ્ધ એ બન્ને અચરમ છે. અને મનુષ્ય પદે ચરમ છે. લેફ્સાહિત યાવતુ-શુક્લલેશ્યાવાળો આહારકની પેઠે જાણવો. વિશેષ એ કે, જેને જે વેશ્યા હોય તે તેને કહેવી. વેશ્યારહિત જીવ નોસંજ્ઞીનો અસંગીની પેઠે જાણવો. સમ્યગ્દષ્ટિ અનાહારક પેઠે અને મિથ્યાદ્રષ્ટિ આહારકની પેઠે જાણવો. એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિય સિવાયનો મિશ્રવૃષ્ટિ જીવ કદાચ ચરમ અને કદાચ અચરમ પણ હોય છે. સંયત જીવ તથા મનુષ્ય એ બન્ને પદે આહારકની પેઠે જાણવા. વળી અસંયત અને સંયતાસંયત પણ તેજ પ્રમાણે સમજવા. વિશેષ એ કે, જે જેને હોય તેને તે કહેવું. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy