SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧દ, ઉદસો-દ ૩૬૭ (ઉદ્દેશકઃ૬) [૭૭] હે ભગવન! સ્વપ્નદર્શન કેટલા પ્રકારનું કહ્યું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું યથાતથ્ય, પ્રતાન, ચિંતા, તદ્વિપરીત, અને અવ્યક્ત સ્વપ્રદર્શન. હે ભગવન્! સૂતેલો પ્રાણી » જુએ, જાગતો પ્રાણી સ્વપ્ર જુએ કે સૂતો જાગતો પ્રાણી સ્વપ્ર જુએ? હે ગૌતમ ! સૂતેલો પ્રાણી સ્વપ્ર ન જુએ, જાગતો પ્રાણી સ્વપ્ર ન જુએ પણ સૂતો જાગતો પ્રાણી સ્વપ્રને જુએ. હે ભગવન્! જીવો સૂતેલા છે, જાગૃત છે કે સૂતાજાગતા છે? હે ગૌતમાં તે ત્રણે છે. હે ભગવન્! નૈરયિકો સૂતેલા છે-ઈત્યાદિ પ્રશ્ન. સૂતેલા છે, પણ જાગતા કે સૂતા-જાગતા નથી. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય સંબધે પણ જાણવું.પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુતેલા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ સૂતેલા છે અને સૂતા-જાગતા નથી. એ પ્રમાણે યાવતુ- ચઉરિન્દ્રિય સંબધે પણ જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુતેલા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ સૂતેલા છે અને સૂતાજાગતા પણ છે. પણ (તદ્દન) જાગતા નથી. મનુષ્યના પ્રશ્નમાં સામાન્ય જીવોની પેઠે જાણવું. વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિક દેવોના પ્રશ્નમાં નૈરયિકોની પેઠે સમજવું. [૬૭૮]હે ભગવન્! સંવૃત્ત જીવ સ્વપ્ર જુએ, અસંવૃત્ત જીવ સ્વપ્ર જુએ કે સંવૃત્તા સંવૃત જીવ સ્વમ જુએ? હે ગૌતમ ! એ ત્રણે જીવો સ્વમ જુએ, પણ સંવૃત્ત જીવ સત્ય સ્વઝ જુએ, અસંવૃત્ત જીવ જે સ્વપ્ર જુએ તે સત્ય પણ હોય અસત્ય પણ હોય, તથા અસંવૃત્તની પેઠે સંવૃત્તાસંવૃત્ત જીવ પણ સ્વપ્ર જુએ. હે ભગવન્! જીવો સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારના છે. જેમ સુપ્ત જીવોનું વર્ણન કરેલું છે તેમ અહીં પણ સમજવું. હે ભગવન્! સ્વપ્ર કેટલા પ્રકારના કહ્યાં છે? હે ગૌતમ ! બેંતાલીશ પ્રકારના મહાસ્વપ્ર કેટલા પ્રકારનાં કહ્યા છે ? હે ગૌતમ ! બધા મળીને બહોંતેર સ્વપ્રો કહ્યાં છે. હે ભગવનું જ્યારે તીર્થકરનો જીવ ગર્ભમાં અવતરે ત્યારે તીર્થંકરની માતાઓ કેટલા મહાસ્વપ્ર જોઈને જાગે? હે ગૌતમ ! ચૌદ મહાસ્વપ્રો જોઈને જાગે છે. તે આ પ્રમાણે હાથી, બળદ, સિંહ, યાવતું- અગ્નિ. હે ભગવન્! જ્યારે ચક્રવર્તીનો જીવ ગર્ભમાં અવતરે ત્યારે ચક્રવર્તીની માતાઓ કેટલા મહાસ્વપ્ર જોઈને જાગે? હે ગૌતમ ચૌદ મહાસ્વપ્રો તીર્થંકરની માતાઓની પેઠેજ જુએ છે અને પછી જાગે છે, એજ પ્રમાણે વાસુદેવની માતાની સ્વપ્રસંબધે પૃચ્છા ! હે ગૌતમ! કોઈ પણ સાત મહાસ્વપ્રો જોઈને જાગે છે. એ પ્રમાણે બલદેવની માતાઓ કોઈ પણ ચાર મહાસ્વપ્રો જોઈને જાગે છે. ! માંડલિક રાજાઓની માતાઓ એ ચૌદ સ્વપ્રોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્રને જોઈને જાગે છે. [૬૭૯]જ્યારે શ્રમણ ભગવંત મહાવીર છદ્મસ્થપણામાં હતા ત્યારે તેઓ એક રાત્રિના છેલ્લા પ્રહરમાં આ દશ મહાસ્વપ્રો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે- “એક મોટા ભયંકર અને તેજસ્વી પવાળા તાડ જેવા પિશાચને પરાજિત કર્યો.' એક મોટા ધોળી પાંખવાળા પુસ્કોકિલને તેઓએ સ્વપ્રમાં જોયો એક મોટા ચિત્રવિચિત્ર પાંખવાળા પંસ્કોકિલને સ્વપ્રમાં જોયો, એક મહાન સર્વરત્નમય માલાયુગલને સ્વપ્નમાં એક મોટા અને ધોળા ગાયના ધણને સ્વપ્રમાં જોયો જોયો ચારે બાજુથી કુસુમિત થયેલા એક મોટા, પદ્મસરોવરને સ્વપ્રમાં જોયો ‘હજારો તરંગ અને કલ્લોલોથી વ્યાપ્ત એક મહાસાગરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy