SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૬, ઉદેસો-૫ ૩૬૧ આજે તો તે શક્ર આપને સંક્ષિપ્ત આઠ પ્રશ્નો પૂછી અને ઉત્સુકતાપૂર્વક વાંદી નમી યાવતુકેમ ચાલ્યો ગયો? - હે ગૌતમી એ પ્રમાણે ખરેખર તે કાળે તે સમયે મહાશુક્રકલ્પના મહા સામાન્યવિમાનમાં મોટી ઋદ્ધિવાળા, યાવતુ-મોટા સુખવાળા બે દેવો એકજ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાદ્રષ્ટિરુપે ઉત્પન્ન થયો અને એક આયામી. સમ્યવૃષ્ટિરુપે ઉત્પન્ન થયો. ત્યાર પછી ઉત્પન્ન થયેલા તે માયિમિથ્યાવૃષ્ટિ દેવે ઉત્પન્ન થયેલા આમાયિસમ્યવ્રુષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું કે- પરિણામ પામતા પુદ્ગલો “પરિ ણત' ન કહેવાય, પણ ‘અપરિણત’ કહેવાય. ત્યારબાદ ઉત્પન્ન થયેલા તે અમાયી સમ્યગ દ્રષ્ટિ દેવે આ પ્રમાણે કહ્યું કે-પરિણામ પામતા પુદ્ગલો “પરિણત’ કહેવાય, પણ ‘અપરિ સત’ન કહેવાય, એ પ્રમાણે કહી ઉત્પન્ન થયેલા તે અમાસિમ્યગદ્રષ્ટિ દેવે ઉત્પન્ન થયેલા માયિમિથ્યાવૃષ્ટિ દેવને આ પ્રકારનો સંલ્પ ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી યાવતુ-પપાસી આ પ્રકારનો પ્રશ્ન પૂછવો ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર મારી તરફ આવતા તે દેવની તેવા પ્રકારની દિવ્યદેવર્ષિ, દિવ્યદેવતિ, દિવ્ય દેવપ્રભાવ અને દિવ્ય તેજોરાશિને ન સહન કરતો આઠ સંક્ષિપ્ત પ્રશ્નો પૂછી અને ઉત્સુકતાપૂર્વક વાંદી યાવતુ-ચાલ્યો ગયો. [૬૭]જે વખતે શ્રમણ ભગવંત મહાવીર પૂર્વ પ્રમાણેની વાત પૂજ્ય ગૌતમને કહી રહ્યા છે તે જ વખતે તે (સમ્યવૃષ્ટિ દેવ) ત્યાં શીધ્ર આવ્યો અને પછી તે દેવે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વાંદી નમી આ પ્રમાણે કહ્યું કે-હે ભગવનું ! મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય નામના વિમાનમાં ઉત્પન્ન થયેલા માયી મિથ્યાદ્રષ્ટિ દેવે મને આ પ્રમાણે કહ્યું કે “પરિણત’ કહેવાય. તો હે ભગવન્! એ મારું કથન કેવું છે? શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું કે-હે ગંગદત્ત! હું પણ એ પ્રમાણે કહું છું, કે પરિણામ પામતા પુદ્દલો યાવતુ “અપરિણત' નથી પણ “પરિણત’ છે, અને તે અર્થ સત્ય છે. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી એ વાતને સાંભળી અવધારી તે ગંગદત્ત દેવ હર્ષવાળો અને સંતોષવાળો થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નથી બહુ દૂર નહિ અને બહુ નજીક નહી એવી રીતે પાસે બેસી તેઓની પર્યાપાસના કરે છે. પછી શ્રમણ ભગવંત મહાવીરે ધર્મકથા કહી, યાવતુ-તે આરાધક થયો. પછી તે ગંગદત્ત દેવ હર્ષ અને સંતોષયુક્ત થઈ ઉભો થયો, શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે બોલ્યો કે- હે ભગવંત! હું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક છું? જેમ સૂયભદેવ સંબધે કહ્યું તેની પેઠે બધું જાણવું, યાવતું તે ગંગદત્ત દેવ બત્રીસ પ્રકારના નાટક દેખાડી જ્યાંથી આવ્યો હતો ત્યાંથી પાછો ચાલ્યો ગયો. [૭] ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને કહ્યું, કે-હે ભગવન ! એ ગંગદત્ત દેવની તે દિવ્ય દેવઈિ, દિવ્ય દેવવૃતિ યાવતુ-ક્યાં ગઈ? હે ગૌતમ! તે દિવ્ય દેવધિ તે ગંગદત્ત દેવના શરીરમાં ગઈ, આ સ્થળે પૂર્વોક્ત કૂટાગાર શાળાનો દ્રષ્ટાંત જાણવો. ગંગદત્ત દેવે તે દિવ્ય દેવધિ અને દિવ્ય દેવઘુતિ શાથી મેળવી, યાવતુ તેને શાથી અભિસમન્વાગત-પ્રાપ્ત થઈ ? શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું કે-હે ગૌતમ તે કાળે તે સમયે આજ જંબૂદ્વીપમાં, ભારતવર્ષમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં સહસ્ત્રા ભ્રવણ નામનું ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં આડ્ય, યાવતુ-અપરિભૂત એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy