SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭ શતક-૧૬, ઉદેસો-૮ પુરુષ પોતાનો હાથ, પગ, બાહુ, કે ઉરુ સંકોચે કે પસારે તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે? હે ગૌતમ! તે પુરુષને કાયિકી વગેરે પાંચે ક્રિયાઓ લાગે. [૬૮]હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો વાવતુ-મોટા સુખવાળો દેવ લોકાંતમાં રહીને અલોકમાં પોતાના હાથને, યાવતુ-ઉરુને સંકોચવા કે પસારવા સમર્થ છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ગૌતમ જીવોને આહારૌપચિત, શરીરોપતિ અને ક્લેવરોપચિત પુદ્ગલો હોય છે, તથા પુદ્દલોને આશ્રયીનેજ જીવોનો અને અજીવોનો ગતિપર્યાય કહેવાય છે. અલોકમાં તો જીવો નથી. તેમ પુદ્ગલો પણ નથી માટે તે હેતુથી પૂર્વોક્ત દેવ યાવતુ-પસારવા સમર્થ નથી. હે ભગવન્! તે એમજ છે, એમજ છે.” | શતકઃ૧૬-ઉદ્દેસો ૮ની મુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૯) [૬૮૭lહે ભગવન્! વૈરોચનેન્દ્ર અને વૈરોચન રાજા એવા બલિની સુધમાં સભા ક્યાં કહેલી છે? હે ગૌતમ ! જંબુદ્વીપ નામે દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરે તિરછું અસંખેય ઈત્યાદિ જેમ ચરમની હકીકતમાં કહ્યું છે તેમ અણવરદ્વીપની બાહ્યવેદિકાથી અરુણવરસમુદ્રમાં ૪૨૦૦૦ યોજન અવગાહ્યા પછી વૈરોચનેન્દ્ર અને રોચનરાજા એવા બલિનો રુચકેંદ્ર નામનો ઉત્પાત પર્વત કહ્યો છે. તે ઉત્પાત પરવેંત તેનું પ્રમાણ તિગિ ચ્છકૂટ પર્વતની પેઠે જાણવું યાવતું કેન્દ્ર નામનો અર્થ પણ તે પ્રમાણે કહેવો. વિશેષ એ કે અહિં કેન્દ્રની પ્રભાવાળાં ઉત્પલાદિ જાણવાં.બાકી બધું તેજ પ્રમાણે યાવતુ-તે બલિ ચંચા રાજધાનીનું તથા અન્યોનું આધિપત્ય કરતો વિહરે છે.) ત્યાં સુધી કહેવું. તે રુચ કેન્દ્ર ઉત્પાત પર્વતની ઉત્તરે ઈત્યાદિ પૂર્વવતુ યાવતુ-ચાલી હજાર યોજન ગયા પછી ત્યાં બલિની બલિચંચા'નામની રાજધાની કહીછેતેરાજધાનીનો વિખંભ વિસ્તાર એકલાખ યોજના છે. બાકીનું વધુ પ્રમાણ પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ કે બલિની સ્થિતિ સાગ રોપમ કરતાં કંઈક અધિક કહી છે. હે ભગવન્!તે એમજ છે, હેભગવન્!તે એમજ છે.' શતકઃ૧૬-ઉદેસી ૯ની મુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક ૧૦-૧૪) [૬૮૮]હે ભગવનું ! અવધિજ્ઞાન કેટલા પ્રકારે કહ્યું છે ? બે પ્રકારે.અહિં પ્રજ્ઞાપના'નું તેત્રીસમું પદ સંપૂર્ણ કહેવું. હે ભગવન્! તે એમજ છે, યાવવિહરે છે. [૬૮]હે ભગવન્! દીપકુમારો બધા સમાન આહારવાળા છે, સમાન ઉચ્છુવાસ-નિઃશ્વાસવાળા છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. અહિં જેમ પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકમાં દ્વીપકુમારોની વક્તવ્યતા કહેલી છે તે બધી કહેવી, હે ભગવનું ! દ્વિીપકુમારોને કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ ! ચાર. કૃષ્ણલેશ્યા, યાવતુ- તેજો લેશ્યા. હે ભગવનું ! યાવતુ-તેજલેશ્યાવાળા એ દ્વીપકુમારોમાં કોણ કોનાથી યાવતુવિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા દ્વીપકુમારો તેજોલેશ્યાવાળા છે, કાપોતલેશ્યા વાળા અસંખેયગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, અને તેના કરતાં કષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! એ દ્વીપકુમારોમાં કોણ કોનાથી અલ્પ ધિક છે અને મહર્ધિક છે ? હે ગૌતમ ! કષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy