SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૭, ઉદેસી-૪ ૩૭૩ ઉભયકૃત નથી. એ પ્રમાણે વાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો શું આત્મ કૃત વેદનાને વેદે છે, હે ગૌતમ! જીવો આત્મકૃત વેદનાને વેદે છે, પરકૃત કે ઉભયકૃત નહીં એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું શતક ૧૭-ઉદેસી-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૫) [૭૦૮]હે ભગવન્ ! દેવેંદ્ર દેવરાજ ઈશાનની સુધમાં સભા ક્યાં કહી છે? હે ગૌતમ ! જંબૂઢીપ નામે દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરે આ રત્નપ્રભાના પૃથિવીના અત્યન્ત સમ અને રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર અને સૂર્યને મૂકીને આગળ ગયા પછીયાવતુ સ્થાનપદમાં કહ્યા પ્રમાણે મધ્યભાગમાં ઈશાનાવ- સંતક વિમાન આવે છે. તે સાડા બાર લાખ યોજન લાંબુ અને પહોળું છે-ઈત્યાદિ યાવતુ-દશમ શતકમાં શક્રવિમાનની. વક્તવ્યતા કહી છે તે બધી અહીં ઈશાન સંબંધે કહેવી. તે ઈશાનેન્દ્રને આયુષ કિંચિતુ અધિક બે સાગરોપમનું છે, યાવતુ-દેવેંદ્ર દેવરાજ ઈશાન છે. શતક ૧૭ઉદેસોપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક [૭૦૯]હે ભગવન્! જે પૃથિવીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીમાં મરણ સમુદઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ! શું પ્રથમ ઉત્પન્ન થાય અને પછી આહાર કરે-પુદ્ગલ ગ્રહણ કરે કે પ્રથમ પુગલ ગ્રહણ કરે અને પછી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે શા કારણથી ? હે ગૌતમ ! પૃથિવીકાયિકોને ત્રણ સમુદ્દઘાતો કહ્યા છે, વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત અને મરણાંતિક સમુદ્દઘાત. જ્યારે જીવ મારણાં- તિક સમુદ્દઘાત કરે છે ત્યારે દેશથી પણ સમુદ્દઘાત કરે છે અને સર્વથી પણ સમુઘાત કરે છે. જ્યારે દેશથી સમુદ્દઘાત કરે છે ત્યારે પ્રથમ પુદ્ગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે, જ્યારે સર્વથી સમુદઘાત કરે છે ત્યારે પ્રથમ ઉત્પન્ન થાય છે અને પછી પુગલ ગ્રહણ કરે છે. હે ભગવનું ! પૃથિવીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુ-મરણસમુદ્દઘાત કરી જે ઈશાનકલ્પમાં પૃથિવીકા- વિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પૃચ્છા. પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-અર્ચ્યુત, રૈવેયક, અનુ ત્તર વિમાન અને ઈષ~ામ્ભારા પૃથિવી સંબંધે પણ જાણવું. હે ભગવન્! જે પૃથિવી કાયિક જીવ આ શર્કરપ્રભા પૃથિવીમાં મરણસમુદ્દઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથિવીકા વિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ રત્નપ્રભા પૃથિવીના પૃથિવીકાયિક નો ઉત્પાદ કહ્યો છે તેમ શર્કરપ્રભા નો કહેવો. યાવતુ એ પ્રમાણે ઈષ...ભારા પૃથિવી સુધી જાણવું. તથા જેમ રત્નપ્રભાના પૃથિવીકાયિકની વક્તવ્યતા કહી તેમ યાવતુ સાતમી નરકમૃથિવી સુધીમાં મરણ મુદ્દઘાતથી સમવહત થયેલા જીવનો ઈષત્રાભારામાં ઉપપાત કહેવો. શતક ૧૭-ઉદેસો ની ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy